SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ છે ને તથા યદાને બહુ આનંદ થયો. કહ્યું છે કે, સર્વ ગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થયાથી રે આ કોને હર્ષ ન થાય તેનો કૃષ્ણ વર્ણ હતો માટે નંદે વિચાર પૂર્વક તેનું નામ કૃષ્ણ એવું રાખ્યું. છે. ગોપીઓ અતિ પ્રેમથી અહર્નિશ ખોળામાં બેસાડીને રમાડવા લાગી. જેમ સચિ દેવીના . આ હોદકથી નંદન વનમાં કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે છે, તેમજ યશોદાએ પળન કચાથી તે છોકરો નાગ ગોકુળમાં વૃદ્ધિ પામવા લાગ્યો. એક ગોપીના ખોળામાંથી બીજીના ખોળામાં જય, અને * એકના હાથમાંથી બીજીના હાથમાં જાય. એવી રીતે રમાડતાં તેની ઉપર ગોપીઓને ઘણો પ્રેમ છે છે થયો. કોઈ કોઈ વખતે તેને જોવાને દેવકી પણ મથુરાથી આવતી હતી અને સ્નેહથી પોતાનાં ) સ્તનનું પાન કરવાતી હતી ને મહા હર્ષથી લાડ લડાવીને બોલાવતી હતી. એમ કરતાં દેવકીના Sજ મનમાં એક વખત એવું આવ્યું કે, હું કેવી અભાગણી છું કે આવા પુત્રને મેં લાડ લડાવ્યા નહી! કેર આ ઈત્યાદિક પોતાના મનમાં શોક કરીને એક સમયે દેવકી યદા પ્રત્યે બોલવા લાગી કે, 4 દેવકી–હે યશોદા, ત્રણે લોકોની સ્ત્રીઓમાં તમેજ ધન્યછો. કે જેના ખોળામાં નિત્ય કોડ આ પુત્ર રમે છે. તે વંશ ધન્ય છે કે, જેમાં આવું પુત્ર રત્ન ઉત્પન્ન થયું છે તથા ધન્ય આ ( ગોકુળ છે કે જેમાં આ બાળક રમત કરે છે. એવી રીતે યશોદાની પ્રસંશા કરીને પછી મથુરામાં ગઈ એમ કરતાં કેટલાક દિવસ છે ( વીત્યા પછી પોતાનું પ્રથમનું વર સ્મરણ કરી પૂતના તથા શકુની એ બે વિદ્યાધરીઓ કચ્છને છે છે મારવા આવી; અને ઘણા પ્રકારે માસ્વાનું યત્ન કર્યું પણ તેમાં તેઓ નિષ્ફલ થઈ અને દેવ છે છે તે બન્નેને મરણ પ્રાપ્ત થયું. કહ્યું છે કે જે નિર્દોષ સાધુઓને મારવાનું પ્રયત્ન કરે છે તે પર Sા તેજ નાશ પામે છે, એ વાત પ્રસિદ્ધ છે. કૃષ્ણ ભાખેડીએ ચાલતાં ચાલતાં અનેક બાળ ચેક કરવા લાગ્યું. એમ કરતાં કિશોર અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે ગોપાંગનાઓના ઘરમાં જઈ દૂધ % તથા દહીના ગેરસ ચોરી ચોરીને ખાવા લાગ્યો. એમ કરતાં લાગ આવેથી ખાતાં બચે તે હોળી : ) નાખે, ઈત્યાદિક ઉપકવ કરવા લાગ્યો તે પણ જેમ સૂર્ય ઘણે તત્પ થઈ અતિ ઉષ્ણતા કરે છે " તમે કોઈને અપ્રિય લાગતો નથી, તેમ કણ ઘણા પ્રકારે ગોકુળવાસીની સ્ત્રીઓને હેરાન કરવા છે છે. લાગે પણ તેના વિષે તેમની અપ્રિયતા થતી નહી. એમ કરતાં જ્યારે સાત આઠ વર્ષનો થયો છે ત્યારે જેમ ચંપાના પુષ્પની ખુશબો દશે દિશીઓને સુંગધી આપે છે, તેમ એની કીર્તિ સર્વ તરફ જ પસરી ગઈ એના કંઠને અવાજ પણ મધુર હોવાથી તે જ્યારે ગાતો ત્યારે બધા મોહિત થઈ ? જતા. એમ કરતાં મથુરાની સ્ત્રીઓ એમ કહેવા લાગી કે, ગોકુળમાં કૃષ્ણ નામ નંદજીને પુત્ર ૮ મહા અદભુત ગુણવાન છે. તથા તે કોઈનાથી છતાય નહી એણે બળવાન છે. એ વાત સાં. ત. ) ભળીનં કદાપિ કંસ એને ઘાત કરે, એવી મનમાં શંકા લાવીને તે બાળનું રક્ષણ કરવા માટે વસુદેવે ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy