SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છે એવી રીતે પતિનાં આશ્વાસન પર્વક વચને સંભળીને દેવકીતાના સાતમા ગર્ભની સારી રીતે સંભાળ કરવા લાગી. અહી કંસે પણ એ ગર્ભ મારો નાશ કરનાર છે, એમ ભણીને સૂતિકા સનો ઘણોજ બંદોબસ્ત રાખ્યો. પછી નવ માસ પૂરા થયાથી અતિ તેજ છે જેનું, અને જેનું વક્ષસ્થળ શ્રીવચ્છ અંકિત કરેલું છે. બીજું લક્ષણે ઊપરથી જેને ભરતાનું રાજ્ય નિધિમકી પ્રાપ્ત થવાનું છે. જેની ઊપર દેવતાઓની પૂર્ણ કૃપા છે. એવા મહા સ્વરૂપવાન પુત્ર દેવકીએ શ્રાવણ વદ્ય અષ્ટમીને દિવસે અતિ શુભ લગ્નમાં જન્મ આપ્યું. કંસના રક્ષપાળ સૂતિકાગ્રછે. હની ચોકી કરતા હતા. તે બધા ભરતાદ્ધ પતિના પૂર્વભવના મિત્રો જે દેવતા હતા તેને તો પ્રભાવથી નિદિસ્થ થઈ ગયા. એવું જોઈને દેવકીએ વસુદેવને જાગૃત કરી પુત્ર આપ્યો. તેને લઈને વસુદેવ કુળ તરફ ચાલતો થયો. તે સમયને વિષે સર્વ સ્થળે તેજોમય દીસવા લાગ્યા. છે. દેવ પુષ્પ વર્ષા કરવા લાગ્યા. દેવોના તેજથી વૃદ્ધિ પામે છે કાંતિ જેની, તથા દેવોએ ધારણ રહ્યું છે. દાત્ર તથા ચામર જેની ઉપર, એવા પુત્રને લઈ જતા વસુદેવ દરવાજાની સમીપ આવ્યો, છ) ત્યારે તેને જોઈને ઉગ્રસેન બોલ્યો કે, ઉગ્રસેનન્હે વસુદેવ, નેત્રને સુખ આપનારું એવું આ શું છે તે મને કૃપા કરીને કહો. વસુદેવ—(અતિ પ્રસન્ન થઈને તથા મંદ હાસ્ય કરતે થો) બોલ્યો કે હે બંધુ, આ (” બાળક તમને કેદખાનાથી મુક્ત કરનારે છે. ઉગ્રસેન–મારા જોવામાં એવું અદભુત આવ્યું છે કે, આથી જ હું કેદખાનામાંથી છૂટે છે. છે એવું નિશ્ચય થઈ ગયું છે તેથી હું તમારો મોટો ઉપકાર માનું છું. Sા પછી તે પુત્રના પ્રભાવથી વસુદેવ નિઃશંક યમુના નદી ઉતરી ગયો; અને નંદજીના ગોકુળમાં અને આવી પહોતો. તેજ વખતે દેવના મથી નંદની સ્ત્રી યશોદાએ દિવ્ય એવી એક કન્યાને જન્મ આપ્યું હતું. તેને લઈ પોતાના પુત્ર યશોદાને આપીને વસુદેવ પિતાને ઘેર આવ્યો અને તે છોકરી દેવકીને સોંપી ત્યારે તે કન્યા રોદન કરવા લાગી. તે સાંભળીને રક્ષપાળ જાગ્રત થયા GY અને તે પુત્રીને કંસની પાશે તેડી ગયા. તેને જોઈને કંસે વિચાર કરો કે, સમગ્ર રાજાઓનો . મારી ઉપર ઘણો પ્રેમ છે. મારાથી બધા શત્રુઓ બીહીને નાશી જાય છે એવો મારા બાહુનો અતુલ પરાક્રમ છે. એમ છતાં આ દુર્બલ કન્યા મને શું મારનાર છે. મૂર્ખ મુનિઓની અલ આ હણાઈ ગઈ છે; તેથીજ આડું અવળું ગમે તેમ બક્યા કરે. એમ કહી તે છોકરીનું નાક કાપીને તેને પાછી આપી દીધી. - અહી શ્રી ગોકળમાં જેમ ચંદ્રમાના ઉદયથી ઉદયાદ્રિ પર્વત અતિ રમણીય દેખાય છે, હક) તેમજ નંદના પુત્રથી શ્રી ગોકુળ અતિ ભવા લાગ્યું. છોકરાનું અતિ મનોહર રૂપ જોઈનક ઉમ ન હ૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy