SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 5 સ્વયંવર મંડપમાં જરાસંધ તથા બીજ હોટ મેટા રાજાએ બેઠેલા હતા. ત્યાં યોગ્ય આસન લે SS ઉપર સમુદવિજ્ય રાજા પણ સર્વ જોઈ રહ્યા પછી જઈ બેઠો. અને બીજા રાજાઓ પણ કન્યાને વરવાની ઈચ્છાથી પોતપોતાના આસન ઉપર બેઠેલા છે, એવા રાજ સમાજમાં કામદેવના અંકુર રૂપી રોહિણી સર્વ રાજાઓને કટાક્ષોથી જોવા લાગી. તે વખતે જેમ ચંદને પ્રકાશ પડવાથી વ નસ્પતિ પ્રકૃતિ થાય છે તેમ તે સુંદરીનો મુખરૂપ ચંદમાં જોઈ સર્વ રાજાઓનાં મન પ્રફુલ્લિત છે ( થઈ ગએલાં હિસવા લાગ્યાં. પછી અનુક્રમે સર્વ રાજઓના ગુણ, રૂપ, કુળ, તથા રાજ સમૃદ્ધિ છે વગેરેનું વૃત્તાંત રોહિણીને તેનો સખી સંભળાવવા લાગી. બધું સાંભળી રહ્યા પછી એક વાર સર્વ ) રાજાઓનાં મુખ જોયા પછી મૃગનયની રોહિણીએ ફરીથી કોઈ રાજાના મુખ તરફ દૃષ્ટિ કરી નહીં. સોનાના મંચકો ઉપર ઊંચી બેઠકે બીરાજેલા રાજાઓમાં તેને કોઈ પણ પ્રીય લાગે નહી. તેથી જ બધા રાજાઓને તિરસ્કાર કરીને એક મૃદંગ વગાડનાર ગંધર્વ ઉપર મોહ પામીને તેની સાંબેએક દૃષ્ટિએ જોવા લાગી. તે સમયને વિષે તે ગંધર્વ નાના પ્રકારની ગતિએ કરી યુક્ત મૃદંગ વાદ્ય કળાનું એવું પાંડિત્ય પ્રગટ કરવા લાગ્યો કે, તે જાણે વિલંબને મુકીને હસુંદરી, આ વરમાળા મારા ગળામાં નાખ, એમ કહેતો હોયની! એવો એનો અભુત ગુણ જોઇને તત્કાલ તે કન્યાએ તેના જ ગળામાં વરમાળાનો આક્ષેપ કર્યો. તે જોઈને બધા રાજાઓ વિસ્મય થયા; અને મહા ક્રોધમાં ( આવીને કહેવા લાગ્યા કે, અરે આ દુકાએ શું કીધું. નગારું વગાડનાર કૂબડ કોઈની ગણતીમાં તો તે પણ નહીં તેના જ ગળામાં વર માળ નાખી દીધી! ઈત્યાદિક ત્યાં ઘણું કોલાહલ થઈ રહ્યો અને ૨) તે મુદગીની સાંબે જરાસંધની આજ્ઞાથી બધાઓ યુદ્ધ કરવા તત્પર થયા. તે વખતે રાજા - ધિર બેલ્યો કે, હજારો ઉપાય કરચાથી હવે કાંઈ વળવાનું નથી. મારી પુત્રીને જે વર ગમ્યો તે ખરો, હવે અન્યથા થનાર નથી. એમ કહીને રાજ તેની તરફેણમાં થયો. પોતાની સાંબે શત્રુઓ ઘણા હતા તો પણ જેમ ઘણા ભિક્ષુકનું ટોળું જોઇને ધનવાન ઘર મુકીને જતો રહેતો નથી, તેમ છો રૂધિર રાજા પણ સ્વયંવરમાં આવેલા રાજાઓના ભયથી ચલાયમાન થયો નહી. સર્વ રજાઓ મહા પરાક્રમી હતા તે પણ તેની સાંબે યુદ્ધ કરવાને ડ નહી. પરંતુ ઘણાઓની સાબે આ એક લડતાં તેને પરાભવ થાય છે એમ જોઈને પેલો મૃદંગી યુદ્ધ કરવા તત્પર થયો અને એ વિદ્યાધોએ આકાશમાંથી આવેલા રથમાં બેશી તથા તેઓએ આપેલાં શસ્ત્રો હાથમાં લઈને તેલ લાઈ કરવા આવ્યો. તે ગાંધર્વ એવો પરાક્રમ કર્યો કે, જેમ સૂર્યના પ્રકાશથી સમગ્ર તારાઓ તેજ હીણ થઈ જાય છે તેમ તેને જોઈને બધા રાજાઓ તેજ રહિત થઈ ગયા. પોતાનું બળ ગાં ધર્વનો પરાભવ કરી રાકવાનું નથી એમ જાણીને જરાસંધે સમુદવિજ્યને તેની સાથે યુદ્ધ કરવાનું તો Sછી કહ્યું. તે વાત તેણે માન્ય કરીને ગાંધર્વનું બળ તે કેટલું છે જે તે ખરો! એવી રીતે તિરસ્કાર છે t Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy