SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જિનધમાંભિલાષી શુદ્ધ શ્રદ્ધાવાન, સમ્યફદકી, વિવેકી સજજનના મનને આનંદ ઉત્પન્ન કરે છે SS નારા કથા પ્રસંગતર્ગત વૈરાગ્ય, નીતિ તથા સત્યપ્રતિજ્ઞા પ્રમુખ પરમાર્થ સાધક પદાર્થોનું ગુંથન જ ઘણીજ સારી રીતે કરેલું છે, બહુધા સર્વ પ્રકારના મનુષ્યના મનને રંજન કરવાને તથા તેમને વ્યવ( હારિક સન્માર્ગમાં પ્રવર્તાવવાને જેવા વિષયો જોયે તેવા સર્વ પ્રકારના વિષયોનો આ ચરિત્ર રૂપ કો ગ્રંથમાં સમાવેશ કરેલો છે તેથી આ ગ્રંથ સર્વોપયોગી છે. " આ ગ્રંથ જૈનધર્મ સંબંધી વ્યાવહારિક તથા પારમાર્થિક રત્નોની ખાણ છે. જિનધર્માવલંબી જનોના મનરૂપી ચાતકોને આલ્હાદ કરવાને ચંદ્રમા સમાન છે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ છે કરવાને સૂર્ય સમાન છે, ભવભ્રમણરૂપ રોગની નિવૃત્તિ કરવાને અમોધ વૈદ્ય છે, આનંદરૂપ દુગ્ધના આસ્વાદનની ઈચ્છા ધારણ કરનારા અધિકારીઓને તો જાણે કામ ધેનુજ હોયની? એવો છે. આ ગ્રંથમાં શ્રી નેમિશ્વર ભગવાન, બલભદ, વાસુદેવ જે શ્રીકૃષ્ણ, પ્રતિવિષણુ જે જરાસંધ, પાંડવ, કૌરવ, ભીષ્મપિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્યાદિક અનેક વીરપુરૂષોનાં ચરિત્ર છે આવી ગયેલાં છે. તેઓની કથારૂપ અમૃતની ધારાનું પાન કરતાં કોઈપણ મનુષ્યના કાનને તૃપ્તિ તે થાય નહીં યદ્યપિ ત્રિષષ્ઠિ શિલાકા પુરૂષ ચરિત્ર તથા પ્રત્યેક તીર્થંકરાદિકના જૂદા જૂદા ચરિત્રો Sછે તથા શત્રુંજ્યમાહાભ્ય વિગેરે અનેક ગ્રંથો કેટલાએક મહાન પંડિતોએ પૂર્વે કરેલ છે, તેના અંતરગત આમા આવેલા કેટલાક મહાન પુરૂષોનાં ચરિત્ર આવી ગયેલાં છે, તે પણ અતિ મને- 9 રક છે; તથાપિ આ આચાર્યે ચરિત્ર થનાદિક કરવાની એવી તો શૈલી કરી છે કે, જાણે પુન: પુન: શ્રવણદિક કાજ કરીએ, કદાપિ તૃપ્તિ થાય જ નહીં. એ ગ્રંથમાં શ્લોક રચના પણ એવી ઉત્કૃષ્ટ કરી છે કે, તેવી બીજે દેકાણે કવચિત દીઠમાં આવશે. ઘણો અર્થ થોડા શબ્દોમાં ગોઠવીને પોતાના અભિણિત વિષયનું એવું તે પ્રકટીકરણ કરેલું છે કે, તેવી રચના સાક્ષાત વિધિથી પણ થવી દુર્લભ થાય. અધિક શું કહ! આ ગ્રંથની અને આ ગ્રંથ કત્તની જેટલી પ્રસંશા કરિયે વ તેટલી થોડી કહેવાય. પણ મારી એટલી બુદ્ધિક્યાંથી?કે હું એઓ વિષે યથાર્થ ગુણ પ્રમુખનું વર્ણન છે કરી શકીએ તો જે યથાર્થ મર્મજ્ઞ હોય તેજ વર્ણન કરી શકે. મેં તો આ ગ્રંથ તથા ગ્રંથ કર્તાની છે કીર્તિનું વર્ણન જેટલું કરવું જોઈએ તેનું એક લક્ષાંસ પણ કર્યું નથી. આ ગ્રંથ રચનાર આચાર્ય જેમ આ “પાંડવ ચરિત્રની રચના અત્યુત્કૃષ્ટ કરી છે, તેમ એમણે જે બીજા ગ્રંથો રચ્યા છે તે જોતાંપણ બધા એકેથી સુરસ દીઠમાં આવે છે. આ ગ્રંથકર્તાની હતી 9) ગુરૂ પરંપરાનાં નામ આ ગ્રંથ કર્તાએ પોતે જ આ ગ્રંથના અંતમાં આણ્યાં છે, તે ઉપરથી સ્પષ્ટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy