SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. આ, સુષ્ટિમાં સર્વ પદાર્થો પ્રવાહ રૂપે કાલના પ્રભાકરી ચૂનાધિકતા પણે પ્રવર્તે છે, એવું આ સર્વજ્ઞ કથનથી અને વિદજજનોના અનુભવથી સિદ્ધ થાય છે. એક સમયમાં જે પદાર્થ, સર્વોત્કૃષ્ટ તો ) સ્થિતિને પામીને, એવી યોગ્યતામાં આવી ગયો હોય છે, તે સમયમાં તેની તુલના કરનાર છે (બીજો કોઈ પદાર્થ મલતો જ ન હોય, અર્થાત અનુપમેય હોય. તેજ પદાર્થ, કાલાંતરે એવીતો છે 0 કનિષ્ટ સ્થિતિમાં આવી જાય છે, તેની પૂર્વની અત્યુત્તમ સ્થિતિ વિષે સ્મરણ કરતાં પણ આશ્ચર્ય છે થાય, એવો અદ્ભુત કાલને પ્રભાવ છે એનું ઉદાહરણ જોતાં, પુરાતન જૈન પંડિતોનું પાંડિત્ય અને & આધુનિક જૈન પંડિતોનું પાંડિત્ય સ્પષ્ટ દર્શાવી દિયે છે. જેમાં પુરાતન જૈન પંડિતોએ રચેલા ગ્રંથોની કાર ઉપર લક્ષ દેતાં હરેક સુજ્ઞ જનનું મન આનંદને પામે છે, તેમ હાલના સમયમાં તવા પાંડિત્યનો વ અત્યંતભાવ જોઈને તેઓનું મન શોક પણ પામે છે. કેમકે તેવા ગ્રંથોની હાલ રચના થવી તો એક શું કરે રહી, પણ તેઓનો યથાર્થ મર્મ સમજવો પણ હાલના સમયમાં દુર્ઘટ થઈ પડે છે. તે છે પૂર્વાચાર્ય રચિત અનેક ગ્રંથોના વિષયો જેવા ઉપરથી, તથા હાલમાં આ પાંડવ ચરિત્રનું ભાન (. પાંતર કરતાં મને સ્પષ્ટ જણાઈ આવ્યું છે. આ “પાંડવ ચરિત્ર દેવપ્રભસૂરિનું રચેલું છે. તે આચાર્ય હર્ષ પુરીય ગચ્છના હતા, તે એવા તો વિદાન હતા કે, જેની તુલના અતિ નામાંક્તિ જગત પ્રસિદ્ધ પંડિત વિના બીજા કોઈ સાધારણ છે પુરૂષની સાથે થાય નહી, એમની આ ગ્રંથ રૂપ ઉક્તિ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, એ મહા SEB બુદ્ધિમાન હતા અને મૃત જ્ઞાનના સમુદ્ર હતા, એટલે એમની પૂર્વ થઈ ગયેલા અતિ ઉત્કૃષ્ટ ) પંડિતો જેઓ વર્તમાન યુત જ્ઞાનના પારંગત અથવા મધ્ય વર્ત કહેવાયા છે તેમના રચેલા - ગણિત ગ્રંથમાંના પાંડિત્યની સાથે ઘણું અંસે એમનું પાંડિત્ય તુલના કરે છે. તેથી એ પણ વર્તSળી માન મૃત જ્ઞાનના પારંગત અથવા મધ્યક્તિ હતા એમ માનવામાં કઈ દોષ નથી, એ આચાર્ય, () શબ્દ શાસ્ત્રમાં એવા તે પ્રવીણ હતા કે અતિ વખણાયેલા પંડિતની પંકિતમાં કેટલેક અંશે એ તે પ્રથમ માન્ય કરવા યોગ્ય છે. એમણે આ “પાંડવ ચરિત્ર” નામક ગ્રંથની એવી તે સારી રચના કરી છે કે, પૂર્વ થઈ ગયેલા કવિઓના રચેલા કાવ્યોની કીર્તિના પ્રકાશ રૂપ ચંદ્રપ્રભાની ઉપર જાણે એ સૂર્ય પ્રભા જ પ્રકાશ થઈ હોયની? એ પંડિત સાહિત શાસ્ત્રમાં અત્યંત નિપુણ હતા, કેમકે આ ચરિત્રમાં કાવ્ય સંબંધી શબ્દ, અર્થ, રસ તથા અલંકારાદિકની સારી પ્રૌઢી બતાવી છે. આ ગ્રંથમાં પદ લાલિત્યતા, અર્થ ગૌરવતા, રસ પણ રીતિ તથા અલંકાર રચના પ્રકાર ૨) એવા તે ઉત્તમ રીતે દર્શાવેલ છે કે, એના ભોક્તાને સાનંદાશ્ચર્ય થયાવિના રહેતું નથી; તેમજ છે. છે કઈNQર ડેરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy