SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષણ શ્રવણ કરી ભયેકરી વ્યાસ એવો તે પદ્મનાભ, સ્ત્રીવેષ ધારણ કરી તે દ્રૌપદીને આગળ કરી શ્રીકૃષ્ણને શરણુ જતો હવો. કારણ, સંપૂર્ણ જીવ પોતાના પ્રાણનું રક્ષણ કરવામાટે જે કરતા નથી એવું કોઈપણ કમઁજ નથી. તે સમયે દ્રૌપદીને આગળ કરી શરણે આવેલા તે પદ્મનાભને અવલોકન કરી પ્રસન્ન એવા શ્રીકૃષ્ણ, નૃસિંહ સ્વરૂપનો ત્યાગકરી “હે પદ્મનાભ, તું ભય પામીશ નહી, ભય પામીશ નહીં.” એવું ભાષણ કરી “તેં આ દ્રૌપદીને આ સ્થળે કેવી રીતે આણી? એ વિષે સવિસ્તર પ્રકાર નિવેદન કર.” એવો પ્રરત કરતા હવા. તે સમયે તે પદ્મનાભ રાજા, શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતા હવો. કે હે દેવ, કોઇએક સમયે અંત:પુરમધ્યે હું બેઠો છતાં ત્યાં મુનિપુંગવ એવા નારદમુનિ અકસ્માત પ્રાપ્ત થયા. તે સમયે યથાયોગ્યપણે મેં તે નારદમુનિની પૂજા કરી. પછી તે નારદપ્રત્યે એવો પ્રશ્ન કરચો કે “હે મુનીશ્વર નારદ, મારી જે આ પ્રિય સ્ત્રી છે, એવી સ્ત્રીઓ તમે કોઈપણ ઠેકાણે જોઇઓ છે શું?” એવું મારૂં ભાષણ શ્રવણકરી તે નારદમુનિ મારીપ્રત્યે ભાષણ કરતો હવો કે “હે પદ્મનાભ, કૂવામાં રહેનારો દેડકો જેમ, પોતાની સ્ત્રી દેડકીને શ્રેષ્ઠ માની કૂપના તીરનેવિષે ખીજા કોઈ પ્રાપ્ત થએલા દેડકાને અવલોકન કરી તે પ્રત્યે જેમ નાનાપ્રકા૨ે ગર્વેકરી ભાષણ કરેછે; તેમ તું સાંપ્રતકાળે ભાષણ કરેછે; પરંતુ હે રાજન, પાંચાળીના રૂપ આગળ આ તારી સ્ત્રીઓનુંરૂપ શી ગણતીમાં છે?” ત્યારપછી વિસ્મયેકરી જેનું ચિત્ત હયુક્ત છે એવો હું, ફરી તે નારદપ્રત્યે ભાષણ કરતો હવો કે “હું ભગવન, તમે જેની આવી રીતે પ્રશંસા કરોછો, તે પાંચાળી કોણ? અને કચાંછે?” પછી નારદ ભાષણ કરતા હવા કે “બુદ્વીપનેવિષે ભારતનું ભૂષણ એવું ઇંદ્રના નગર સરખું હસ્તિનાપુરનામક નગર છે. ત્યાં જેઓના ખાહુદંડ પરાક્રમ યુક્તછે, અને યશ એજ જેમનું દ્રવ્યછે એવા, અને સામ્રાજ્યરૂપ વૃક્ષના આદિકંદ એવા પાંડવાતે નગરમાં વાસ કરી રાજ્ય કરેછે. પાંચ પાંડવોની અત્યંત પ્રિયા એવી પાંચાળી નામે એકજ સ્ત્રી-તે બ્રહ્માએ નિર્માણ કરેલી જે રૂપ લાવણ્યની સંપત્તિ, તેનું કેવળ ધરજ હોયના! એવી છે.” એવું ભાષણ કરી તે નારદમુનિ, તતક્ષણ આકાશમાર્ગે નીકળી ગયા છતાં, તે સમયે પાંચાળીના ગુણવર્ણનના શ્રવણે કરી જેને કામદેવ જાગૃત થયોછે એવો હું, પૂર્વે જેની સાથે મારો સ્નેહ થયો હતો એવો મિત્ર જે ભુવનવાસી દેવ-તેનું સ્મરણ કરી તે પ્રાપ્ત થયો છતાં તેનીકને પાંચાળીને આણવા માટે પ્રાર્થના કરતો હવો. તે સાંભળી તે દેવ એવું ભાષણ કરતો હવો કે “હે પદ્મનાભ, પાંચાળી છે તે પતિવ્રતા સ્ત્રીઓનું મસ્તકભૂષણ એવું કેવળ મૌક્તિકજ છે; એ માટે તે પોતાના પતિવિના અન્યપુરૂષને કોઈ પણ પ્રકારે ઈચ્છનાર નથી; તોપણ તારા આ વચનનો હું સ્વીકાર કરૂ છું.” એવું ખોલી મારા આગ્રહે તે ભુવનવાસી દેવ, જંબુદ્રીપનેવિષે હસ્તિનાપુરપ્રત્યે ગમન કરી ત્યાં મંદિરનેવિષે સુતેલી પાંચાળીને અવલોકન કરી પસ્ત્રાપનિ વિદ્યાનો પ્રયોગ કરી તે દેવ, તે દ્રૌપદીને Jain Educationa International For Personal and Private Use Only ૫૪૭ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy