SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૫ 9 કે તે પદના મહા વેગે તે પત્રિકાને ફાડી દૂર નાખી દેતો હવે, અને ભાષણ કરતો હો. પદ્મનાભ–હે દારૂક, એ મુકુંદ જંબુદીપને માત્ર ભય ઉત્પન્ન કરનારે છે, પરંતુ અહીંયાં તો મહાર એવો જે હં–તેની સાથે યુદ્ધ કરવા માટે એ કોણ ગણતીમાં છે? એ માટે તું પાછો જ. આ હું તારી પછવાડેજ યુદ્ધ કરવા માટે નીકળી આવ્યો છે. એવું શ્રીકૃષ્ણને કહી પાંડવોએ સહવર્તમાન તે શ્રીકૃષ્ણને યુદ્ધ કરવા માટે સજજ કર યુદ્ધવિષે એ સર્વને સહજ લીલાએ હું જે ગ્રાસ ન કરું તો હે દત, હું પદ્મનાભજ નહીં એવું તું સમજજે. એવી તે પવનભની વાણીને ગ્રહણ કરી તે દારૂક, શ્રીકૃષ્ણના સમીપભાગે પ્રાપ્ત થઈ તે ) પદ્મનાભે કહેલા સંપૂર્ણ પ્રકારને કથન કરતો હતો. અહીંયાં પવનાભ પોતાના સેનારૂપ તરંગેએ સંપૂર્ણ દિશાને પૂર્ણ કરતે થકો, અને 7 મહાક્રોધ કરી શ્રીકૃષ્ણ તથા પાંડવોની સાથે યુદ્ધની ઈચ્છા ધારણ કરતો થકો નીકળતો હતો. તે પદ્મનાભ, “નજીક પ્રાપ્ત થયે” એવું પુંડરીકાક્ષ શ્રીકૃષ્ણ જણીને પાંડવો પ્રત્યે એવું ભાષણ કરતા હવા. 5 શ્રીકણ—હે પાંડવે, તમે આ પવનાભને યુદ્ધવિષે જીતવા માટે જે અસમર્થ હશે તે આપણે શિવ જે એ પદ્મનાભ-તેની સાથે હુંજ યુદ્ધ કરું છું. એવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ છે. કરી પાંડવો ભાષણ કરતા હવા કે “એ તુચ્છ જે પદ્મનાભ-તેની સાથે યુદ્ધ કરવા માટે તમે શો KD આ ઉદ્યોગ કરે છે? સમુદના પણ ઉદકને પોતાની વાળાએ શોષણ કરનાર જે વવાનળતેને ટાંકીના જળને શોષણ કરવા માટે સંરંભ શામાટે જોઈએ? તે કરતાં હે વિષ્ણુ, અમેજ સાં- ) પ્રતકાળે અમારા બળે એ પદ્મનાભને યુદ્ધવિષે સંહાર કરીશું; અને જયના પાત્ર થઈશું; અને થવા અને જીતીને એ પાનાભ જ્યપાત્ર થશે. એવું ભાષણ કરી તે પાંડવો, તે શત્રુ જે પદ્મનાભ-તેની સાથે યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયા; અને શ્રીકૃષ્ણ તે તે યુદ્ધને ચમતકાર અવલોકન કરવા માટે કૌતુકી હોતા થકા તેમજ રહ્યા. ત્યારપછી પવનાભની સેનાએ સહવર્તમાન પાંડવોનો, સર્વ ભૂમંડળને પ્રલય કરે છે કે શું એવો મોટો સંગ્રામ ઘણા વખત સુધી થતો હશે. ત્યારપછી તે પાંડવોએ પદ્મનાભની સેના કિંચિત પાછી હાવી છતાં, તે સમયે જેનું મોટું પરા ક્રમ છે એવો મહાબળી તે પાનાભરાજા, યુદ્ધ કરવા માટે પોતે ઊઠતો હો. ત્યારપછી તે પદ્મનાભે છે. યુદ્ધવિષે પાંડવેને બાણોએ કરી એવા જરજર કન્યા કે તે પાંડવો, યુદ્ધને ત્યાગ કરી મોરારી S: જે શ્રીકૃષ્ણ પ્રત્યે શરણે જતા હવા અને એવું કહેવા લાગ્યા કે હે હરે, આ પદ્મનાભને યુદ્ધને વિષે જીતવા માટે અમે સમર્થ નથી; એ માટે તેમજ યુદ્ધાંગણવિષે પદ્મનાભની સાથે યુદ્ધ કરવા માટે આ સમર્થ છો. એવું પાંડવોનું ભાષણ શ્રવણ કરી હાસ્યયુક્ત એવા તે શરિ ભાષણ કરતા હતા. કો, શ્રીકણ–હે પાંડવો, આ પદ્મનાભે તમને જે કરતાં છત્યા તે કરતાં હવે એ શત્રુ બને છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy