SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ છે. સાંપ્રતકાળે તે દ્રૌપદી, ધાતકીખંડને વિષે છે, એવી વાર્તા સાંભળીને અમે અહીંયાં આવ્યા છે; એ માટે તે દ્રૌપદીની અમોને જે રીતિએ પ્રાપ્તિ થાય તેવી કાંઈ સહાયતા કરો. એવું શ્રીહરિનું ભાષણ શ્રવણ કરી લવણાધિપતિ ભાષણ કરતો હો. ( લવણાધિપતિ–હે કષ્ણ હં તે ધાતકીખંડનામક દીપનવિષે દ્રૌપદીનું હરણ કરનારો જે 5 શત્રુ-તેને તેના સૈન્ય સહવર્તમાન વધારી સમુદમથે નાખી દઈ તે સ્થળથી તે દ્રૌપદીને અહીંયાં છે છે. આણી તમને સમર્પણ કરીશ, તમારો આજ્ઞાધારક જે હું–તેને તમે જેવી આજ્ઞા કરશે તે પ્રમાણે છે ( કરવા માટે તે સિદ્ધ છતાં તમે પોતે જ આ સ્વ૫કાર્યને વિષે આ ઉદ્યોગ શા માટે કરો છો. ) ત્યારપછી મેરારી શ્રીકૃષ્ણ એવું ભાષણ કરતા હતા. કે હે લવણાધિપ, તું જે પ્રમાણે કહે છે તે પ્રમાણે સર્વ કાર્ય કરવા માટે સમર્થ છે, પરંતુ અમે એ કાર્ય તારી કને કરાવ્યું છતાં તે અમારા યશની વૃદ્ધિ કરનારું નથી. એ માટે અમારા છ જણના રથ, આ સમુદને ઓલંધન કરીને ધાતકીખંડને વિષે જે રીતિએ ગમન કરે તેવું કરવા માટે તું યોગ્ય છે. એવું શ્રીકૃષ્ણનું ભાષણ તે લવણાધિપતિએ શ્રવણ કરી તેઓના રથ, ધાતકીખંડને વિષે છે છે. લેવા માટે સહાયતા કરી છતાં પાંચે પાંડવોના પાંચ રથ અને છઠ્ઠો શ્રીકૃષ્ણને રથ-એ છએ ર છે લવણ સમુદને ઊતરી ધાતકીખંડને વિષે અમરકંકાનગરીની પાસે ગમન કરતા હતા. તે છએ જણા ( તે નગરીના બાહ્ય ઉપવનને વિષે સર્વતુમયે ક્રીડા કરવા માટે યોગ્ય એવું જે ક્રિડા ગૃહ-તેને વિષે 1 ઉતરતા હવા. ત્યારપછી શ્રીકૃષ્ણ પોતાને સારથિ જે દારૂ, તેને પદ્મનાભસજાને કહેવાને જે પ્રકાર, તે શીખવાડીને તે દારક, અમરકંકા નગરીમથે રહેનારા પદ્મનાભરાજના સમીપભાગે SG મેકલ્યો. ત્યારપછી સભામણે બેસના જે પદ્મનાભરાજા, તેના સમીપભાગે જેની ભયંકર ) આકૃતિ છે એ દારૂક ગમન કરીને રાજના પાદપીઠને પોતાના પગે આક્રમણ કરી મહાક્રોધે શ્રીકૃષ્ણ દધેલી પત્રિકાને દેતો હો; અને એવું ભાષણ કરતો હશે. દારૂક–ગના યોગે જેનું ચિત્ત વ્યાપી ગયું છે એવા હે રાજાઓ મળે અધમ, મુર નામે () દેત્યને જીતનારા અને જંબુદ્દીપનું ભારતાદ્ધપણું ધારણ કરનારા જે શ્રીકૃષ્ણ-તે તને એવું કહે છે કે “રે પદ્મનાભ, મારા બંધુઓ જે પાંડવો-તેઓની પરમપ્રિયા જે પદી સ્ત્રી-તે પર્વે તે અહિયાં છે ચોરી આણી છે; તે બહુ ખોટું કર્યું છે. એ માટે મારા બાહુઓ રક્ષણ કરેલા એવા જે તે પાંડવો-તેઓનું અને તારૂં હમણાંજ યુદ્ધ થશે. તો તે દ્રૌપદીને લઈને ઉતાવળે શરણ આવક અથવા તને જે કાંઈ દુષ્ટ ગર્વ હોયતો અતિ ત્વરાએ યુદ્ધ કરવા માટે સંમુખ પ્રાપ્ત થા. હું તો પાંડવોએ - સહવર્તમાન તારી નગરીના બાહ્ય ઉપવનનેવિષે છ એ સહવર્તમાન આવીને યુદ્ધક્રીડા કરવા- કો) માટે સિદ્ધ થઈ રહ્યો છું.” એવી તે દારૂકની વાણી સાંભળીને મોટા કોપનું કેવળધરજ-એવો છે ભક" "9તો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy