SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ થશે એવા ભયે કરીતેજ જાણે હોયના ! તેમ રોમાવળીરૂપ પટ્ટિકા દીધી છે. ઍના છે તે સ્ત્રી રૂપ રત્ન નિર્માણ કરનારા શિલ્પવાનની કીર્તિના સ્તંભજ હોયના ! એવા ભાસેછે. એની બંધાઓ, ઉપમા દેવા માટે મનમાં આણેલા જે સર્વ પદાર્થો-તેઓનું ધંધન કરેછે. અર્થાત્ અની જેધાઓ નિરૂપ છે. અને એના પાયતો, પોતાના નખરૂપ કિરણોએ, કમળનેવિષે વાસ કરનારી લક્ષ્મીને હસે છે. મારા ભાગ્યનો મહોટો અતિશય છતાં આવી વધુ મારા ગૃડુને શોભાયુકત કરશે, એવિષે હું વિદ્યાસ ધારણ કરતી નથી, કારણ, વક્ત એવા નૈમિકુમાર, અને પરણીને મારો હેતુ પૂર્ણ કરે ત્યારે ખશે. એવું બોલી શિવાદેવીએ તે કન્યાને ભૂષિત કરવામાટે સ્ત્રીઓને આજ્ઞા દીધી છતાં, તે સંપૂર્ણ સ્ત્રીઓએ નાનાપ્રકારનાં ભૂષણોએ તે રાજીમતી અલંકારયુક્ત કરવામાટે, જેમ વર્ષાઋતુએ પુષ્પકરી માલતિ અલંકૃત કરવામાટે આરંભ કરો જાયછે, તેમ આરંભ કરો. તે સમયે જેના સર્વે અવયવોનેવિષે અલંકાર ધાલેલા છે, એવી રાજીમતી કન્યા, નવીન પ્રકૃક્ષિત એવા કુમુદ્દનીના સમુદ્રાએકરી ભૂષિત થએલી તલાવડીની જેમ અત્યંત શોભતી હવી, પછી ભૂષણોના ધારણકરી જે વિષે શોભા વૃદ્ધિ પામી છે, એવા પોતાના દેહને તે રાજીમતી, દર્પણુનેવિષે વારંવાર અવલોકત કરી “આ મારો દેહ, નૈમિકુમારને માટે શોભશે” એવી ભાવના કરતી હવી. ત્યારપછી તે અલંકૃત કરેલી કન્યાને શિવાદેવી પ્રમુખ સ્ત્રીઓ, મહોટા હર્ષેકરી તેની માતાના અંતગૃહનેવિષે બેસાડીને ફ્રી મોહોટા આનંદેકરી વર જે નૈમિકુમાર, તેનીપ્રત્યે પ્રાપ્ત થતી હવી. ત્યારપછી ચંદને કરી જેનું શરીર લિપ્ત છે એવો, અને મોતીઓના ભૂષણોએ કરી ભક્ષિત એવો તે નેમિકુમાર, જેઓએ અવલોકન કરનારાઓનાં નેત્રો તૃપ્ત કરચાંછે એવાં વરને યોગ્ય જે ભૂષણો તેને પેહેરતો હવો. પછી જેના મસ્તકનેવિષે શ્વેત છત્ર ધારણ કરેલું છે, અને વારાંગનાઓએ જેના ઉપર ચામર ધારણ કરવાં છે એવો, અને ઉત્તમ રથઉપર બેસનારો તે નેમિકુમાર વર રાજા, પરણવામાટૅ ઉગ્રસેનના ધરપ્રત્યે પ્રસ્થાન કરતો હવો. તે સમયે જેઓની સંપત્તિ સહોટી છે, એવા કેટલાએક યાદવકુમારો હસ્તિઓ ઉપર, કેટલાક રથોપર, અને કેટલાક અધો ઉપર આરોહણ કરતા થકા વરની આગળ સાખેલા થઈને નિકળ્યા. બીજા કેટલાએક રાજાઓ, પોતાના ભૂષણાદિકના ધારણકરી ઇંદ કરતાં સુશોભિત હોતા થકા ઐરાવત સરખા હાથી ઉપર આરોહણકરી તે તેમિવરની બંને બાજુએ ગમન કરતા હવા. તે સમયે ખળભદ્ર, શ્રીકૃષ્ણ, દાહ્ અને અન્ય પણ વૃદ્ધુ વૃદ્ધ યાદવો, કુંજરત્યેકનેવિષે આરોહણ કરી વર રાજાની પાછળ પ્રસ્થાન કરતા હવા. તે યાદવોની પાછળ અલંકાર ધારણ કરેલીઓ એવી શિવાદેવી, કુંતીદેવી પ્રમુખ, જાની સ્ત્રીઓએ પણ જેનેવિષે મોતીઓના તારાઓ બંધન કરવા છે, એવી પાલખીઓમાં યથેચ્છપણે Jain Educationa International ૧૩૨ For Personal and Private Use Only પરમ www.jainlibrary.cfgg
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy