SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ ૭કઈ છે એવી કિમણી, લાયમાન થઈને તે વાપિના તીરપ્રદેશનેવિશે ગમન કરતી હવી. તે સમયે એ વરે તે નેમિકુમારે જળના પ્રહાર કરી કોઈએક સ્ત્રીને સિંચન કરી, કોઈએક સ્ત્રીને સ્તન પ્રદેશને વિષે સિંચન કરી, અને કોઈ એક સ્ત્રીને નાભિના અધભાગપ્રદેશને વિષે સિંચન કરી. એ પ્રકારે કરી તે વાપીનવિષે જળક્રીડા પ્રવૃત્ત થઈ છતાં તે સંપૂર્ણ સ્ત્રીઓ તે નેમિકુમારને કામદેવ જાગૃત થવા માટે નાના પ્રકારના વિલાસને કરતી હવાઓ. એવું છે કે ર૪ એટલે પાણી અથવા જડ-એના સંસર્ગ કરી ગુણું પુરૂષો પણ નિર્ગુણત્વ પામે છે તે પ્રમાણે જળનો સંસર્ગ કરનારી તે સ્ત્રીઓનો છે તે નેમિમારે, સંપૂર્ણ લmદિક સ્વાર્થ પણ નષ્ટ કરો. અર્થાત વિષયોએ વિરકત એવા HD છે તે નેમિકુમારે સહવર્તમાન જળક્રીડા કરનારીઓ તે કૃષ્ણવીઓના વસ્ત્રરહિતપણા પ્રમુખ ની લજજાદિક સ્વાર્થનો નાશ થયો, તોપણ નેમિકુમારના ચિત્તને વિષે કિંચિત પણ કામદેવ ઉત્પન્ન થયો નહીં. એ માટે જ્ઞાતાપુરૂષે “વિષયનેવિશે પોતાને ઘાત છે” એવી ભાવના કરી નિર્મળ જે આત્મા–તેનું ચિંતન કરવું. ત્યારપછી જંબુવતીએ દીધેલા હસ્તના આ શ્રયને ગ્રહણ કરી તેને મિકુમાર, ધીમેધીમે મહા હર્ષ કરી તે વાપિની તીરભૂમિ વિષે પ્રાસ ( (થતું હશે. તે નેમિકુમારની પછવાડે કૃષ્ણસ્ત્રીઓ પણ વસ્ત્રથી શ્રવનારૂં જે જળ-તે મિષે કરી છે ( પિતાના લાવણ્યને જ વમન કરતી હોયને! એવી બહાર નીકળતી હવાઓ. તે સમયે તે ચંદના કિરણોના સમુદાયે કરીને જ નિર્માણ કરેલાં હોયના! એવાં બીજરેશમી વસ્ત્રોને રૂકિમણી, છે નેમિકુમારને સમર્પણ કરતી હતી. ત્યારપછી કોઈએક કૃષ્ણસ્ત્રી, તે નેમિકુમારને ભદાસનને વિષે છે તે બેસાડીને પુએ કરી તેના કેશને અલંકત કરી તે કેશસમુદાયનું બંધન કરતી હવી. તે સમયે જ સુવર્ણના વર્ણ સરખે જેના શરીરને વણ છે, એવી કોઈ એક સ્ત્રી, જેના અંગનવિષે પ્રસેવાસંબંધી બિઓ સ્કૂરણ પામે છે, એવા તે નેમિકુમારને નિષ્કપટપણે પોતાના વાંચળકરી વાયુ ઢોળવા લાગી. પછી તે નેમિકુમારના ચરણકમળની શુશ્રુષાપૂર્વક સત્યભામાં પ્રમુખ સંપૂર્ણ સ્ત્રીઓ, તે નેમિકુમારની આગળ ભાષણ કરવા માટે આરંભ કરતી હવાઓ કે, “હે કુમાર, આ સંસાર છે તે, સ્ત્રીના સંગ્રહ કરીને જ સારવંત છે; એ માટે સ્ત્રીવિના મેટો શ્રીમાન પુરૂષ હોય, તો પણ તે છે. રણતુલ્ય છે. મહેંદ, ચંદ્ર-ઈત્યાદિકોનીપણુ ઈંદાણી, રોહિણી ઈત્યાદિ જગતમાં પ્રખ્યાત એવી છે કે સ્ત્રીઓ છે. એ માટે કોણ પુરૂષ સ્ત્રીવિના છે? તો એવી રીતિનું ઉત્તમ પ્રકારનું સૌભાગ્ય અને S: રપણું વિગેરે ઉદાર ગુણ હોય તથાપિતે સર્વ, સ્ત્રીવિના વ્યર્થ છે; એવું જ. ધર્મ અર્થ અને પર કામ-એ ત્રણ પુરૂષાર્થ, સધર્માચરણી સ્ત્રીને વિષેજ રહેલા છે. અર્થાત્ સ્ત્રીવિના, ધર્મ અર્થ અને આ કામ-એ ત્રણ પુરૂષાર્થ પ્રાપ્ત થતા નથી. પુણ્યનું એક પાત્ર એવો પુત્ર પણ સ્ત્રીથીજ ઉત્પન્ન થા- 5 Sી યછે જે પુત્ર, તમારી જેમ પોતાના પિતાની અત્યંત પ્રખ્યાતિને રૈલોકયવિષે વિસ્તાર કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy