SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સુદર્શનચક્ર, સારંગધનુષ્ય, કૌમોકીગઢા, અને નંઢકખ-એઓનેવિષે પોતાની દૃષ્ટિ સ્થાપન કરી. પછી તે વારંવાર પાંચજન્ય શંખનેવિષે દૃષ્ટિ સ્થાપન કરતો હવો; અને તે શંખ વગાડવા માટે જેણે ઈચ્છા ધારણ કરીછે એવો, અને તે શંખને ગ્રહણ કરવા માટૅ ઈચ્છા કરનારો તે નેમિકુમાર, પોતાના હસ્તને શંખનેવિષે પ્રેરણા કરતો હવો. તે સમયે હું, તેના હસ્તને તરછોડી ઊચ્ચ શબ્દ કરી તે નૈમિકુમારપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો કે “હું કુમાર, આ તારા નિષ્ફળપ્રયાસે કરી શું ફળ પ્રાપ્ત થવાનું છે! જે પ્રયાસે કરી આ તારો હાથ, નિાસહિત ઉપહાસને માટે યોગ્ય થશે. આ શંખને ગ્રહણ કરવા માટે વિષ્ણુજ સમથૅછે; બીજો કોઇ એ શંખને ગ્રહણ કરવામાટે પણ સમર્થ નથી, તો પછી મુખવાયુએ પૂણૅ કરવા માટે બીજો કોઈ સમથૅ નથી, એમાં શું કહેવું” એ પ્રમાણે મેં તેનું નિવારણ કરડ્યું છતાં પણ બાહુપરાક્રમે કરી યુકત એવો તે નૈમિકુમાર, પાંચનન્ય રાખને હસ્તે કરી, જેમ ગીષ્મતુસંબંધી દાહે કરી તન્ન થયેલો હસ્તિ, સરોવરમધ્યે પ્રવેરા કરી પોતાની સૂંઢે કમળને ગ્રહણ કરેછે, તેમ ગ્રહણ કરતો હવો. તે સમયે બંધુકવૃક્ષના પુષ્પ સરખા સુંદર એવા પોતાના અધરોષ્ઠનેવિષે નેમિએ સ્થાપન કરેલો તે શંખ, રાતા કમળના પત્રનેવિષે ક્રીડા કરનારા રાજહંસ સરખો શોભતો હતો. પછી લીલાઝ્મ કરી જેના ગાલ ફૂલેલાછે એવા તે મિકુમારે, તે શંખ એવો વગાડચો કે જેણે કરી અમે સંપૂર્ણ ચોકીદારો પણ મૂર્છાને પામ્યા. ત્યાર પછી અનુક્રમે જેને ચેતના પ્રાપ્ત થઈછે એવો હું, આ તમારી પાસે આવ્યોછું. એવું શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરી તે ચારૂકૃષ્ણ ત્યાંથી નીકળી ગયો છતાં પછી શ્રીકૃષ્ણ, પૉતાના મનમાં એવું ચિંતન કરવા લાગ્યા કે “અમારા કુળનેવિષે એ નેમિ ચક્રાંતેજ ઉત્પન્ન થયો છે; એવું હું માનુંછું. કારણ, મેં પાંચજન્ય શંખ વગાડચો છતાં આવો નાદ કદીપણ થયો નથી. આ ભૂમિતળ વિષે સર્વ રાજાઓના વંશમધ્યે હરિવંશ એ કેવળ ભૂષણભૂત છે. જે હરિવંશ, આવા પ્રકારનાં તેજસ્વી મનુષ્યરત્નોએ કરી ભૂષિત છે.” એ પ્રકારે કરી શ્રીકૃષ્ણ, પોતાના મનમાં વિચાર કરતા છતાં સંપૂર્ણ જગનું મન હરણ કરનારો, અને પ્રપંચનેવિષે અનુત્સુક એવો તે તેમિકુમાર પણ સભાનેવિષે પ્રાપ્ત થતા હો. તે સમયે જેમને બંધુપ્રિય છે એવા, અને નમ્રતાએયુકત એવા શ્રીકૃષ્ણ, પૂર્વ કાંઇ ન જાણ્યા સરખા સ્વભાવે તે તેમિકુમારને સંપૂર્ણ વૃત્તાંત પૂછતા હવા. શ્રીકૃષ્ણ-હે ભ્રાત, ભૂગોળને મહાત્વરાએ શ્રમણ પામવાનું કારણ એવો પરાક્રમસૂચક જેનો મહોટો શબ્દછે, એવા એ શંખને તેં વગાડચો કે શું! એવું શ્રીકૃષ્ણનું ભાષણ શ્રવણ કરી પોતાના શિરને હલાવવે કરીનેજ જેણે પ્રત્યુત્તર દીધોછે, એવા તે નૈમિકુમારપ્રત્યે ફરી, પ્રત્યેક અવયવનેવિષે જેમને મહોટાં સ્થૂળ રોમાંચ પ્રાપ્ત થયાંછે, એવા તે શ્રીકૃષ્ણ ભાષણ કરતા હુવા. શ્રીકૃષ્ણ—હે ભ્રાત, અન્ય રાજાઓની વાતતો એક કોર રહી, પરંતુ મહાપરાક્રમી એવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy