________________
==
હે નેમિ-હે માતા, જેઓનાં ચિત્ત કપટનેવિ કાળ છે એવીઓ, અને દુ:ખની કેવળ ખાણ, ને S એવી તે રાજીમતી સરખી તુચ્છ સ્ત્રીઓ, કેવળ ગહન વિષે આસકત હેનારા પુરૂષને ગમે છે, જે છે પરંતુ મારા સરખાને તે ગમતી નથી. અને જે સ્ત્રીઓ નિર્દોષ અને મિત્રતાઓયુક્ત હોઇને
સર્વ મનોરથનું કેવળ ઘર,અને સદાનંદરૂપ અમૃતની નદીઓ એવી છે, તેઓ મારા હૃદયને કોS
અતિશય ગમે છે; એ માટે એવીઓ તે સંપૂર્ણ સ્ત્રીઓને, વિવાહકાળ પ્રાપ્ત થયો છતાં હું તમારી ની આજ્ઞાએ વરીશપરંતુ તે વાત બનવાને કાંઇ યોગ્ય કાળ જોઈએ. માટે તે કાળની પ્રતીક્ષા કરનારાં તમે તે કાળની વાટ જુઓ.
એ પ્રમાણે અતિશય આર્જવ કરી પોતાનાં માતપિતાના મનનું સમાધાન કરવું. ત્યારપછી તે તે નેમિકુમાર સાધુના આચરણ કરી કેટલાક કાળને નિર્ગમન કરાવતો હો. પછી એક સમયે રાજકીય કારણને માટે શ્રીકૃષ્ણ સભામાં બેઠા છતાં અકસ્માત સર્વ શબ્દોને એકત્ર પિંડ થયો હોયના! એવો મોટો વિનિ ઉત્પન્ન થતું હશે. પ્રાસાદના શિખરની પંક્તિઓને નીચે
પડવાને જે શબ્દ-તે શબ્દ કરી યુક્ત અને હાહાકારે કરી વદ્ધિ પામેલો, એવો તે શબ્દ-સ્વર્ગ ( અને ભમિ-એ બંનેને મધ્યભાગ જે આકાશ-તેની કુક્ષિને પૂર્ણ કરનાર થયે. અર્થાત તે છે (0 શબ્દ કરી સંપૂર્ણ આકાશ વ્યાપ્ત થઈ ગયું. તે સમયે તે શબ્દ કરી ભડકેલા હસ્તિઓ, લીલાએ )
* બંધનસ્થંભને ઉન્મલન કરી જ્યાં ત્યહાં ભ્રમણ કરવા લાગ્યા; અને અશ્વશાળાથી અો પણ 1 તે પોતાનાં સંપૂર્ણ બંધનને તોડીને ત્રાસ પામવા લાગ્યા. તે સમયે સમુદ, ક્ષોભ પામેલા એવા જ
ચંચળ તરંગરૂપ પોતાના જે બાહુઓ-તેણે કરી, કંપાયમાન એવા દ્વારકાના કોટન, ઘણું કાળસુધી એક ઠેકાણે સાથે રહેવાથી વદ્ધિ પામેલી જે મૈત્રિ-તેણે કરીને જ જણે હોયના! તેમ અત્યંત આલિંગન કરતે હવા; એવું ભાસવા લાગ્યું. તે સમયે બળરામ અને શ્રીકૃષ્ણ પણ અતિ સંબ્રાંત થયા છતાં, સંપૂર્ણ સભા સંબંધી પુરુષો પણ, જેઓને મૂચ્છ પ્રાપ્ત થઈ છે એવા હોતા થકી
ભૂમિ ઉપર પતન પામતા હવા. તે સમયે શ્રીકૃષ્ણ પણ ક્ષોભે કરી અને વિસ્મયે કરી એવું ચિTY તન કરવા લાગ્યા કે “આ કોઈ વજપાત થયો, કિંવા પ્રલયકાળના મેઘને શબ્દ થયો, કિંવા સં- B
પૂર્ણ લોકવાર્તાને બંધ કરનારો એવો આ પાંચજન્ય રખને શબ્દ થયો!!! પરંતુ આ પાંચજન્ય શંખને શબ્દ ન હોય. કારણ, એ પાંચજન્ય શંખ, ગાવિંદવિના બીજા કોઈએ વગાડશે જ . નથી. એવા ર્ક કરી શ્રીકૃષ્ણ વ્યાપ્ત થયા છતાં આયુધગ્રહનું રક્ષણ કરનારે ચારૂકૃષ્ણ નામક )
કોઈએક પુરૂષ, તતક્ષણ શ્રીકૃષ્ણની પાસે આવીને તે શ્રીકૃષ્ણને વંદન કરી પ્રાર્થના કરવા લાગ્યો. કુ, ચારૂકુણ—હે દેવ, કુમારોના સમુદાયે વેરિત થએલો એ નેમિકુમાર, તમારા આયુ- 5 Qિ) ધગૃહવિષે તમે જેમ પ્રવેશ કરે છે, તેમ આજ પ્રવેશ કરતો હતો. પછી તે નેમિકૂમારે ત્યાં હું
=
SSRો .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org