SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ * ભીષ્મમનિન્હે યુધિષ્ઠિર, તને પૂર્વ રાજયને માટે યોગ્ય એવો અર્થ પુરૂષાર્થ હું કથન ની કરતો હતો. કારણ, અર્થ પુષ્ટ થયો છતાં તે રાજાના સર્વ ઉપક્રમની સિદ્ધિને માટે થાય છે. હે ? રાજન, આ પર્વ કહેલો પ્રકાર તો મુનિએ કહેવા માટે યોગ્ય નથી; એ માટે સાંપ્રતકાળે તારી પ્રત્યે ધર્મ અને મોક્ષ એ બે પ્રકારનું વર્ણન કરું છું. દાન, શીલ, તપ અને ભાવ,-એવા ચાર પ્રકારના 5 ધર્મ કહ્યા છે જે ધર્મ ચારેવર્ણોને કલ્યાણકારક થાય છે. તે મધે સ્વર્ગ અને મોક્ષ-એઓનું બીજ દાન છે તે દાન ત્રણ પ્રકારનું છે. જે દાને કરી સન્માર્ગે ચાલનારા ગૃહસ્થોએ પણ આ ભ( વસમુદ તર જાય છે. તે દાનના ત્રણ પ્રકાર છે તે હવે તને કહું છું. મૃત્યુથી ભય પામેલા એવા જે (1) પ્રાણીઓ તેઓને અભયદાન કરી જે તૃપ્ત કરનારું, અને સંપૂર્ણ કમેનું નિર્મૂલન કરનારું એવું કે જે સર્વટદાન તે પ્રથમ પ્રકારનું દાન જાણવું પ્રાણી માત્રને જે રત્નાવલિ દીધી હોય તો પણ ? તે પ્રાણીને સર્વથી અભય દીધું એવા ત્રણ અક્ષરોની પંકિત જેવી આનંદની તૃતતા ઉત્પન્ન કરે છે, તે તેવી રત્નાવલી તૃપ્તતાને ઉત્પન્ન કરતી નથી. તત્વાર્થની સિદ્ધિને માટે આગમાદિક યોગ્ય ગ્રંથને જે કો અભ્યાસ-તેને કરનારા સાધુઓની જે સહાયતા કરવી, તેને બીજું જ્ઞાનદાન કહીને મોટા પુરુષોએ હુ વર્ણન કરડ્યું છે. જે જ્ઞાનરૂપ દીપકે કરી ધન્ય એવા પુરૂષએ અંતરંગ અજ્ઞાનસમુહને ખંડન કો જાય છે. જે વસ્તુ દીધી છતાં સાધુનો સંયમ સિદ્ધિને પામે છે, તેમાં મૂળ કારણ છે એત્રીજું ( દાન છે એમ અહંત ભગવાને કહેલું છે. એ માટે ઈચ્છારહિત, અને જેને પ્રીતિએ કરી રોમાંચ પ્રાપ્ત છે થયછે; એવા કુશળ પુરૂષે કર્મનો ક્ષય થવા સારું સુપાત્રપુરૂષોને યોગ્ય વસ્તુનું દાન કરવું. એમ સુપાત્ર પુરૂષને દાન કરવું, શુરૂને સમાગમ કરો. અને આ ભવસમુદવિષે બોધીને લાભ થવો, એ ત્રણવાનાં જેને પ્રાપ્ત થાય તેના જન્મનું સફળપણુ જાણવું. હે યુધિષ્ઠિર, સંપત્તિ સૌભાગ્ય, આરોગ્ય, આજ્ઞા. ઐશ્વર્ય, ગુણોન્મતી અને સ્વીકાર કરવા માટે યોગ્યપણુ-એ સર્વ દાનરૂપ કલ્પવૃક્ષનાં પલ્લવો છે. દેશથી અને સર્વથી વિરતી થવી તેનેજ શોલ એવું કહે છે; જે શીલે કરી અનેક સ્ત્રીઓ પણ સંસાર સમુદને પાર ઉતરનારીઓ થઈ. પાપે કરી પુષ્ટ થએલા એવા પામપુરૂષો પણ દાનને તો દે છે, પરંતુ ઉત્તમ પ્રકારનું શીલવ્રત પાલન કરવા માટે કોઈ પણ સમર્થ થતો નથી. સુજ્ઞપુરૂષોએ બાહ્યતા છ પ્રકારનું કહ્યું છે અને અંતરંગતપ પણ પ્રકારનું કહ્યું છે. કર્મના મર્મનું છેદન કરનારા સાધનોમ તપ એજ એક મુખ્ય સાધન કહેલું છે. અહિંયાં લૌકીક કાર્યોમાં ૩. પણ ઘણા પુરૂષોના મનોરથની સિદ્ધિ થવા માટે તપ સમર્થ થાય છે. એ વિષે તે તેજ જ્યદ્રથ એ દાંત એવું છે. જે કારણ માટે પૂર્વ તમે દૈતવનમાં છતાં જ્યદ્રથ દ્રૌપદીનું હરણ કરતે હવે તે સમયે એ દુષ્ટ જ્યદ્રથ તમારાથી પરાભવ પામી તમારો વધ કરશે એવી ઈચ્છાએ ઘણા કટ યુક્ત તપને આચરતો હશે. તે તપ કરી સંતુષ્ટ થએલો એવો કોઈએક દેવતા, તે જ્યદથપ્રત્યે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy