SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૫ છે. જે રાજાઓ, તેઓ હાર સરખા ભમિની ભૂષણતાને પામે છે. પથ્વીપતિરાજાઓને તો પ્રજાનું પાલન SS કરવું એજ અલંકાર છે, મુકુટ, કપડાં અને પાઘડીઇત્યાદિકે કરીને તે કેવળનટ પણ ભષિત કરયા જાય છે. છે એ માટે વિશેષ જાણનારો, બીજાએ કરેલા ઉપકારને જણનારો, ગુરૂ અને દેવ-એ વિષે જે ભ- . તિમાન, અને ઉન્મત્તતથા કપટી-એઓએ જે ન ગાએલો એવો જે રાજ-તે સમુદવલયાંકિતપછ વીનું પાલન કરે છે. ગુરુની સેવા કરવી, ગુરૂએ કરેલી આજ્ઞાનું ગ્રહણ કરવું, પુરૂષોને સંગ્રહ કરવો, ' અને શૌતથા ધર્મ-એ પાંચ પ્રકારરાજ્યલક્ષ્મીરૂપ વહીને વૃદ્ધિ પમાડનારા મેધજ છે. આપત્તિએ છે ( વ્યાસથએલા પુરૂષની આપત્તિ દૂર કરવી, શરણાગતનું રક્ષણ કરવું, દાન કરવું, અને પ્રજનેવિષે પ્રીતિ ) ઈિ રાખવી-એ ચારછે તે લક્ષ્મીરૂપ નૌકાને સ્થિર કરવા માટે ઉત્તમ સાધનરૂપ છે. દાને કરી, ક્ષમાએ જ ક કરી, અને શકિતએ કરીને રાજાએ પોતાને પ્રજાપાલનગુણ રક્ષણ કરવો. પ્રજાના પાલનનેવિષે - તર પડ્યું છતાં તેણે કરી રાજાઓને નાશ થાય છે; અને ઉત્તમ પ્રકારે પ્રજાના પાલનને સંગ્રહ ર થય છતાં રાજાઓને વિજ્ય થાય છે. દીનપુરૂષના આકંદનરૂપ મિષે કરી સંપત્તિજ રાજને ડાંગ શાપ છે; એ માટે લોકોને પીડા દઈને રાજાએ લોકો પાસેથી દિવ્ય ગ્રહણ કરવું નહીં. અને હક રાજરૂપ જે કલ્પવૃક્ષ તેણે યાચકોની આશા કદી પણ વિફળ કરવી નહીં કારણ આશારૂપ પા- ) શના સરખું મનુષ્યના ચિત્તને આકર્ષણ કરનારું બીજું કાંઈ નથી. એ માટે કોઈની પણ આશા ) ( વ્યર્થ કરવી નહીં. રાજઓની સંપત્તિ છે તે ભેગું કરી, દાને કરી, માનસિક ચિંતાએ કરી, અને તે રોગે કરી નાશ પામતી નથી, પરંતુ પ્રજાના સંતાપે કરી ઉત્પન્ન થએલા શાપે કરી નાશ પામે છે. જી, મધુર બોલનાર એવા કપટીપુરૂષોએ રાજાની લક્ષ્મી નાશ કરી જાય છે; અને રાજાએજ અત્યંત વધારેલા એવા જે સેવકો, અમર્યાદ એવા જે રાજ્યમાં વ્યવસ્થા રાખનારા રાજના જે પ્રિય મિત્રો, અને સંપૂર્ણ દેશ, ગ્રામ એઓનું સર્વસ્વ ગ્રહણ કરવા માટે ઈચ્છાધારણ કરનાર જે સ્વછે તેઓએ કાઇપ એટલે શરીરને વિષે રહેનારી ઇંદિઓએ જેમ આત્માનંદનો નાશ કરે જાય S કિ છે, તેમ રાજાની રાજ્યસંપત્તિને નાશ કર્યો જાય છે; અને રાજાને પણ નાશ કર્યો જાય છે ) કારણ જેને તીવદંડ છે એવો, અને પ્રજાનું રક્ષણ ન કરનારો એ જે રાજ-તેને કલાકૌ* શલ્યાદિક ગુણરહિત હોઈને કેવળ કલહે કરી ફરસ્વભાવ ધારણ કરનારા લોભી પતિને સ્ત્રી . જેમ ઈચ્છતી નથી તેમ પૃથ્વી ઈચ્છતી નથી. હે ભીષ્મપિતામહમુને, એવો તમે મને હદયને ગમત ઉપકૅશ પૂર્વ કર્યો હતો. સાંપ્રતકાળે પણ હે પ્રભુ, તેવાંજ હિતકારક કાંઈક ઉપદેશવચને કહે. એવી ધર્મરાજની વિજ્ઞાપને સાંભળીને ભીષ્મપિતામહમુનિ, તે ધર્મરાજાનવિષે પોતાની છે દૃષ્ટિ સ્થાપન કરતા થકા આનંદપૂર્વક ભાષણ કરવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy