SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ છે નેજ પ્રણના અંતને પમાડવો” એવાં આગમનાં રહસ્યો છે તે અન્યથા નથી “એ વિચાર & કરનાર શ્રીકૃષ્ણ, વધ કરવા માટે યોગ્ય એવા તે જરાસંધનો શિરચ્છેદ કરવા માટે જેની કાંતિનો ? સમુદાય પ્રસાર પામેલો છે, એવા તે ચક્રને લીલાઓ કરી શીલ છોડતા હતા. તે સમયે જવાલારૂપ જરા યુકત એવા તે ચકે, મહાવેગે કરી જરાસંધ પાસે આવીને કિરિટ કુંડળો સહિત તેના મસ્તકને કમળના છેદ સરખું છેદન કર્યું. તે સમયે કરેલું જે સ્વામિકાર્ય-તેણે કરી જેને અતિશય તેજપ્રાપ્ત થયું છે, એવા તે ચક્રે કરી શ્રીકૃષ્ણની પાસે આવી તે શ્રીકૃષ્ણને હાથ શોભાવ્યું. તે સમયે સર્વ ગતના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારા શ્રીકૃષ્ણના બળને અવલોકન કરનારા દેવના આનંદ કરી નીકળનારા અણુઓની નદીઓ વહેવા લાગી અને તે દેવોએ એવી સ્તુતિવાણી ઉચ્ચારી કે “મોટો સ્કુરણ પામનારી જે કીર્તિ-તેણે કરી સુગંધરૂપ, અને સર્વ શત્રુઓનો નાશ કરવા માટે એ સમર્થ, એવો આ નવમો વિષ્ણુ ઉત્પન્ન થયો છે. એણે પૂર્વ કંસનો નાશ કરો, વારકાનગરી વસાવી, કે અને સાંપ્રતકાળે આ જરાસંધને વધ કર. આ શ્રીકૃષ્ણનું કોઈપણ ચરિત્ર mતને આશ્ચર્ય કર- કોડ નારું નથી એવું નથી.” એ પ્રમાણે પરસ્પર ભાષણ કરનાર દેવોની સભાથી તે સમયે શ્રીકૃષ્ણને વિષે તે સભાનો આનંદ પ્રગટ થયે હોયના! એવી પુષ્પ વૃષ્ટિ થવા લાગી. તે સમયે શ્રીકૃષ્ણના વિજયને પ્રશંસા કરનારા ત્રણે લોકનેવિ રહેનાર લોકોએ મહા હર્ષે કરી દુંદુભિના શબ્દ શબ્દાદૈત વિસ્તાર કર્યો. પછીરોધન કરેલા લક્ષાવધિરાજાઓને અરિષ્ટનેમિએ સિંહે અવધનકરેલા જ હરણોને શારભે જેમ મુક્ત કરવા જાય છે તેમ મુકત કા. તે સમયે જેઓને આનંદ નષ્ટ થયો છે, અને જેઓનાં શસ્ત્ર તથા પરિવાર કો ઉચ્છેદ પામ્યાં છે, એવા પોતાને જોઈને તે રાજઓ લજજાએ કરી મલિન થએલા મુખને ધારણ કરતા હવા. ત્યાર પછી તે રાજાઓ “શ્રીકૃષ્ણથી જરાસંધને વધ થ” એવું સાંભળી જેઓએ હસ્ત જોડ્યા છે એવા તેઓ-સમુદવિજ્યને પુત્ર જે મિરાજ-તેને પોતાની પ્રાર્થના નિવેદન કરતા હવા; કે “હે નેમિરાજન, જેઓનું સામર્થ્ય શ્રીકૃષ્ણ કુંઠિત કર્યું છે, 5) એવા શત્રુઓ નાશને કેમ ન પામે વારં? જે શ્રીકૃષ્ણનો, શગુરૂપ તૃણનો દાહ કરનારે દાવાનળજ છે હોયના! એવો તું બાંધવ છે. રાજાઓનું કેવળ મત્યુજ એવા આ યુદ્ધવિષે શ્રીકૃષ્ણની સાથે પરાક્રમ કરીને અમે કાંઈ ઉગરવાના છે એ? અર્થાત, અમે ઉગરવાના નથી. એ માટે મૈલોક્યનું છે. રક્ષણ કરનારા જે શ્રીકૃષ્ણ-તેમનો પ્રિય મિત્ર જે તું-તેની એવી પ્રાર્થના અમો કરીએ છે કે, કે Sછે લક્ષ્મી એજ કોઈ એક ભ્રમરી–તેનું રમણ સ્થાન એવા કુંદપુષ્પસરખા જે મુકુંદ-તેનાથી તું અમોને રક્ષણ કરવા માટે યોગ્ય છે. અન્યથા તે શ્રીકૃષ્ણ ક્રોધાયમાન થયા છતાં અમારૂ ઊગરવું કેમ થશે? એવી તે રાજાઓએ પ્રાર્થના કરી છતાં મિરાજા “હું તમારું રક્ષણ કરાવીશ” એવું છે તેઓને પ્રતિ વચન દેઈ, તે રાજાઓએ સહવર્તમાન શ્રીકૃષ્ણની પાસે આવ્યો. તે સમયે તેનેમિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy