SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ લોકન કરવાછે; અને આપના સૈન્યમાં તો કેવળ તમે એકજ અતિરથિછો, અને જે અન્ય રાજાઓછે, તે પણ તમારા આ!ત્મસંબંધી નથી. જેમ વૃક્ષનો પત્ર પુષ્પાદિક ભેદ સ્વકીય છે; કારણ, તે પત્ર પુષ્પાદિક, વૃક્ષની સાથેજ ઊદ્દય અને નાશ પામેછે. અને ભ્રમરાદિક તો વૃક્ષ ઊપર દેખાય તોપણ તેઓ બાહારથી આવેલા અને લોભે કરી વૃક્ષનું સેવન કરનારા છે, તેમ બળરામાદિક છે તે શ્રીકૃષ્ણના સ્વકીય, વૃક્ષના પત્ર પુષ્પ સરખા છે; અને તમારી પાસે પ્રાસ થએલા રાજાઓ-તમારૂં સેવન કરનારા ભ્રમરાઓ સરખા લોભીઓછે. હું દેવ, તમે તો પૂર્વ વિષ્ણુના ષડ્ગણેશ્ર્વર્યંનું નિપુણપણુ પોતેજ જાણ્યુંછે. કારણ, પૂર્વે તમારો જામાત્ર જે કંસ-તેને મારીને તે વિષ્ણુ, મથુરાંથી પલાયન કરતો હવો. તે એમ કે સૈન્યનો સમુદ્ર એવા તમોએ, મથુરા નગરીને ઘેરો ધાલ્યો છતાં તમારી સાથે યુદ્ધુનેવિષે “આપણું રક્ષણ કરનાર કોઇ નથી” એવું જાણીને તમારા સૈન્યસમુદ્રમાં નિમગ્ન થનારો વિષ્ણુ-તમને મહા બળવાન જાણીને અને “આપણ અબળ છેએ” એવું જાણીને પલાયન કરતો હશે. આગળ સમુદ્રની પાસે દેવોએ નવીન નિર્માણ કરેલી એવી દ્વારકાનગરીને પામીને “આપણું જૈવ આપણને અનુકૂળ છે” એવું જાણતો હતો. સાંપ્રતકાળેતો તે વિષ્ણુ, મહાશૂર એવા કોટચાવધિ પુત્રોને પામીતે અને નેમિનાથ જે બાંધવ-તેને પામીને તમારી સાથે યુદ્ધ કરવામાટે શ્રેષ્ટત્વ પામ્યોછે, એ માટે સાંપ્રતકાળે તમોને, સૈન્યે કરી અને ન્યાયે કરી યુક્ત થએલા એવા તે શ્રીકૃષ્ણનો પરાભવ અસાધ્યુંછે. એ માટે સાંપ્રતકાળે આ યુદ્ધનો આરંભ ભારતાઢું દેશને ઉત્તરોત્તર શુભ ફળ દેનારો થનાર નથી, એ માટે હું સ્વ:મિનૂ તમે પોતાના મનમાં વિચાર કરી આ યુદ્ધનૅવિષે દુરારંભથી શીવિરામ પામો; અને તમને ધણા દિવસ યુદ્ઘનૅવિષે પૂર્વે ન પ્રાપ્ત થઐલ. પરાભવ, સાંપ્રતકાળે, પ્રાપ્ત ન થાઓ. એ પ્રમાણે જે વિષે શત્રુનું પરાક્રમ વર્ણન કરશું છે, એવી તે સોમકદૂતની વાણી શ્રવણ કરી જેનાં નેત્રો ક્રોધે કરી આરક્ત થયાંછે એવો જસંધ રાજા ભાષણ કરતો હવો. જરાસંધ -ઊંહ!! હે સોમક, તું પણ તારી પોતાની જીભને પોતાને વશ નહી રાખીને આવી ખડ ખડ કરેછે? ભારતાÊપતિ એવો જે હું-તે કાં? અને ગોપરૂપ સમુદ્ર વિષે રહેનારો તે કચ્છપ સરખો શ્રીકૃષ્ણ કચાં! સિંહના કરતાં શીયાળનો ઉત્કર્ષ વર્ણન કરતો થકો તું લિજ્જત થતો નથી શું? આ હું સાંપ્રતકાળે તે ગોપાળનું ઉન્મૂલન કરી સંપૂર્ણ પૃથ્વીને નિષ્કંટક કહ્યું. એ પ્રમાણે તે દૂતની નિંદા કરી પ્રતિ શત્રુને કાળ સરખો ભયંકર તે જરાસંધરાજા, યુદ્ધનેમાટે પ્રયાણ કરવા સારૂ પોતાની સેનાને આજ્ઞા કરતો હવો. ત્યારપછી જેને શત્રુથી દીનપણુ પ્રાસ થયુંછે એવા તે જરાસંધના સૈન્યથી શ્રીકૃષ્ણના દૂત પાછા આવીને શ્રીકૃષ્ણને એવું કહેવા લાગ્યા. દૂત-હે દેવ, તમારો શત્રુ જે જરાસંધરાજા-તે ગવૅકરીને જેનું બાહુબળ વૃદ્ધિ પામ્યું છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy