SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ તે જરાસંધ પણ મહાત્વરાએ આવે. એવું કહીને શ્રીકૃષ્ણ, તે દૂતને પાછો મોકલતા હવા. તે ન સોમદત પણ પૃથ્વીપતિ જે જરાસંધ-તે પ્રત્યે આવીને વિજ્ઞાપના કરતો હો. સોમક–હે દેવ, તમારે સંપૂર્ણ નિચેપ (સંદેશ) મેં કૃષ્ણને કહ્યો. એવું તે દૂતનું ભાષણ સાંભળી જરાસંધ ભાષણ કરવા લાગ્યો. હે સોમક, હું તને કાંઈ પૂછું છું, 5 છે તેનો તું પ્રત્યુત્તર દે. તે ગોપ કૃષ્ણ, કવે સ્વરૂપ છે? તેનું બળ કેવું છે અને તેનો ન્યાય કેવો છે? હું એવું જરાસંધનું ભાષણ સાંભળી તે દૂત પણ બોલવા માટે આરંભ કરતો હો. સોમક–હે પ્રભુ, જેવું મેં જોયું તેવું હું તમને કહ્યું. તે તમે સાંભળ-દેવો પણ જે , ઈશ્રીકૃષ્ણનાં દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે તે શ્રીકૃષ્ણ, મૂર્તિમાન શૂરપણુજ જ Tી હોયને! અથવા દંડધારી ઉત્સાહ જ હોયને! અથવા અનંગ એટલે જેને અંગ નથી એવો છે ? કામદેવ, તેજ મૂર્તમાન પ્રગટ થયો હોયના! એવો છે. તેના દર્શન કરી તેના શત્રુઓ, અને ધી તે શત્રુઓની રી-એઓને પગ પગને વિષે દેહનું ભાન સુદ્ધાં ભુલાવનાર એવા મહાકંપ 4) ઉત્પન્ન થાય છે. વળી જેની ચતુરંગ સેના એવી છે કે, એના જેવી ચતુરંગ સેના ધારણ કરનારો બીજો કોઈ રાજ નથી. એવા રાજાઓની વાતતો એક કોરે રહી, પરંતુ એના જેવી ચતુરંગ સેના ધારણ કરનાર કોઈ દેવ પણ નથી. કારણ, તે કૃષ્ણનું થોડું સૈન્ય છતાં પણ તે સૈન્યનેવિશે સંપૂર્ણ વિશે એક કુળમાં ઉત્પન્ન થએલા હોઈને મહારાર છે. વળી એ કૃષ્ણનો કનિષ્ટ બંધુ છે અને સમુદવિજ્યનો પુત્ર જે અરિષ્ટનેમિ ભગવાન છે, તે શત્રુઓરૂપ રાજાઓને કેવળ અરિષ્ટ- ૨ જ છે. તે અરિષ્ટનેમિનું પરાક્રમ હું શું તમને કહું! જે સહજ લીલાએ કરી પોતાના બાહુદંડના શિખરને વિષે સંપૂર્ણ પૃથ્વીને પણ છત્ર સરખી ધારણ કરવાને પણ સમર્થ છે. તે કૃષ્ણ અને રાષ્ટ્ર અરિષ્ટનેમિને વડિલબંધુ જે બળદેવ નામે પ્રખ્યાત છે, તે યુદ્ધાગણવિષે સંપૂર્ણ શત્રુઓને નાશ કરનાર સુભટોમાં અત્યંત શ્રેષ્ઠ છે. હે પ્રભો, એ પ્રકારે કરી તમારો શત્રુ જે શ્રીકૃષ્ણ–તેની સેનાનેવિષે શ્રીકૃષ્ણ, સમુદવિજ્ય અને બળ ભદ-એ ત્રણ અતિથિઓ છે અને એ ત્રણથી (6) ઉત્પન્ન થએલા કોડ્યાવધિ મહારથિઓ છે. વળી સાંપ્રતકાળનેવિષે શ્રીકૃષ્ણનો ઉપકાર જાણુ- નાર અને મહા પરાક્રમી એવા જે પાંડુપુત્રો-તેઓ પણ પોતાના પ્રાણ કરીને પણ તે શ્રીક- છે. શુનું પ્રિય કરવા માટે ઈચ્છા કરે છે. આકાશને વિષે રહેનારા ચંદ સૂર્ય જેમ અન્ય તારાઓના હ SY તેજને સહન કરી શકતા નથી, તેમ શ્રીકૃષ્ણના સૈન્યનેવિષે રહેનાર ભીમસેન અને અર્જુન-તેઓ રે યુદ્ધવિષે શત્રુઓના તેજસ્વીપણાને કેમ સહન કરશે? અર્થાત્ શત્રુઓના તેજને ન સહન કરતાં તેઓને સંહાર કરશે. કારણ પૂર્વપણ કૌરવાન્ટિકોના યુદ્ધવિષે ઉત્પાત વાયુ સરખો જે કીચક ) વૈરી ભીમસેન-તેણે આકાશને વિષે ધૂળના સમુદાયના પ્રક્ષેપ સરખા ઊરાલા કૌરવો અમે અવ- માટે ૨ ૨ કિમ ર ળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy