SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ કરનારા પાંડવો પ્રત્યે શ્રીકૃષ્ણ ભાષણ કરવા લાગ્યા કે “હે વૈર્યયુકત પાંડવો, તમેને પણ શોકે કરી આ કંપારો પ્રાપ્ત થયો છે? અહો સુવર્ણવિષે મલિનતાની ઉત્પત્તિ થાય છે શું અહો જેઓએ છે સંસારનું તત્વજાણ્યું છે, એવા તમો પણ જ્યારે શોકનું અધિષ્ઠાન થાઓ ત્યારે નિશ્ચય કરી સૂર્ય પણ ન અંધકારનું અધિષ્ઠાન થશે!! અર્થાત સંસારનું તત્વ જાણનાર જે તમ-તેમને પણ જ્યારે એક પ્રાપ્ત થાય ત્યારે સૂર્યથી પણ અંધકાર ઉત્પન્ન થાય! એમાં શી નવાઇ? એટલે સૂર્ય જેમ અંધકારે યુકત થવા માટે કદીપણ યોગ્ય નથી, તેમ તમે પણ નાશવંત વસ્તુનો શેક કરવા માટે કોઈપણ ( યોગ્ય નથી. તમારું સંપૂર્ણ સૈન્ય રાત્રીનવિષે નિદિસ્થ છતાં અશ્વત્થામાદિકનું એ સાહસકૃત્ય ) છે. પ્રાપ્ત થશે, એવી હું મનમાં સંભાવના કરી તમોને બળરામના શાંત્વનને માટે અમારી સેના પ્રત્યે આણતો હવે. “પિતા જે દ્રોણાચાર્ય અને સ્વામિ જે દુર્યોધન–એઓનો તમે વધ કર-એ ફોધ કરી એ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, રાત્રીનવિષે શ્રમ પામી સેનાને વિષે નિદિસ્થ થએલા એવા તમોને નિશ્ચય કરી જે મારે, તો આટલો બધો કરેલો સંપૂર્ણ આરંભ નિષ્ફળ થશે એવું જાણીને મેં તમને અહીંયાં આણ્યા. તમે કુરાળ છતાં પુત્રો તો, જેઓની ઉત્પત્તિ ન પ્રાપ્ત થનારી છે એવા નથી. અર્થાત તમે જીવતા છતાં આગળ પણ પુત્ર થવાનો સંભવ છે; એ માટે આ છે ( શોકનો ત્યાગ કરી વેગે કરી પોતાની સેના પ્રત્યે તમે ગમન કરે એટલે પુત્ર અને ભાઈઓ-એ- ) ( ઓના વધે કરી દુઃખિત થએલી એવી દ્રપદીને સારી રીતિએ આપણ શાંત્વન કરીએ. જો એવી શ્રીકૃષ્ણની વાણીએ કરી તે પાંડવો, શોકને શિથિળ કરી જેનેવિષે ઇમામ આકંદ પ્રાપ્ત થયો છે, એવી પોતાની છાવણીપ્રત્યે આવતા હવા. ત્યાં ભૂમિનેવિષે જે આળોટવું–વિષે તત્પર, મુખ આગળ વિખરાયલા જેના કેશ છે, અને અતિશય ઊંચ સ્વરે કરી આકંદન કરનારી એવી દ્રૌપદીને તે પાંડવો અવલોકન કરતા હવા. “ વણ, રામા, જોતા (માતાને વિષે જેઓનાં ચિત્ત છે એવા) મંદભાગ્ય એવી જે હં–તેનો અહિયાં ત્યાગ કરી તમે કયાં વારૂં ગયાં ઈત્યાદિક અનેક પ્રકારે કરી ઉચ્ચારેલા જે વિલા-તેણે કરી વિઠળ થએલી એવી જે દ્રષદનંદની, તે પ્રત્યે કંસારાતિ એવા જે શ્રીકૃષ્ણ-તે શાંત્વન કરતા હવા. શ્રીકણ– કલ્યાણિ તારા સરખી જે વીરપત્ની છે, તેનો આ શેકવિધિ કદીપણું યોગ્ય છે નથી. સાધારણ પુરૂષોની સ્ત્રીઓ છે તે શેક કરી વ્યાકુળ થાય છે, પરંતુ જે વીરસ્ત્રીઓ છે તેઓ યુદ્ધથી પલાયન કરનારા પોતાના પુત્રએ કરી લજિજત થાય છે; અને યુદ્ધવિષે મૃત્યુને પ્રાપ્ત થએલા અથવા શત્રુઓને જીતીને મૃત્યુના ઊāભાગે રહેનારા અર્થાત પિતાનું મૃત્યુ ચૂકવનારા છે એવા પુત્રોએ કરી આનંદ પામે છે. એ માટે તાર ધષ્ટદ્યુમ્ન અને શિખંડી-એબે બંધુઓ અને હો તે પાંચ પુત્રો ધન્ય છે; કારણ, કુળને વિષે કેવળ ભૂષણભૂત એવા જેઓએ યુફવિષે પોતાના જ کیے رکشے و ی کے Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy