SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ એવો આક્રંદ્રરૂપ શબ્દ ઉત્પન્ન થયો. પછી રાત્રીનેવિષે શીતળ એવા વાયુએ કરી ધણે કાળે તે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર–ચેતનાને પામી જેમણે દુ:ખાયુએ કરી તળાવ નિર્માણ કરડ્યું છે; અર્થાત્ જેને નેત્રોમાંથી અતિશય આંસુ વહેછે, એવાં તે બંને શોક કરવા લાગ્યાં કે,હાવસ યથ્લેટ, દા માનનિયેલન (માનનું કેવળ ધર) ૪ જુનો સહારામ (ગુણરૂપ વૃક્ષોનો ખાગ) Tા ડાયન ક્ષોનાì (અમારા અંત:કરણને આનંદનો આપનાર ક્ષીરસમુદ્ર સરખો) નાવજોત્તલ, (કૌરવકુળમાં શ્રેષ્ઠ) Tાનુવૅક વૃક્ષ, (ગુરૂનેવિષે અત્યંત વત્સલ) હૈં। નિ:સામાન્ય સૌન્ય, (મહા સુજનપણાવાળો) ઢા ટુામિાંવેમ, (જેનું પરાક્રમ શત્રુઓએ દુ:ખે કરી છત્યુંછે.) Tr કૃપાળવ:પૂવિતાાતિમંદ, (ખ રૂપ ઉદકના પૂવિષે જેણે શત્રુઓનાં મંડળો ભૂરાચાં છે) જ્ઞા નતાલિક મૂવામાંહિમાનિતમ, (નમ્ર એવા સંપૂર્ણ રાજાઓના મુકુટોએ જેનું પાદપીઠ પૂન્તિછે,) એવા હા દુર્યોધન, આ હું જે તારી માતા, તેને મૂકીને તું કચાં ગયો? શત્રુઓથી એ તને શું વારૂં અમંગળ મણ પ્રાપ્ત થયું? જે તારા અગ્રભાગનેવિષે ઇંદ્ર પણ તારી કૃપાનો પાત્ર થયો, એવો જે તું-તેને દૈવેકરી અહહ!!! શી વારૂં આ દશા પ્રાપ્ત થઇ? હેવીર, આજ તારૂં હરણ કરનાર જે આ દુરાત્મા મૃત્યુ; તેણે અંધ એવાં જે અમે બંને-તેમના હાથથી કેવળ આધારરૂપ જે લાકડી, તેજ હરણ કરી. અર્થાત્ અંધ એવાં જે અમે, તેમની તું લાકડીરૂપ હતો: હવે અમે કોના આધારે અમારી આજીવિકા કરશું! હુંવીર, સર્વે લોકોનો કેવળ ચંદ્રજ એવો જે તું, તે પરલોકનેવિષે નીકળી ગયો છતાં નિરાધાર એવા સેવકોરૂપ ચકોરોને કોણ વારૂં રક્ષણ કરશે? તાવિના આજ આ સંપૂર્ણ જ્ગત પણ અમોને શૂન્ય થયુંછે. શોકે કરી અંધ એવાં જે અમે–તેમને આ અંધકાર યુક્ત એવી રાત્રી અત્યંત દુ:ખ દેનારી થઈછે.” એ પ્રકારે કરી વિલાપ કરનારાં, ઊંચ સ્વરે કરી આક્રંદન કરનારાં, વારંવાર મૂર્છા પામનારાં, અને વારંવાર પોતાના વક્ષસ્થળને હસ્તે કરી અત્યંત પ્રહાર કરનારાં એવાં તે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ભૂમિતળનેવિષે આળોટતાં હવાં તે સમયે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર-એ બંનેને પુત્રરોકે કરી સંપૂર્ણ જગત વિષમય, અથવા અગ્નિમય, અથવા મૃત્યુમય થવા લાગ્યું. અર્થાત્, આ સર્વ જગ વિષરૂપ ભાસવા લાગ્યું, અગ્નિસરખું દાહ કરવા લાગ્યું અને મૃત્યુ સરખું મહા ભયંકર લાગ્યું. અહીંયાં શ્રીકષ્ણના નિવાસસ્થળનેવિષે કૃષ્ણની સાથે આવેલા પાંડવો બળભદ્રને પ્રસન્ન કરી મહાહર્ષે પોતાની સેનાપ્રત્યે જવા માટે જેવા નીકળ્યા, એટલામાંજ જેને ભીતિએ કરી કંપ પ્રાપ્ત થયો છે એવો, અને અશ્વત્થામાદિકોએ યુદ્ઘનૅવિષે જરજર કરેલો એવો સાત્યકિ, પાંડવોની પાસે મહાવેગે આવીને પાંચાળાદિકાના વધના વૃત્તાંતને કથન કરતો હવો. તે સમયે કર્ણસ્થાનનેવિષે કરવત સરખી મહા દુ:સહ એવી તે કઠોર વાણીને મહાત્વએ સાંભળીને અત્યંત શોક He Jain Educationa International ૧૧૮ For Personal and Private Use Only ૪૯ - www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy