SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ છે) કરતા હતા. ત્યારપછી દુર્યોધનના શ્વાસોશ્વાસરૂપ ધુમાડાએ કરી મિશ્રિત થએલી એવી દિશાઓફૂપ છે સ્ત્રીઓના મુખનેવિશેજાણેકસ્તુરીની નિર્માણ કરેલી પત્રરચનાજ (પીઅળ)ોયના એવી અંધકારની જ છટા ઉત્પન્ન થતી હવી. તે સમયે દુર્યોધનની વારંવાર પ્રાપ્ત થનારી મૂર્છાએ કરીને જ જણે ઈ હોયના!એવો સહઅઘણો જે વિષે અંધકાર છે એવી તે રાત્રી, દુર્યોધનના નાના પ્રકારના મનમાં રહેનારા દુઃખની સહવર્તમાન પ્રસાર પામતી હતી. અર્થાત તેણી જેમ જેમ વૃદ્ધિ પામવા લાગી, છે તેમ તેમ દુર્યોધનના મનનું દુઃખ પણ વૃદ્ધિ પામવા લાગ્યું. ત્યારપછી કતવમાં, કૃપાચાર્ય અને આ છે અશ્વત્થામાએ ત્રણે જણ તેવી દુખસ્થિતિને પામનાર તે દુર્યોધનની પાસે આવીને ક્રોધ કરી છે સદ્ગદિત એવું ભાષણ કરવા લાગ્યા; કે “હે મહારાજ! સંપૂર્ણ અભિમાની પુરૂષોનો દેવ તું જ છે. કારણ, આવી સ્થિતિ પ્રાપ્ત થઈ છતાં પણ તેં શત્રનેવિષે દીનપણુસ્વીકાર્ય નથી. અર્થાત છે , પ્રાણહરણ કરવા લાગ્યા છતાં પણ “હવે મારો પ્રાણ હરણ કરશો નહીં, હું તમને તમારું ર. રાજ પાછું ઊંછું.” એવું પ્રાણની આશાએ દીનતાયુક્ત ભાષણ તે કર્યું નહીં. અમે તો તા ) (કરેલા ઉપકાર ન જાણનારા) પુરૂષમ ધુરંધર હોઈને કર્મચાંડાળ છે. કારણ, અમારા દેખતાં છતાં શત્રુઓએ તને આવી દશા પ્રત્યે પમાડો છે; પરંતુ સાંપ્રતકાળે આ અરણ્યવિષે વડવુંક્ષની નીચે તે વૃક્ષના પોલમાં રહેનારા અમોએ શત્રુઓને નાશ કરવા માટે મોટી યુકિત જોઈ ) છે; તે તને કહીએ છએ. તે વડવૃક્ષને વિષે અંધકારમાં ઊંધી ગએલા કાગડાઓના સમુદાયને, રાત્રીનવિષે જેની ચ ઇંદ્રિય અતિ ચતુર છે; અર્થાત રાત્રીનવિષે જે ઘણું સૂઝે છે, એવા એક ઘુઅડપક્ષીએ ત્યાં આવીને તતક્ષણ મારી નાખ્યા. તે જોઈને સંતુષ્ટ ચિત્ત થએલા એવા અમોએ એવો નિશ્ચય કર્યો કે, આ ઘુઅલ એકલે છતાં પણ આ રાત્રિીકાળનો આશ્રય કરી સંપૂર્ણ - કુરૂપ કાગડાઓને મારે છે; એ માટે આપણે પણ તેજ પ્રકાર સ્વીકારવો. કારણ, સાંપ્રતકાળે આ રાત્રીનવિષે સંપૂર્ણ પાંડવો યુદ્ધથી પાર પડી યથેચ્છપણે નિદા લેનારા છે તેથી તેઓ અતિ દય 9િ નથી. એવો વિચાર કરી અને ત્રણે જણ આ રાત્રીનવિષે પાંડવોની સાથે યુદ્ધ કરી પાંડવોનો વધ કરવા માટે જેઓએ નિશ્ચય કર છે, એવા હોતા થકા તારી આજ્ઞા ગ્રહણ કરવા માટે સાંપ્રતકાળે અહીંયાં તારી પાસે આવ્યા છે. તું જીવતો છતાં અમે બળાત્કારે પાંડવોનાં મસ્તકને છેદન કરી તને અણીને જે બતાવીએ, તે તારેવિષે અનણી થઈશું. અર્થાત, આજપર્યંત તે અમારું સર્વથા કલ્યાણ કરવું છતાં અમારાથી તને કાંઈજ સુખ પ્રાપ્ત થયું નથી; તે સુખ, આ તારા અંતકાળના સમયે તને પાંડવોનાં મસ્તકો બતાવ્યાં છતાં પ્રાપ્ત થશે. એટલે તે કરેલા અમારા પોષણની સાર્થકતા થશે.” એ પ્રકારે કરી અમૃતરસની વષ્ટિ કરનાર તે ત્રણે જણના ભાષણ કરી ઊરૂનો ભેદ થવાથી પ્રાપ્ત થએલો જે વેદનાને વેગ-તેને વિસરી જઈ તે દુર્યોધન, તે ત્રણે ક્યુને ૧૧૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy