SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કેમકે, સજજન પુરષોની પાશે પોતાનું દુઃખ કહ્યાથી કાંઈ પણ ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીને S: વિશાલાક્ષ કહેવા લાગ્યો કે, હે રાજ, આ મુદિકા મારા વાપરંપરાથી મને મળી છે, તે આજે અને આપને અર્પણ કરૂંછું, એમાં એવો ગુણ છે કે આગલીમાં છતાં ઈચ્છિત કાર્યની સિદ્ધિ થશે. દેવતાએ આપેલી વસ્તુનો અદ્ભુત મહિમા હોય છે. જેમ કે, અદશ્ય થઈ જવું, કોઈને વશ કરી 9) લેવું, ઘા થએલો રૂઝાવી દેવો, વિષ ઊતારી નાખવો અથવા વિષ ચડવા ન દે, અને પુષ્પની પઠે ( આકાશમાં ચાલ્યા જવું ઈત્યાદિક ઘણુ ગુણો છે તે મેં અજમાવેલા છે; (પાંડુ રાજાએ તે લેવાની છે છે. અરજી કરી નહી, તો પણ તે વિદ્યાધરોના રાજાએ તેને બલાત્કારે આપી ને કહ્યું કે, એમાં બીજો ) છે. એક ગુણ એ છે કે, આપણે જે પુત્રસંતતિ થશે તેઓ એક બીજા ઊપર અતિ પ્રીતિ રાખશે. જ Sકોઈ દહાડે સ્નેહ તૂટશે નહી. (એવી રીતે કહીને પોતાની નગરીને વિષે ગયો. ને પાંડુએ પર છે. તે મુદ્રિકા પોતાની આંગળીમાં પહેરી લીધી. અને કુંતીનું ચિત્રપટ જોઈને તેની પાસે ક્વાની કિ ઈચ્છા કરી એટલે તે જ વખતે યહાં કુંતિ બેઠી હતી ત્યાં જઈ પહોતો. તે કોઈને દેખાય નહી. ૭) કુંતી પોતાની સખીની સાથે વાત કરતી હતી તે અદશ્ય પણે સાંભળવા લાગ્યો.) છે કંતી –હે સખી, આ દિવસ તે ઘણુ કષ્ટથી જેમ તેમ વીતી ગયો છે, પણ રાત તે કોણ છે જાણે કેમ વીતશે! જેમ સૂર્યના તાપથી પાણીથી છાંટેલો પંખો સૂકાઈ ગયો છે અને જેમ આ ( પ્રફુલ્લિત કમલ કરમાઈ ગયાં છે. તેમ મનના સંતાપથી આ મારું શરીર નિસ્તેજ થઈ ગયું છે. 4 એટલું જ નહી પણ એના જેથી મારા શરીર ઉપરના હાર ફૂટી જવા લાગ્યા છે. માટે હે સખી, આટલાં બધાં કમલ લાવીને તથા ચંદન ચોપડીને શાસારૂ પ્રયાસ કરે છે એમ કરયાથી મારા કલેશની કોઈપણ શાંતિ થવાની નથી. મને એ સંતાપ થવાને લીધે એક આશંકા ઉત્પન્ન થાય છે કે, કેરેક, કહ્યું હતું કે પાંડુ રાજા ચંદમાના જેવા શીતળ છે; ત્યારે મારા હૃદયમાં અગ્નિ કરતાં પણ વધારે પરિતાપ કેમ કરે છે? વળી હે સખી, મારો કોઈપણ અપરાધ નછતાં કામદેવ પોતાના બાણે કરી મને અત્યંત પીડ કરે છે; અને પાંડુ રાજાએ પોતાના રૂપવડે એને તિરસ્કાર કરે છતાં છે તેને લગાર પણ કલેશ કરતો નથી. કેમકે, જે તેમને કામદેવે પોતાના બાણકરી વીંધ્યો હોય તો છેઆટલા દિવસ સુધી મારી સ્મૃતિ કેમ ન થાય? ને જે સ્મરણ હોય તો આવ્યા વિના રહેવાય છે નહી. અને આ જે ચંદ્રમાનો નિર્મલ પ્રકાશ પાડ્યો છે, તે વળી અધૂરામાં પૂરું દુઃખ જેવું ભાસે છે. કહ્યું છે, જેનું ભાગ્ય પ્રતિકૂલ હોય તેને બધું અવળું જ થાય છે; જેમકે આ ચંદમાનાં કિરણે કોઈ છે શીતળ કહેવાય છે પણ મને અગ્નિના જેવા તત લાગે છે. તેમાં વળી વધારે સંતાપ કારક એ ? વક છે કે મને એમની સાથે પરણાવવાને મારા પિતાનો હેતુ દેખાતો નથી; તેથી હું નિરાશ થઈ છું; 5) હવે મને સાવિના બીજો કોઈ આશ્રય નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy