SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૬૧ છે. મળેલા લોકોએ કરેલા અટકાવે કરીને જ જાણે ચિન્હિત થએલું હોયના! એવું તે ઊર્વેભાગે જ છે શોભતું હવું. તે સમયે જરાસંધની સેનામાં રહેનારા સૈનિક લોકો અને યાદવોની સેનામાં ક રહેનારા સૈનિક લોકો તેઓ તે યુદ્ધ જેવાની જે ઈચ્છા-તે સંબંધી જે રસ-તેણે કરી વ્યાસ રે, કે હોતા થકા ઉતાવળા તે સ્થળે પ્રાપ્ત થતા હતા. તે સમયે ગદાયુદ્ધના રહસ્યનું ભાષ્યકાર, એવું 555 જેમનું બાહુ પરાક્રમ છે; એવા બલભદ પણ તે ભીમસેનનું અને દુર્યોધનનું ગદાયુદ્ધ જોવા માટે છે. કૌતુકયુક્ત એવા હોતા થકા તે સ્થળે પ્રાપ્ત થતા હવા. તે સમયે યુદ્ધરૂપ રંગમંડપનેવિશે જેનારા છે. સંપર્ણ લોકોએ કરી આસપાસનવિષે પરિવષ્ટિત થએલા એવા દુર્યોધન અને ભીમસેન–એ બંને પરસ્પર “હુંજ શત્રુને મારીશ, હુંજ શત્રુને મારીશ” એવી આશા ધારણ કરનારા મૂર્તિમાન જ અહંકાર જ હોયના! એવા યુદ્ધ કરતા હતા. તે સમયે તે યુદ્ધચમત્કાર જેનારા કેટલાએક લેકો દુર્યોધન બળે કરી અધિક છે તેવો ભીમસેન નથી એવું ભાષણ કરવા લાગ્યા. કેટલાક લોકો “ભીનસેનજ અતિશય બળવાન છે, તેના જેવો દુર્યોધન બળવાન નથી એવું ભાષણ કરતા હતા. બીજા કેટલાક લોકો “ગદાયુદ્ધને વિષે મોટો અભ્યાસી ભીમસેન છે એવું ભાષણ કરતા હતા. બીજા કેટલાક લોકો “દુર્યોધન જેવો ગદાયુદ્ધવિષે વિશેષ અભ્યાસી છે તેવો ભીમસેન અભ્યાસી નથી એવું બોલવા લાગ્યા, અને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા કે “આ દુર્યોધનવિના બીજો કોઈ અભિમાની છે એવું અમે માનતા નથી; કારણ આવી શકે રીતિએ પણ જેની સર્વસ્વ હાની થઈ છતાં પણ જે સાંપ્રતકાળે “હું સંપૂર્ણ શત્રુઓને મારૂછું; અથવા તે યુદ્ધવિષે સાક્ષાત્ મૃત્યુની સહવર્તમાન કારૂપ લીલ કરું છું એવું ભાષણ કરે છે; પણ અતિશય પરાક્રમી એવો આ દુર્યોધન શત્રુને માટે ફરી પૃથ્વી દેવાનું વાક્ય ઉચ્ચારતો નથી. બીજા કેટલાએક એવું ભાષણ કરે છે કે “આ દુર્યોધનની બુદ્ધિને ધિક્કારહો, એના અભિમાનપણાને પણ ધિક્કાર હો, અને એના મત્સરપણાને પણ ધિક્કાર હો; કારણ, જેનું મૂળ કારણ આ દુર્યોધનજછે એવા આ સંપૂર્ણ કોરવોના કુળનો ક્ષય થયો. ઈત્યાદિક નાના પ્રકારની જલ્પનાને પરસ્પર વર્ણન કરનાર એવા દેવ, બેચર અને મનુષ્ય-એએ ગદાયુદ્ધ જોવા માટે કૌતુક ધારણ કરીને રહ્યા. તે સમયે દુર્યોધન અને ભીમસેન-વેગે કરી સહર પ્રકારે ભાસના રીઓ એવી પોતપોતાની ભયંકર ગદાઓને આસપાસ ભ્રમણ કરતા હવા; અને પ્રલયકાળને વિષે હા મંડળાકાર વાયુએ ભૂમિતળથી ઊપાડીને આકાશને વિષે ઊડેલા પર્વતો જ હોયના! એવાં ગદાS રૂપ વૃક્ષ ધારણ કરનારા તે દુર્યોધન અને ભીમસેન; ચિત્રવિચિત્ર મંડળાકાર ગતિએ સંચાર કરતા હવા. તે સમયે તે બંનેના અંતભાગવિષે પ્રદીપ્ત થએલો જે કોપરૂપ અગ્નિ-તે અગ્નિથી બહાર નીકળનારા ધૂમાડાના અંદાજ હોયના એવી શરીરને વિષે ઉત્પન્ન થએલીએ જે માં- @ @ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy