SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ મેઘ = = == = જઈ કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા એ ત્રણે, ચક્રવાકપક્ષી સૂર્યને ન જોતાં જેમ ભયભીત પર થાય છે, તેમ દુર્યોધનને કોઈપણ કાણે યુદ્ધમાં ન જોયો એટલે તેઓ ભયે કરી વ્યાકુળપણુધારણ ? કરનારા અને કાંતિરહિત જેઓની મુખશ્રી છે એવા હોતા થકા, અહીં તહીં તે દુર્યોધનને થયે ૭પણે શોધવા લાગ્યા. ત્યારપછી યહાં ત્યહાં ભ્રમણ પામનાર તે ત્રણે જણા, દુર્યોધનના પગલે પગલે જોતા જતા હતા. તે પદાવલિના સંબંધે વ્યાસસર નામના સરોવરપ્રત્યે ગમન ન કરતા હતા. ત્યાં “ઊદકનું સ્તંભન કરી આ સરોવરને વિષે દુર્યોધન રહેલો છે એવો નિશ્ચય કરી છે , તે ત્રણે જણા તે સરોવરની તોરવિષે “આપણે પ્રભુ દુર્યોધન અહીંયાં છે એવી વ્યક્તિએ ક્ષણ છેભર વિશ્રાંતિ લેતા હવા. ત્યાર પછી તે કૃપાચાર્યાદિકોએ ધૂળકરી વ્યાપ્ત થએલા આકાશને જ Sઈ અવલોકન કરી “આ પાંડવોને સન્યસમુદાય નિશંકપણે દુર્યોધનને શોધ કરવા આવે છે એવું જાણી “આ સરોવરમાં રહેનાર દુર્યોધનને પાંડવો ન જાણે એવો વિચાર કરી તે ત્રણે જણા કોઈએક વૃક્ષના પોલમાં સંતાઈ ગયા. ત્યારપછી પાંડવો, કોઈએક વનચરની વાણીએ તે સશેવરનેવિષે પ્રવિટ થએલા દુર્યોધનને જાણીને તે સરોવર પાસે ગમન કરતા હતા. તે સમયે એક અક્ષોહિણી અવશેષ રહેલું જે સૈન્ય-તેની સિદ્ધતાએ કરી દૈદીપ્યમાન થએલા એવા તે પાંડુરા જના પુત્રો, ઘણા વખત સુધી પોતાની સેનાએ તે સરોવરને ઘેરી લઈ રહેતા હવા. ત્યારપછી જે ધર્મરાજ, તે સરોવરની તીરને વિષે રહીને જેણે દુર્યોધનના મર્મને સ્પર્શ કરે છે, એવી સ્પષ્ટ વાણીને ઉચ્ચારતો હતો કે “હે દુર્યોધન, પાણીમયે અધોભાગે બૂડીને રહેનારો જે તું વીર, તેને મેં કે અમે આજ તુચ્છ માનીએ છે. કારણ, આજપર્યત અમે તારેવિષે સિંહબુદ્ધિ ધારણ કરતા જ હતા, અર્થાત તું સિંહસરખો પરાક્રમી છે એવું અમે માનતા હતા. પરંતુ આજ આ તારા કૃત્ય કરીને તું શીયાળસરખો બીકણું છે એવું અમે સ્પષ્ટ સમજવા લાગ્યા. કલંકરહિત એવા આપણા જ કુળનેવિશે નિલયે કરી તુંજ કલંકરૂપ થયો; અને તાત જે ધતરા, તેમના તેજને તેજ મલિન માં ૭ ક. યુદ્ધવિષે આવી રીતિએ સુહદ, સંબંધી અને બાંધવ-એઓને મરાવીને સાંપ્રતકાળે જે તે તું પોતાના પ્રાણનું રક્ષણ કરવા માટે ઉદકનેવિષે નિમગ્ન થયો છે, તો પાણીમાં નિમગ્ન થનાશે પણ . જે તું-તે તારું જીવિત રહેનાર નથી. કારણ આ સરોવરને શોષણ કરનારા જે અમે તેને આ સશેકે વરનું શોષણ કરવા માટે એક મુહૂર્ત પણ લાગનાર નથી. એ માટે તું પાણીમાં બૂડ્યો રહ્યો છતાં Sજ અમે આ પાણીનું શોષણ કરી તારો પ્રાણ હરણ કરશું; પણ જેણે ક્યને તુણસરખા તુચ્છ ) કાછે, એવો જે તારા ભુજદંડનો ગર્વ-તે આજ ક્યાં ગયો. જે દકરી અમો સર્વને તિરસ્કાર શ્ર કરીને તું પૃથ્વીને ઉપભોગ કરવા માટે ઈચ્છતો હતો. અરે! જો તું પોતાના મૃત્યુને માટે આમ ત છે બીહીતો હતો અને આગળ શું થશે એવું જાણતો નહતો તે યુદ્ધની પહેલાં જ સંધી કરાવવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy