SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ખાણોએ પાંડવોની સેના પાંમુખ કરી. ત્યારપછી જેનું નિવારણ કરનારૂં કોઈ નથી એવો તે મદ્રાધિપતિ શયરાજા, પાંડવોની સેનાના વ્યૂહને નાશ કરવા લાગ્યો છતાં ભૃકુટિના ચાલને કરી જેમનું મુખ ભયંકર છે એવા શ્રીકૃષ્ણ, અજાતશત્રુ ધર્મરાજપ્રત્યે ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે યુધિષ્ઠિર, તને સંપૂર્ણ લોકો છિ એટલે યુદ્ઘનૅવિષે સ્થિર રહેનારો એવું જે કહેછે તે યોગ્ય છે કારણ શત્રુએ આવી રીતિએ પ્રહાર કરેલા પોતાના સૈન્યને તું ઉપેક્ષા કરેછે. અર્થાત, યુદ્ઘનેવિષે શત્રુઓનો પરાભવ ન કરતાં કેવળ યુદ્ધુ ચમત્કાર જોતો સ્થિર રહેછે: એ ઠીક નહીં. કારણ, ધૌદ્દિકની સ્થિતિને માટે જે સ્થિરપણુ ધારણ કરવું, તે સ્થિરપણુ પુરૂષને શ્રેષ્ટપણુ આપેછે; પરંતુ સામે રાત્રુ પ્રાપ્ત થયો છતાં ધનુષ્યનું ચપળપણુ અને તેને જુગારોપળ એટલે પ્રત્યંચા ચઢાવવી એજ ગુણ, વીરપુરૂષને મહોટાપણુ આપે છે. વળી હસ્તિઓના સમુદાયનો રક્ષક જે ગજેંદ્ર, તેના દેખતાં બીજે કોઇ ગજ ત્યાં આવીને તે હસ્તિઓના સમુદાયને નાશ કરવા લાગ્યો છતાં મહા ક્રોધેકરી તે ગજેંદ્ર પણ પોતાના શત્રુનો પરાભવ કરેછે; અને તાહરા સૈન્યને તો તારા દેખતાં શત્રુઓ ચૂર્ણ કરેછે, એ તને કેવળ લજ્જા પ્રાપ્ત થતી નથી શું? અને આવી રીતિએ યુદ્ધનેવિષે સ્તબ્ધ રહેનારો તું, પૂર્વે સુદેષ્ણાની પાસે “તમારા પુત્રને રાત્રુના ઉદરથી હું આકર્ષણ કરીશ.” એવી ઉચ્ચારેલી પોતાની વાણીને શી રીતે સત્ય કરશે? અને આ સમયે આ શલ્ય, તારી સેનાનો નાશ કરેછે માટે તે અપણધી પણ છે, એવું જાણતો છતાં અને તેની સાથે યુદ્ધ કરવા માટે ઉત્સુક છતાં પણ આ અર્જુન, તું યુનેવિષે શલ્યનો વધ કરશે એવું સ્મરણ કરતો થકો ખાણપંક્તિને છોડતો નથી, એ માટે હું યુધિષ્ઠિર, ઉતાવળે આ તારૂં સ્થિપણુ દૂર કરીને તું શૂરપણાનો સ્વીકાર કર; અને આ શલ્યરાજને ખળાત્કારે યમના દાસપણાને પમાડ એવી શ્રીકૃષ્ણનના વચનરૂપી ટંકે કરીને જેનું ચિત્ત કોરાયલુંછે એવો ધર્મરાજા, તે સમયે મધ્યાન્હકાળપર્યંત શયનો વધ કરવા માટે પ્રતિજ્ઞા કરતો હશે. અને ત્યારપછી શત્રુન્નુદ્ધિરૂપ તરંગોને ધારણ કરનારા શષ્યરૂપ પ્રવાહને ધર્મરાજા, પોતાના બહુ સામર્થ્ય કરી, નર્મદાના પ્રવાહને સહસ્રાર્જુન જેમ નિરોધ કરતો હવો તેમ નિરોધન કરવા લાગ્યો. ત્યારપછી છૂટનાણું જે ખાણો, તેના યોગે કરી જેતેવિષે દેવોનો નિયમ પણ નારા પામ્યો છે, અર્થાત, તે છૂટનારાં ખાણોના ભયે કરી દેવોએ પણ પોતાનાં વિમાન દૂર લીધાં: એવો અને ભયથી ઉત્પન્ન થનારો જે કળકળાટ શબ્દ–તેની પ્રખ્યાતિને કરનારો એવો ધર્મરાજાનો અને રાહ્ય રાજાનો સંગ્રામ થતો હવો. તે સમયે સર્વે જગનો સંહાર કરનારાં એવાં કાલિકાદેવીનાં કટાક્ષોજ હોયના ! એવા તે બંનેના તીક્ષ્ણખાણોના સમુદાયે તત્કાળ સંપૂર્ણ આકાશ વ્યાસ કરશું. ત્યારપછી રથી એવો તે મદ્દભૂપતિ શલ્યરાજા, એક ક્ષણમાત્ર ચાર્યે કરી છોડેલાં બાણોએ રથસહિત ધર્મરાજાને He Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy