SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ 9ોરી رکی છે. તે દુર્યોધન, શેકે કરી વ્યાખ થઈને સ્તબ્ધ જ રહેતો હતો. એ પ્રકારે કરી નવ નવા ઉત્પન્ન થ- ની Sએલા અશ્રુરૂપ શેકના તરંગએ અત્યંતવશ થએલા તે કૌરવાધિપતિ દુર્યોધન પ્રત્યે દ્રોણાચાર્ય- ર પુત્ર જે અશ્વત્થામા, તે અતિશય ત્વરાએ આવીને સાક્ષેપ એટલે નિંદાપૂર્વક ભાષણ કરતો હતો. અશ્વત્થામાન્હે મહારાજ, તારે નિષ્કપટ એવો શૌર્ય ગુણ ક્યાં? અને હે વીર, વજ્યાતને પણ જીતનારું એવું તારું બળ ક્યાં? જેણે પર્વતોના જડત્વને અપમાનિત કરૂં છે એવું તારું મોટાપણું ક્યાં અને સમુદના સર્વ ગર્વને નાશ કરનારું એવું તારું જે ગાંભીર્ય તે ક્યાં? જે કારણ માટે આવી રીતિએ તું શેકે કરી વ્યાસ હોતો થકો સ્ત્રી જેમ શેકે કરી વારંવાર મૂચ્છ ) પામે છે તેમ વારંવાર મૂચ્છ પામે છે, અત્યંત આક્રંદન કરે છે અને અત્યંત શેક કરે છે! તે તારા જ સરખા પુરૂષને પણ, આ શક જે બળાત્કારે આક્રમણ કરશે તે અતિસ્વપ પણ મલયાચળ સંબંધી જે વાયુ, તે મેરૂપર્વતને પણ ચલન કરશે. હવે “માહારો મોટો સહાયકર્તા કર્ણ થયો તો એવું બોલી શેક કરે છે, તે ગૈલોક્યની સાથે મલ્લયુદ્ધ કરનાર એવો જે તું, તેને એ તે કેવળ 5 લજ્જા ઉત્પન્ન કરનાર છે. જે કારણ માટે ધનુષ્યનું આકર્ષણ કરવા સારૂ શૂરપુરૂષનો જે જમણે શિક હાથે તે ડાબા હાથની સહાયતા કરે છે, પરંતુ તેની સહાયતા કરવાથી તે અત્યંત લજિત થાય છે. અર્થાત, જમણે હાથે ડાબા હાથની, સહાયતા કરી છતાં પરાક્રમ કરનારો જે જમણો હાથ-તેને - પાછો હલવી તે ડાબે હાથ, ધનુષ્યના આકર્ષણ માટે આગળ થાય છે; તેણે કરી જમણા હાથને લજજા પ્રાપ્ત થાય છે; તથાપિ જય તે દક્ષિણ હાથનો જ છે; તેમ હે દુર્યોધન! વામ હસ્ત સરખે કર્ણ, યુદ્ધમાં આગળ થયો અને મુઓ એથી કરી તેને શેક પ્રાપ્ત થયો, પરંતુ જમણા હાથ સરખો જ્ય સંપાદન કરનાર તે તું જ છે; એ માટે સાંપ્રતકાળે યુદ્ધના સીમનેવિષે તું પ્રાપ્ત થયો છતાં આકાશને વિષે પ્રાપ્ત થનારા સૂર્યને જેમ અંધકાર દુર્યો નથી, તેમ તને પાંડવો દુનથી. એ આ પ્રમાણે તારી વાત તો એક કોરે રહી, પરંતુ જેનું બાહુ પરાક્રમ અતુલ્ય છે એવો મદાધિપતિ ન શલ્ય પણ યુદ્ધવિષે પાંડવોને ખંડન કરવા માટે અત્યંત સમર્થ છે. એ માટે હે રાજન, આસ પાસ વિષે વ્યાકુળ કરનારૂં શોકકદંમરૂપ જે આ અજ્ઞાન-તેનું પ્રક્ષાલન કરીને એટલે એને ધોઈ * નાખીને આ મદાધિપતિ જે શલ્ય–તેને સેનાપતિ કરવા માટે તું યોગ્ય છે. એવી અશ્વત્થામાની વાણુંએ તતકાળ તે દુર્યોધન, જેમ સૂર્યને સારથી જે અરૂણ તેની કાંતિએ સંપૂર્ણ છોક રાત્રીને ધીમે ધીમે ત્યાગ કરે છે તેમ ધીમે ધીમે શોકનો ત્યાગ કરતો હો અને મદાધિપતિ એવા તે શલ્યરાજને, જ્યની ઈચ્છાએ સેનાધિપતિ કરતે હવે. જે કા રણ માટે મનુષ્યની આશા અત્યંત દુછેદ્ય એટલે દુઃખકરી છેદન થાય એવી છે; તે છેદ પાSી મેલી પણ, દુવર જેમ ફરી અંદર ધારણ કરે છે, તેમ આશા પણ એકવાર છેદન પામેલી છતાં ફરી કર< کر S Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy