SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ નેકી કરસ્થિGિS જ વિષે મંત્ર પ્રગે કરી છલાં બાણેએ તે ધર્મરાજ અને કર્ણ-આકાશ અને દિગંત-એઓને આચ્છાદન કરતા હવા. તે સમયે તે ધર્મરાજા અને કર્ણએ બંનેના શરીરને વિષે પ્રાપ્ત થયેલા છે. બાણોના ધાવે વમન કરેલો જે રકતનો પ્રવાહ તે, શરીર વિષે કોપી કરી ઉત્પન્ન થએલું જે આર- ર જ કતપણુ-તે આરકતપણુ, શરીરને વિષે ના સમાતાં પ્રવાહરૂપે બહાર જણે નિકળ્યું હોયના! એ કોડ 89) શોભવા લાગ્યું. તે સમયે પ્રલયકાળના વજન સરખાં જે કર્ણનાં બાણ, તબાએ ધર્મરાજને, છે ( હંસાએ એટલે ખાંસીએ કરી લેક જેમ વ્યાકુળ થાય છે તેમ વ્યાકુળ કર. તે સમયે ધર્મરાજા, 'ઈ બાણને ભાથામાંથી ગ્રહણ કરવા માટે, ધનુષ્યને વિષે સંધાન કરવા માટે, ધનુષ્યનું આકર્ષણ કરવા છે છે માટે અને આકર્ષણ કરેલા બાણને છોડવા માટે કાંઈપણ સમર્થ થયો નહીં; તે કેવળ કર્ણ S છોડેલાં બાણોના ઘાવથી ઉત્પન્ન થએલા રકત કરી જેણે પ્રકુશિત થએલું પલાશ વૃક્ષ જીત્યું છે અને એવા શરીરને ધર્મરાજ ધારણ કરતો હવે. એ પ્રમાણે કર્ણ પ્રહાર કરેલા ધર્મરાજને દૂરથી જોઈને જેમાં સ્પષ્ટ નિદા છે એવાં વચનોએ શ્રીકૃષ્ણ, અર્જુન પ્રત્યે ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે અર્જુન, તારા ધનુષ્યના પાંડિત્યને ધિક્કાર હો, તારા પ્રચંડ એવા બાહુદછે ડને પણ ધિક્કાર હો, તારા શૂરપણાના અભિમાનપણાને પણ ધિક્કાર હો અને સર્વ પુરૂષોમાં ઈ. છે તારું જે શ્રેષ્ઠ પુરૂષ વ્રત-તેને પણ ધિક્કાર હો. જેના અખંડિત બાહુદંડ છે એવો જે તું-તે તારા છે I દેખતાં છતાં તાર જેટબંધુ જે યુધિષ્ઠિરાજ-તેને શત્રુએ કોઈ અનિચ્ય પ્રાણ સંશયને પમાડ છે છે. એણે કરી સર્વ મંત્રએસહવર્તમાન પોતાના કરતાં પણ દ્રોણાચાર્ય તને અધિક ધનુર્વિદ્યા જે છે તે શિખવેલી તે દ્રોણાચાર્ય, સાંપ્રત ઇંદની સભામાં રહેનાર હોઇને ત્યાં સર્વ દેવોએ કરી ઉપહા- હર સ્યતાને પામશે; એમાં કાંઈ સંશય નહીં. એકસો પાંચ એવા પોમાં પણ તારેવિશે અત્યંત વત્સલ એવા જે ભીષ્મપિતામહ તે, હમણાં મુમુક્ષ એટલે મેક્ષ ઈચ્છનારા છતાં પણ મોટી લજ્જને પામશે; અને યુદ્ધનું અવલોકન કરવા માટે જેનું ચિત્ત તત્પર છે એવો જે હું તેને પણ સાંપ્રતકાળે લોકો સ્પષ્ટપણે પ્રહાર કરશે. એ માટે કુંતીના ઉદરે તું ઉત્પન્ન થયો તેના કરતાં તારે ઠેકાણે કન્યા C IN જો ઉત્પન્ન થઈ હોત તે તે કન્યાને પતિ પણ હમણાં ધર્મરાજાનું રક્ષણ કરત. છે એ પ્રમાણે કમળનાભ જે શ્રીકૃષ્ણ-તેમણે વારંવાર લજજાએ પમાડેલો અર્જુન, તે મૂર્તિ છે 3. માન ક્રોધ જ હોયના! એવો હોતો થકો કર્ણને જીતવા માટે વેગે દોડતો હવે. તે દોડનારા કે અર્જુનને, કર્ણના પુત્ર જે વષસેનતેણે માર્ગવિષે ક્ષણભર, જેમ દોડનારે હાથી વૃક્ષે અટકાવને પમાડ્યો જાય છે તેમ અટકાવને પમાડશે. તે સમયે અભિમન્યુના વધના સ્મરણ કરી તરંગયુકત છે જેનો વેગ છે એવો જે અર્જુન-તે પોતાની પાસે જેનો આકડાના ફૂલ સરખે સ્વભાવ છે એવો જે કાં ઈ મહારથી વૃષસન-તેને આકર્ષણ કરી મંથન કરતો હતો. અથત યમપુરીએ પોચાડતો હતો. તિસ- ૯ શિeeટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy