SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ મયે તે વૃષસેનના વધે કરી જેનું ચિત્ત ભેદ પામ્યું છે એવો કર્ણ, તકાળ ધર્મરાજાનો ત્યાગ કરી હતી - અત્યંત કોપ જેને પ્રાપ્ત થયો છે એ હોત થકો અર્જુન પ્રત્યે દોડતે હો. તે સમયે પોતાના ગુર બાહસ્તંભના પરાક્રમે કરી સંપૂર્ણ જગત જેણે વિસ્મય પમાડ્યું છે એ કર્ણ, વગે કરી પોતાની સામે આવવા લાગ્યો છતાં તેને જોઈને શ્રીકૃષ્ણ, અર્જુન પ્રત્યે ભાષણ કરે છે. શ્રીકૃષ્ણ—હે પાર્થ, જેના અશ્વો તરંગના છે, શલ્ય જેને સારથી છે, જેના વજને છે વિષે નાગનું ચિન્હ છે એવો અને મૂર્તિમાન વીરરસ જ હોયના! એ આ કર્ણ તારા સમીપભાગે છે આવે છે; એ માટે સાંપ્રતકાળે યુદ્ધને માટે ચતુર એવા જે તમો બંનેય, તે તમારા બંનેનું, જન્મથી છે. ધનુર્વેદ વિષે કરેલો જે અભ્યાસ-તેનું જે તારતમ્ય-તેને સર્વ લોકો અવલોકન કરશે. એ માટે જ આકાશનેવિષે રાહએ વ્યાપ્ત કરેલા સૂર્યનું તેજ જેમ નાશ પામે છે તેમ કર્ણ વ્યાસ કરેલો જે તું-તે તારું સંપૂર્ણ તેજ કદીપણુ નાશ ન પામો.. એવું શ્રીકૃષ્ણ અર્જુનપ્રત્યે ભાષણ કરી જેના અ પ્રેરણ કરેલા છે એવો અર્જુનને રથ, કર્ણના રથની સામે મહાવેગે લીધો. તે સમયે તે બંને રથારૂઢ એવા ધનુર્ધારી વીશે, પરસ્પર સંમુખ થયા છતાં સંવત્સરના આરંભે સંમુખ પ્રાપ્ત થએલા ચંદ સૂર્ય જેમ શોભે છે તેમ શોભવા લાગ્યા. તે સમયે સુદાંટિકાના શબ્દ કરી બોલનારા અને જેઓના વિપક્ષો ચં- ) ચળ છે એવા તે બંને વિશેના રથ, પરસ્પર યુદ્ધ કરવા માટે બોલાવતાજ હોયના! એવા ભાસવા લાગ્યા. તે સમયે તે બંને વીશે, યથાયોગ્ય શત્રના લાભ કરી જેઓને મહાહર્ષ પ્રાપ્ત થયું છે એવા અને ઉત્પન્ન થનાર રોમાંચે કરી જેઓના અંગરખાનાં બંધન (કસો) તૂટી જાય છે એવા થતા હવા. તે સમયે યુદ્ધરસના બહુલપણુએ કરી જેના ભરતક સંબંધી અત્યંત શોભે છે એવે અને ક્રોધ કરી જેનાં નેત્ર આરક્ત છે એવો કર્ણ, અનપ્રત્યે ભાષણ કરતો હો. કહ્યું- હે અર્જુન, તું ઉતાવળે આવ, ઉતાવળો આવ, વિલંબ કરીશ નહીં. વીરપુરૂષ અને કવિ, એ બંનેને ઘક્કમ એટલે પગે કરી ચાલવું અથવા કવિતાના પદોને અનુક્રમ-તે શોનસ્થા એટલે પરાક્રમયુક્ત અથવા અલંકારાદિક રીતિએ યુક્ત હોય છે. ઉત્તમ પ્રકારના વીને નિરંતર વધ કરનારાં એવાં જે મારાં બાણે તેને આજ ઘણે કાળે કરી ફળસમય પ્રાપ્ત થયો છે. કારણ નિરંતર સર્વ જગતને વિષે “એક હંજ વીર છું” એવું માનનારે જે તું-તેનો વધ કર્યા વિના બીજા અનેક વીસે વધ કરનારો જે હું તે મારા સામે કરી સંતોષ પામતો પર નથી. કારણ, લક્ષાવધિ વૃક્ષોના સમુદાયને બાળના છે પણપર્વને ન બાળનારા અગ્નિને વિષે - દહન શક્તિ શી છે વાણી તે સર્વ વાત એક કરે રહો; પરંતુ તારા બાહુદંડનવિષે જે કાંઈ ) સામર્થ્ય હોય તો તારું ગાડીવધનુષ્ય કુંડળાકાર કરી યુદ્ધ કરવાને માટે સિદ્ધ થા. અને જે ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy