SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧ - અહીંયાં રાજહંસ અથવા રાજક-તે જેમાં ભૂષણ છે અને પુંડરીક એટલે શ્વેત હો કમળ અથવા હાથી-એણે કરી સુશોભિત થએલી એવી પાંડવોની પણ વાહિની એટલે નદી છે? અથવા સેના-તે યુદ્ધના સીમસ્થળપ્રત્યે આવતી હતી. ત્યારપછી જેણે લોકને અત્યંત ભ્રમિત છે કર્યા છે અને જેનેવિષે ગંભીર વીશેને ક્ષોભ છે, એવો; અને બાણેની પંકિતઓના ગે કરી છે. ભયંકર એ સંગ્રામ પ્રવૃત થતો હતો. તે સમયે કેટલાક વીરા ધનુષ્યથી બાણ છૂઢવા લાગ્યા અને તે બાણની સ્પર્ધાએજ ભણે હોયના! તેમ પ્રતિસુભટોના શરીરથી પ્રાણ પણ છૂટથી લઈ " લાગ્યા. કેટલાક વીરોનાં બાણે, “આ અમારા પ્રભુ જે સુભટો-તેઓનું અમે કોઈપણ કાર્યન ) છે. કર્યું છતાં પણ અમને એઓ-ફળ એટલે શલ્ય,અર્થાત લોખંડની અણી અથવા શત્રુઓના લક્ષ છે ભેદ કરવા એજ એક ફળ પ્રાપ્તિ તેને સમર્પણ કરે છે એવું જાણીને જ જાણે છેયના! તેમ જ સંતુષ્ટ થઈને બાણ, પોતાના પ્રભુઓની ઇચ્છા પ્રમાણે શત્રુઓને લક્ષ ભેદ કરતાં હવા. તે સમયે કોઈએક વીર, પોતાના ખર્ગ કરી ગજેદોના દૂતને છેદન કરતો હતો, એટલામાંજ એ 5 તેનું ખરું છેદન કર્યા છતાં તે વીર, પૂર્વ છેદન કરેલા ગજેદોના તે દતોનેજ શસ્ત્ર સરખા ધારણ કરી યુદ્ધ કરવા લાગ્યું. તે સમયે જેઓનાં ચિત્ત યથેચ્છ પ્રહાર કરી મૂછયુક્ત છે અને છે જેમણે પોતાનાં ખ, શૂન્યસ્થળે નાખ્યાં છે એવા કેટલાએક વીશે, ભૂમિઊપર પડ્યા ) ( છતાં ઘણીવાર સુધી યુદ્ધ કરવા સમયે જેનો હુંકાર શબ્દને અભ્યાસ થયો હતો તે હંકાર aો આ શબ્દનો જ ઉચ્ચાર કરતા હવા. અહીંયાં, “અરે પાર્થ ક્યાં છે પાર્થ ક્યાં છે એમ ઊંચસ્વરે કરી ધૈર્ય યુકત થઈભાષણ કરનાશે જે રાધેય (કર્ણ) તે પ્રત્યે મદાધિપતિ શલ્યરાજા) ભાષણ કરવા લાગ્યો. શલ્ય—હે કર્ણ, તારા મસ્તકનેવિષે કર્ણ (કાન) નથી જ, હૃદયવિષે વિવેક પણ નથી અને ચિત્તને વિષે ચૈતન્ય પણ નથી; એવું મારી બુદ્ધિ માને છે. જે કારણ માટે પોતાના જ બાહુ પરાક્રમે કરી મદોન્મત્ત થએલ એ જે તું-તેણે પોતાની પ્રેરણાએ એવી પ્રતિજ્ઞા કરી કે હું આજ અર્જુનનો વધ કરીશ પરંતુ અર્જુનને યુદ્ધવિષે જીતે એવો પુરૂષ, કોઈ પણ ઠેકાણે કોઈપણ નથી. કારણ અનરૂપ જે સિહ-તેને વિષે તેને પરાજ્ય કરવા માટે પ્રવૃત્ત થનારા ભુવનરૂપી દિગળે એટલે દિગ્યાલો પણ કુંઠિત થાય છે. ઉત્તરગ્રહણનેવિષે આ અર્જુનનાં T બાણોએ કરી વ્યાપ્ત થએલે એ જે તું-તે પણ જે પલાયન આચરણ કરતે હવે તે મારા રે સરખા પુરૂષે વર્ણન કરવા માટે પણ અત્યંત અયોગ્ય છે; અને જે ચિત્રાંગદગંધર્વ, યુદ્ધવિષે કોંધ કરી તેને પલાયન કરાવી દુર્યોધનને પણ બંધન કરતો હો; તે ગંધર્વદ, થોડા દિવસમાં જ તારા સ્મરણમાં આવતું નથી એ શું!! તે ચિત્રાંગદને પણ જે ગુરૂસ્થાનીય એવા અર્જુનને, આજ ૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy