________________
૪૩૬
ஒ
લાગ્યો છતાં વિઝુ એટલે જ્ઞાની, દાનશીલ અથવા અનુસ્વાર અને દિજંદ્ર એટલે બ્રાહ્મણ શ્રેષ્ટ મ ચારે, ઘણું પ્રાધાન્ય કરી એટલે પ્રથમ જે જ્ઞાની તે, સ્તુતિના પ્રાધાન્યપણે કરી, બીજો દાનશીલ તે ગૌરવર્ણ કરી, ત્રીને જે અનુસ્વાર તે અક્ષરોના વર્ણ પ્રાધાન્યપણે કરી અને ચોથો દિષ્ટ તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના પ્રાધાન્યપણે કરી શોભનારા છતાં પણ તતકાળ, પ્રથમ જે જ્ઞાની તે સુવણૅ પ્રાધાન્યપણાને એટલે તેજસ્વીપણાને, અને બીજો જે દાનશીલ તે કર્યુંમાનને અને ત્રીજો અનુસ્વાર તે ઉત્તમ રંગને અને ચોથા દ્વિજĀક તે સુવર્ણીના લાભમ પામતા હવા. અર્થાત્ કર્યું, દાન કરવા લાગ્યો છતાં જ્ઞાની પુરૂષ તે કર્ણની સ્તુતિ કરીને તેજસ્વીપણુ પામવા લાગ્યા; અન્ય દાનશીલ પુરૂષો હતા તેઓ ગૌરવર્ણાદિકે કરી યુક્ત છતાં પણ કર્યું પરિમાણને એટલે અતિ સ્વપતાને પામ્યા; અને અનુસ્વાર એટલે બિંદુતે સર્વ અક્ષરોનું પ્રાધાન્યપણુ પામ્યું છતાં દાન સમયે ઊદકનું બિંદુ મોતી સરખું શોભવા લાગ્યું અને બ્રાહ્મણએક, એ ચારે વર્ણોમાં શ્રેષ્ઠપણુ પામ્યા છતાં પણ સુવર્ણાદિકની પ્રાપ્તિએ શ્રીમંતપણુ પામ્યા: તે સમયે ઇંઢની સેના, કાર્તિકસ્વામિને આગળ કરી જેમ દૈત્યોની સાથે યુદ્ધ કરવા માટૅ નિકળે છે તેમ તે કૌરવોની સેના ખીજે દિવસે (એટલે યુહ્રારંભના સોળસે દિવસે) કર્ણીને આગળ કરીને પાંડવોની સાથે યુદ્ધ કરવા માટે યુદ્ઘસ્થળનેવિષે આવી. તે સમયે વર્ષોંગ્ર તુનેવિષે શાયુક્ત એવા સમુદ્રમધ્યે શાયુક્ત નદીનું પુર, લય પામ્યું છતાં તે પૂર્વે હતું છતાં પછી નહતું એવું જેમ ભાસે છે; તેમ કર્ણના સ્તુતિ કરનારા ભાટ ચારાદિકોના શબ્દનેવિષે રણવાઘોના નાદ લીન પામીને હવા નહતા સરખા ભાસવા લાગ્યા.
અહીંયાં પાંડવો પણ, વીરોનું ભૂષણ એવા તે ક્રુપપુત્ર ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી સેનાએ સહવર્તમાન યુદ્દભમિપ્રત્યે આવતા હવા. તે સમયે દિશાઓનેવિષે પ્રતિધ્વનિ ઉત્પન્ન કરીને અહીં તહીં. ઘણે ઠેકાણે યુઠ્ઠુ થાયછે એવી સૂચના કરનારાંજ જાણે હોયના! એવાં રવાદ્યો, બંનેય સેનાવિષે વાદ્ય વગાડનારા લોકોએ વગાડ્યાં, તે સમયે પૂર્વસમુદ્ર અને પશ્ચિમસમુદ્રઅઓના સંગમનેવિષે પૂર્વના વાયુએ અને પશ્ચિમનાવાયુએ પ્રેરણા કરેલા તે બંને સમુદ્રના તરંગો જેમ પરસ્પર એકઠા થાયછે, તેમ બંને સેનાનેવિષે યથેચ્છપણે દેવે પ્રેરણ કરેલા બંને માજુના વીરો પરસ્પર યુદ્ધ કરવા માટે એકડા થતા હવા. તે સમયે કેટલાએક વીણેનાં શત્રુઓના રકતે કરી ચિન્હિત થએલાં ખગો-તે રાત્રુઓની લક્ષ્મીના બંને પગના અળતાના (પોથીના રંગના) બિંદુઓએ લાંચ્છિત થએલાંજ હોયના! એવાં શોભા લાગ્યાં. તે સમયે ચમત્કારિક યુદ્ધ કરનારા કોઈએક પુરૂષની ઊપર અપ્સરાઓએ પુષ્પવૃષ્ટિ કરી; તે ફરી વાયુએ કરી અન્ય ઑકાણે જઈ બીજા યુદ્ધ કરનારા પુરૂષની ઊપર પતન પામવા લાગી, તે સમયે કેટલાએક વીરોનાં ખ, શત્રુના હાથીના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org