SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ વડવાગ્નિ, સર્વે સમુદ્રનું શોષણ કરી ઉર્ધ્વ ગમન કરતો હોયના! ક્રિવા પ્રલયકાળનો જે અગ્નિ-તેન અગ્નિ આા વૃદ્ધિ પામતો હોયના! કિવા જ્વાળારૂપેસ્થળપણુ પામનારો આ રાક્ષસન ઉત્પન્ન થયો હોયના! અથવા તો જગતમાં રહેનારા સર્વ અગ્નિએ એકદમ પ્રદીપ્ત થવા માટૅ આરંભજ કરચો હોયના! ઇત્યાદિક તે સમયે સેનાના લોકોએ અનેક પ્રકારના વિચારેનો વિસ્તાર કરી તે સમયે અશ્વત્થામાનું તે અસ્ર, નાનાપ્રકારની જવાળાના સમુદાયે કરી પાંડવોની સેનાને, જેમ ધેનુનો સમુદાય, પોતાની જીન્હાએ ભક્ષણ કરવામાટે ગળીના રોપાઓને આવરણ કરેછે તેમ આવરણ કરવા લાગ્યું છતાં તે સમયે ભયે કરીને પલાયન કરી જનારા લોકોના ચરણસંબંધી રેણુએ આચ્છાદિત થએલો સૂર્ય-તે અન્નથી ઉત્પન્ન થએલા અને વૃદ્ધિ પામનારા ત્રે કરી આકાશ જેમ આચ્છાદન પામ્યું તેમ આચ્છાદન પામતો હવો. તે સમયે જેણે ઉર્ધ્વબાહુ કરેલાછે એવા શ્રીકૃષ્ણ, ઊંચસ્વરે પાંડવસેનાપ્રત્યે એવું ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ--હું સંપૂણૅ વીરો, તમો શસ્ત્રોનો ત્યાગ કરો, ત્યાગ કરો, અને સ્થને પણ ત્યાગ કરો, ત્યાગ કરો. અને જેનેવિષે ભકિતએ કરી નમ્ર મસ્તક થનારૂં છે એવા નમસ્કાર કરે, નમસ્કાર કો; એટલે સર્વે જગતને ભક્ષણ કરનારૂં આ અસ્ત્ર, તતક્ષણ શાંત થશે. એ એવા પ્રકારના શ્રીકૃષ્ણના ભાષણ કરી સર્વે ધનુર્ધારી વીરો વગેકરી, યુદ્ઘના આગ્રહની સહવર્તમાન આયુધોનો પરિત્યાગ કરતા હવા; અથવા લાએ સહવર્તમાન સ્થાઢિકનો પણ ત્યાગ કરતા હવા, અને મસ્તક તથા હસ્તાંજળી એણે કરી જેઓએ ભૂમિતળ ચુંબિત કહ્યું છે. એવા તે વીણે નમસ્કાર કરવા લાગ્યા. તે સમયે અહંકારના કુળનું કેવળ ધરજ, એવો વાયુપુત્રભીમસેન શસ્ત્રાદિકનો કાંઈપણ ત્યાગ ન કરતો હવો, અને તે સર્વ સૈનિકલોકોપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. ભીમસેન હે વીરો, જે મને, આ સંપૂર્ણ જ્ગત તૃણુતુલ્યછે, જે મને, આ ચંદ્રસૂર્યે અ*ગ્રાસ સરખા છે, જે મને, અગાધ સમુદ્ર પણ ગોષ્પદ સરખો છે, જે મને, પૃથ્વીઉપરના સંપૂર્ણ મહેંદ્રાદિક શાતે પર્વતો, કીડના કીડિઆરા સરખા છે, જે હું આ સર્વે પૃથ્વીને માટીના ઢેફાની જેમલીલાએ કરી ઉપાડવાની ઈચ્છા કરૂંછું, જે હું, એકક્ષણમાં તક્ષકસર્પનો પણ ફેણ ઉપર રહેનારો જે મણી–તેને ગ્રહણ કરવાની ઇચ્છા કરૂંછું, દિગ્ગજો પણ જે મારા,ક્રીડાકંદુકપણાને એટલે રમવાના દડાપણાને પામેછે. અને જે મને, ઈંદ્રનું ધનુષ્ય પણ ધૂળના રજકણ સરખું થાયછે; એવો જે હુંતેને સર્વે જગતના મોહોટાપણાને હરણ કરનારૂં અને જેણે સર્વે લોકોને ત્રાસ ઉત્પન્ન કરચો છે એવા આ અજ્ઞની પણ શી ગણના છે! અર્થાત કાંઈપણ ગણના નથી. એવું ખોલનારો બકાસુરનો શત્રુ જે ભીમસેન-તેને, સર્વે સૈનિકલોકોનો ત્યાગ કરી તે અન્ને વિષ્ટત કરવા માટે આરંભ કરવો. તે સમયે મહાત્વરાએ કૃષ્ણ અને અર્જુન-એ અને གྲུ་ Jain Educationa International ૧૯. For Personal and Private Use Only ૪૩૩ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy