SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકન કરી ધનુર્ધારી વિશેએ મહાત્વરાએ ધનુષ્યની પ્રત્યંચાનું આકર્ષણ કરી છોડેલો જે તે S: બાણેને સમુદાય-તે અત્યંત શબ્દ કરીને વીરોને પાડના હોતે થકો તે પણ પતન પામતો ? હો. તે સમયે સેનાના હસ્તિઓની પાસે પ્રાપ્ત થનાર વીશે, તે હસ્તિઓએ પોતાના દંત- ઈ. વિષે થએલો જે વીરખને ખાટકાર નાદ-તેણે કરીને જ અવલોકન કસ્યા. અર્થાત તને વિષે થએલા વીરોના ખાતે કરી ઉત્પન્ન થએલા અગ્નિના તણખાઓના પ્રકાશ કરીને જ તે હાથીએએ તે યોદ્ધાઓને જોયા. તે સમયે તે બંને સેનાના વીસે વારંવાર વર્ણન કરેલા પોતપોતાના સ્વામિના નામે કરીને જ “આ આપણી સેનામાંના વીર છે અને આ શત્રુ સેનામાંના વીરછે એવા ભેદને જાણતા હવા; અને રથના ચક્રના ચિતકાર શબ્દ કરીને રથ, તથા ઘંટાના નાદે કરી હાથી, અને પાસે આવનારા યોદ્ધાઓ, સિંહનાદે કરીને સર્વ વીશેને પરસ્પર ઓળખાવા લાગ્યા. તે સમયે જેઓએ પોતાનું પડવું જાણ્યું નથી એવા કેટલાએક પદાતિઓ, જેના ચંચળ તરંગ છે એવી રકતની નદી પ્રત્યે આવીને તે નદીમાં અકસ્માત નિમગ્ન થઈ મરણ પામતા હવા. તે સમયે શત્રુઓને પ્રહાર કરવા માટે દોડનારા અને મરીને પહેલાં મડદાને વિષે અલને કરી પતન પામ( નાર એવા કેટલાએક વીર, પૃથ્વી ઉપર પતન પામતા સમયે વિપરીત પડનારા પિતાના ખગે છે B કરી કપાઈ મરતા હવા. તે સમયે હે બારાક્ષસીના કુખવિષે ઉત્પન્ન થએલું માણિક્ય જ હોયના? એવો, ભીમસેનનો પુત્ર, ભયંકરકર્મ કરનારો, રાક્ષસોનપતિ, જેનેવિશે અગ્નિ દેદીપ્યમાન છે એવા પાષાણ અને વૃક્ષાદિક આયુધોએ કરી અર્ધરાત્રિના સમયનેવિષે કૌરવોની સેનાને નક્ષત્રયુકત કરનાર, દીપક સરખી કરેલી અત્યંત તામ્રવર્ણ જે નેત્રની કીકીઓ-તેણે કરી જેમાં તે ભયંકર છે અને મુખથી ઉત્પન્ન થનારી અગ્નિની જવાળાએ કરી તે યુદ્ધાગણને આસપાસ દેદીપ્યમાન કરનારો એવો ઘટોત્કચ, તે યુફભૉમિનેવિષે પ્રાપ્ત થતાં હવે. અને તે ઘટોત્કચ, અનેક પ્રકારનું માયાયુદ્ધ તેમજ બીજું પણ અનેક પ્રકારનું યુદ્ધ કરવા લાગ્યો છતાં તેના અગ્રભાગથી સર્વ યોદ્ધાઓએ, દીપકની આગળથી અંધકાર જેમ પલાયન કરે છે તેમ પલાયન કરું. તે સમયને ( વિષે ઘટોત્કચ, પાષાણોના પ્રહાર કરી કેટલાએક રથને ચૂર્ણ કરતો હતો; અને વૃક્ષોના પ્રહારે છે કરી કેટલાએક હાથીઓને સંહાર કરતો હશે; તેમજ પોતાના ગમન સમયના વેગથી ઉત્પન્ન થએલા વાયુએ કરી કોચાવધિ શત્રુઓને પૃથ્વી ઉપર પાડતો હવે, એ પ્રકારે કરી એકલા ઘટોત્કચે કોરવોની સર્વ સેના, વર્ષાઋતુનવિષે પ્રાપ્ત થનાર મેધે, સૂર્યાદિક ગ્રહોની પંક્તિ જેમ આચ્છાદિત થાય છે, તેમ આચ્છાદન કરી. તે સમયે ઘટોત્કચ, યુદ્ધનવિષે ઉકત થયે છતાં ધર્મરાજાદિક પાંડવોને અત્યંત હર્ષ ઉત્પન્ન થયો, અને કૌરવોને તો પોતાના આયુષ્યવિષે પણ સંરાય ઉત્પન્ન થયે; અને તે યુદ્ધ, અવલોકન કરનાર દેવોને કૌતુક ઉત્પન્ન થયું. તે સમયે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy