SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંયાં દ્રોણાચાર્યે પણ, શકટવ્યૂહની ખાહાર ધમૅરાજારૂપ નિધિને પ્રાપ્ત કરવા સારૂં પગથી સરખા જે રાજાઓ-તેણે કરી યુકત એવા તળાવ સરખી પાંડવોની સેનાને, જેમ તળાવમાં અંતર્ગત રહેનારા દ્વવ્યનિધિને પ્રાપ્ત કરવાસારૂ યત્ન કરનારો પુરૂષ, પગથીયાંગ્મ યુક્ત એવા તે તળાવને શોષણ કરેછે, તેમ સંહાર કરતા હવા. એ પ્રમાણે સમુદ્રને જેમ મંદરાચળ મંથન કરેછે તે સમયે જેમ સમુદ્રના તરંગોનો મોટો શબ્દ થાયછે તેમ, પાંડવોની સેનાના વીરસમુદાયન ઢોણાચાર્યે મંથન કરવા લાગ્યા છતાં, સૈનીક લોકોનો મહોઢો કોળાહળ શબ્દ ઊત્પન્ન થયો. અહીંયાં યુદ્ધ કરતાં કરતાં કેશનેવિષેથી ઝાલીને સાત્યકિના મસ્તકને ખડ્ગ કરી કાપવા માટે ભૂરિત્રવાના ખાહુ, શ્રુત થયા છતાં તેને જોઇને કૈટભારિ જે શ્રીકૃષ્ણ-તે અર્જુનપ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે, “હું ધનંજય, હે ધનંજ્ય, તું લેતાં છતાં આ સાત્યકી મરે છે!! મરે છે!! એવું જાણુ, અને ખાણે કરી આ ભરિત્રવાના બાહુને કાપી નાખ; કારણ “અમે વીર છેએ” એવું અભિમાન ધારણ કરનારા પુરૂષોએ કોઈપણ પ્રકારે પોતાના પક્ષપાતીનું રક્ષણ કરવું.” એવું કૃષ્ણ ભાષણ કરેછે એટલામાં અસ્તાચળપ્રત્યે ગમન કરનારા સૂર્યને, પાંડવોના અને કૌરવોના સૈનિકો, ચક્રવાક અને ઘુઅડ સરખા દુઃખિત થઈ અને આનંદિત થઈ એકદમ અવલોકન કરવા લાગ્યા. અર્થાત, સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરવો એવી અર્જુને પ્રતિજ્ઞા કરીછે; તે સૂર્યાંસ્ત થવા લાગ્યો છતાં યદ્રથનો વધ થયો નહીં, તેથી હવે અર્જુન અગ્નિમાં પ્રવેશ કરશે; એવું જાણી સૂર્યાસ્ત થતો જોઈ પાંડવો દુ:ખિત થયા અને કૌરવો આનંદિત થયા; તે સમયને વિષે કિંચિત વક્રુપાએયુક્ત જેનું મુખછે એવો અર્જુન, “એકદમ પ્રાપ્ત થએલાં આ સર્વે કૃત્ય શી રીતે કરવાં!” એમ વ્યગ્ર થઈ ચિંતન કરવા લાગ્યો કે “અહીંયાં ધર્મરાજાની પાસે ગમન કરવું, અહીંયાં યદ્રથનો વધ કરવો, અહીંયાં સાત્મકીનું રક્ષણ કરવું અને અહીંયાં તો સૂર્ય, અસ્ત પામવા માટે ઉત્સુક થયો છે; એ માટે આ સર્વ પ્રકાર એકદમ કેમ બની શકરો!” એવી ચિંતાએ વ્યાપ્ત થએલા અર્જુનપ્રત્યે ફરી શ્રીકૃષ્ણે એવું ભાષણ કરવું. શ્રીકૃષ્ણ-હે અર્જુન, જુએછે શું? ઉતાવળે ભૂધ્ધિવાનો ખાહુ છેદન કર. એવું કૃષ્ણે કહ્યું છતાં ખડ્ગ કરી યુક્ત એવા ભૂધ્ધિવાનો દક્ષિણ કરકમળ, અર્જુને છેદન કરચો છતાં તે ભૂરિશ્રવા “હું સાત્યકિની સાથે પદાતિ (પઢચર) થઇ યુદ્ધ કરતો હતો છતાં હે અર્જુન, રથારૂઢ થએલો એવો જે તું-તેને મારા ખાહુનું છેદન કરવું એ બહુ નિંદ્ય છે.” ઇત્યાદિક નાના પ્રકારનાં ક્રોધયુક્ત વચનોએ અર્જુનની નિંદા કરી તેનો રથ પાછો કેરવાવતો હવો. પછી પોતાના પ્રાણવાયુને યોગાભ્યાસે બ્રહ્મદ્વારાએ કરી નાશ પમાડવાની ઇચ્છા કરનારા ભૂરિત્રવાને અકસ્મત સાત્યકિ ઊઠીને સ્વેચ્છાએ વધ કરતો હવો Jain Educationa International For Personal and Private Use Only ૪૨૩ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy