SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ એ ન સહન કરતા હતા. તે સમયે અર્જુનને પુત્રશોકાગ્નિએ કરી ઉત્પન્ન થએ જે તાપ, તેની શક્તિ છે Sી કરવા માટે જ જાણે હોયના!એવાં બાએ શત્રુઓના પ્રાણરૂપ ઉદકને અત્યંત સ્વિકાર્યું. અને ? થતા અર્જુનનાં બાણેએ ઘણા શત્રુઓના પ્રાણ લીધા ત્યારપછી તે અર્જુન,શકટગ્યવિષે દેવ- પ. A દત્ત નામના પોતાના શંખને જેમજેમ વગાડવા લાગ્યો, તેમ તેમ ધર્માદિકને જ્યની આશા જ- કોડ ગૃત થવા લાગી. અહીંયાં રમાં શ્રેષ્ઠ એવો દુર્યોધન, અનનાં બાણેએ અત્યંત આન કરેલા. પિતાના સૈન્યને જોઈને મૂર્તિમાન ઉત્પાતજ હોયના! એવો તે અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે ઊ. તે સમયે અરણ્યમાં રહેનારા હાથીઓના સમુદાયના અધિપતિની સાથે નવીન પ્રાપ્ત થએલા મદાંધ હાથીનું જેવું યુદ્ધ થાય છે તેવું તે દુર્યોધનની સાથે અર્જુનનું ઘણી વખત સુધી ભયંકર યુદ્ધ ST થતું હવું. પછી જેમ નદીને વેગ, મધ્ય પ્રાપ્ત થનારા સેતુનેગે વિદ્યારણ કરી આગળ સમુદ તરફ પર જાય છે તેમ તે અર્જુન, મધ્ય અટકાવ કરનારા દુર્યોધનને વેગે ઓલંધન કરી આગળયુદ્ધભોમિનેવિષે જ ગમન કરતો હો. ત્યારપછી કોપકરી પ્રદીપ્ત થએલાને તતક્ષણ સર્વને જાણેબાળતોજ હોયના 5 એ, અને કષ્ણ જેના સારથી છે એવો અર્જુન, તે રણપ્રદેશનવિષે પદથને શોધવા લાગ્યો. તે સમયે આત્મા જેવો તેજસ્વી છે તે તેજસ્વી અર્જુન, મોહ સરખો વધ કરવા માટે યોગ્ય જે જય( દ–તેને આવરણ કરી રહેલા કામવાસના સરખા જ રાજાઓ-તે સર્વને પ્રહાર કરતો હશે. એ પ્રમાણે યુદ્ધ માટે એવો અર્જુન, શત્રુની સેનામાં યુદ્ધ કરતો કરતો ઘણે છે દૂર ગયો છતાં, અને તેને શત્રુપક્ષના રાજાઓની સાથે યુદ્ધમાં પોતાને દેવદત્ત શંખ વગાડવાની છે સગવડ ન થઈ છતાં અહીંયાં ધર્મરાજ, દેવદત્ત શંખનો શબ્દ ન સાંભળીને શંકાયુક્ત થતો હવો, હો તે સમયે તે અર્જુનની પ્રવૃત્તિ જાણવા માટે સત્ય પરાક્રમી એવો બીજો પોતાનો આત્મા જ જાણે છે હોયના એવા સાત્યકિ ધર્મરાજા, અર્જુનનીભણી મોકલો હશે. પછી તે સાત્યકિ પણ દો. I ણાચાર્યપ્રત્યે પ્રણામે કરી વંચના કરતો છતો અધિક ત્વરાએ તે શકટચૂહપ્રત્યે નૈકા જેમ સમુ દમાં પ્રવેશ કરે છે તેમ પ્રવેશ કરતે હો. નદીનું પૂર જેમ નદીની તીર ઉપરનાં વૃક્ષોને વહી છે જાય છે તેમ સર્વ રાજાઓને પરાજય કરનારો તે સાત્યકિ સેતુ સરખા ભૂરિશ્રવાને પામતો હશે. અર્થાત વૃક્ષોને વહી જનારા નદીના પ્રવાહને જેમ સેતુ અટકાવ કરે છે; તેમ રાજાઓને સંહાર શો કરનારો જે સાત્યકિ તેને ભૂરિશ્રવા અટકાવ કરતો હો. તે સમયે વીસેમણે શ્રેષ્ઠ એવા સાત્યકિ અને સૂરિશ્રવા, એ બંનેને જગતને અત્યંત ભય ઉત્પન્ન કરનાર સંગ્રામ, વનમાં રહેનારા વરહોને જેમ પરસ્પર સંગ્રામ થાય છે તેમ પરસ્પર પ્રવૃત થયે. તે યુદ્ધમાં બંને વચ્ચે પરસ્પર રથને ભંગ કરી અને સારથીનું મંથન કરી જેઓનાં ધનુષ્ય છિન્ન થયાં છે એવા તેઓ હાથમાં હાલ તો Sી તરવાર ધારણ કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy