SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ તેથી કરવાને પ્રતિષેધ કર્યો છતાં બંને સેનાઓ પોતપોતાની છાવણીઓ પ્રત્યે ગમન કરતી હવી. જે છે ત્યારપછી તે દિવસની મધ્યરાત્રીના સમયને વિષે પાંડવોએ કૌરવોના આવાસસ્થળે મૂકેલા જે ગુસપુરૂષો તેઓ પાછા પાંડવો પ્રત્યે આવીને કૌરવસેનામાં ઉત્પન્ન થએલી છાની વાતને વર્ણન કરવા લાગ્યા. કે “જગદત્તના વધે કરી ક્રોધાયમાન થએલા દ્રોણાચાર્યગુરૂ, પ્રાત:કાળે ધર્મરાજને યુદ્ધમાં ગ્રહણ કરવા માટે યુદ્ધવિષે ચક્રવ્યુહની રચના કરશે.” એવી તે ગુપ્તતાની ” વાણી સાંભળીને તે ચક્રવ્યુહને ભેદ કરવા માટે સર્વે સભાસદોની સહવર્તમાન પાંડવો, “આપ- તે ણામાં ચક્રવ્યુહને ભેદ કોણ કરશે?” એવો વિચાર કરવા લાગ્યા. તે સમયે મહાપરાક્રમેયુકત એવો અર્જુનનો પુત્ર અભિમન્યુ ભાષણ કરવા લાગ્યો. - અભિમન્યુ–પૂર્વ આપણુ હસ્તિનાપુરથી તમે સર્વ પાંડવો પ્રવાસને માટે વનમાં નિકળી ગયા છતાં દ્વારકામાં જઈ રહેનારો હું-કચ્છની સભાને વિષે રહેનારા કોઈએક પુરૂષના મુખથી કેવળ “ચક્રવ્યહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે વિષે શ્રવણ કરતો હો; પરંતુ ચક્રવ્યહથી બહાર પડવું તે કેવી રીતે? એ માત્ર મેં શ્રવણ કરચું નથી. - એવું અભિમન્યુનું ભાષણ સાંભળીને ત્યારપછી ભીમસેન ભાષણ કરવા લાગ્યો. ( ભીમસેન–હે અભિમન્યુ, તું “ચક્રવ્યુહથી બહાર કેવી રીતે પડી” એ વિષે શંકા (BP કરીશ નહીં. પ્રાત:કાળે સંશકોને જીતવા માટે અર્જુન, અન્ય ઠેકાણે નિકળી ગયો છતાં અમે તો ચારે બંધુઓ બળાત્કારે ચક્રવ્યુહને ઠેકાણે રહેનારા કૌરવપક્ષના યોદ્ધાઓને ચારે દિશાભણીથી છે ભેદન કરી ચક્રવ્યહથી બહાર પાડવા માટે તેને માર્ગ કરી આપશું CE એવું ભાષણ કરીને ત્યારપછી સર્વ સભાસદો સહિત યુદ્ધમાં શ્રમ પામેલા સર્વ પાંડવો, રે છે વિશ્રાંતિ લેવા માટે પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. બીજે દિવસે એટલે યુદ્દારંભના તેરમે દિવસે ધર્મરાજાનું અને અભિમન્યુનું રક્ષણ કરવા | માટે ભીમસેનાદિકને યથેચ્છપણે યોજીને અર્જન, સંશકોને જીતવા માટે જ હો. - અહીંયાં દ્રોણાચાર્યગુરૂ, ધર્મરાજાને યુદ્ધમાં ગ્રહણ કરવા સારૂં યુદ્ધક્ષેત્રને વિષે પ્રાપ્ત થઈને સંસારરૂપ ચક્ર જેમ દુર્ભેદ છે તેવા દુર્ભદ ચક્રવૂડને રચતા હવા. તે સમયે જેમાં અભિમન્યુ અગ્રેસર છે એવા પોતાના પક્ષના સંપૂર્ણ ધનુર્ધરાજસહિત પાંડવો પણ યુદ્ધ ભોમિનેવિષે પ્રાપ્ત થતા હતા. તે સમયે લાલવણું એવા પાટલી વનસ્પતિના પુષ્પોના રંગ સરખા શોણિતે કરી લાલ એવા જે છૂટનારાં બાણે-તેઓના સમુદાયે કરી વાત થએલો અને જીવન એટલે પાણીને શોષણ કરનાર ગ્રીષ્મસ્તુના સરખો ઉત્તમ વીશેના જીવન એટલે આયુષ્યને શોષણ કરનારો ૭) એવો સંગ્રામ થવા લાગ્યો. ત્યારપછી ચારે પાંડવો અભિમન્યુને આગળ કરી મહાશૂરપણાએ, ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy