SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ રૂષનેવિ નમ્રતાએ યુકત થવું જોઇએ, એટલે તે નમ્રતાયુક્ત થનારો પુરૂષ વૃદ્ધિ પામે છે, કારણ Sી નદીનું પૂર મહાવેગે ચાલતું છતાં તે સમયે નમ્રતા ધારણ કરનારું નેતરનાં વહા, આગળ તે ન- ર છે દીના જળથીજ વદ્ધિ પામતાં નથી શું? એ માટે ઉશી અને જળપાન એ બંનેની ઈચ્છાના નિ- ૨ & મિતે કરી તને અર્જુનની ધનુષ્યકળા દેખાડી; નહીતો દેહની ઇચ્છા સુદ્ધાં છોડનારો જે હું તેને 5 છે ઉશીકાની અને પાણીની ઈચ્છા ક્યાંથી પ્રાપ્ત થાય એ માટે હમણાં પણ ધર્મરાજાને સંપત્તિ તું હજી પોતે પ્રતિસમર્પણ કર. અને મોટા મોટા જ્ઞાતા એવા રાજઓના આ યુદ્ધવિષે થનારા ક્ષયને રક્ષણ કર, રક્ષણ કર. એ પ્રમાણે ભીષ્મપિતામહે તે દુર્યોધનને ઉપદેશ કો; પરંતુ મર્યાદાને છે ત્યાગ કરનારું અત્યંત દુર્બોધ એવો તે દુર દુર્યોધન, જેના મનનેવિષે ખેદ અત્યંત વૃદ્ધિ પામ્યો છે એવો હતો થકો ધીમે ધીમે ભીષ્મપિતામહપ્રત્યે ભાષણ કરતો હો. દર્યોધન-હે તાત, પાંડવોને માટે નખના અગ્રભાગ ઉપર રહે એટલી ભૂમિ પણ યુદ્ધવિના દિ દેવા માટે મારું મન ઈચ્છા કરતું નથી. એવી વૃદ્ધિ પામનારા ક્રોધના સિંચને કરી ચિકટાએલી દુર્યોધનની વાણી સાંભળીને ભીષ્મપિતામહ અત્યંત કંપાયમાન થયા. પછી તે ભીષ્મપિતામહ મહોટ ઊડો નિસાસો નાખીને અને ભવિતવ્યતા એટલે અવશ્ય જે બનવાકાળ છે તેનો ઉપાય છે જ નથી એવો વિચાર કરીને પછી ધૂતરાદિક સર્વે પોતાના જ્ઞાતિવર્ગપ્રત્યે પૃથક પૃથક કિંચિત ભા( પણ કરીને પછી શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરવા લાગ્યા. - ભીમપિતામહ–હે હરે, તમે ભારતાદ્ધના પતિ થઈને અરહંત દેવના શાસનને નાનાપ્રકારના ઉપાયે કરી સંપાદન કરશે. એવું શ્રીકૃષ્ણને કહીને પછી “સમસ્ત યુદ્ધાદિક કર્મો પાપયુક્ત છે એવું જાણીને અને સમતારૂપી અમૃતનું આસ્વાદન કરતા થકા શ્રીભદગુણાચાર્યની પાસે ભીષ્મપિતામહ ચારિત્ર વ્રત ગ્રહણ કરતા હતા. પછી જ્ઞાનરૂપ ચક્રના ગે કરીનાના પ્રકારના મિથ્યાત્વનો નાશ કરતા થકા, સમતારૂપ શક્તિએ કરી રાગ અને દ્રવરૂપ મહા હસ્તિઓને ભેદ ૭) ન કરતા થકા, ધ્યાનરૂપ ભાલે કરી નિયમને વિષે ન રહેલા એવા ઇંદિયરૂપ અને દમન કરતા એ ( થકા, ક્ષમાદિક બાણોએ કરી ક્રોધાદિકરૂપ વીરોના સમુદાયને ઘાત કરતા થા અને શ્રદ્ધારૂપ છે કવચ, સર્વગવિષે ધારણ કરનારા એવા ભીષ્મપિતામહરૂપ મહામુનિ, નિર્ભયપણે મોહરાજાની સાથે યુદ્ધ કરવા માટે આરંભ કરતા હતા. પછી સંપૂર્ણ પાંડવ અને કૌરવ, તે સ્થળે રહેનારા પ્રત્યેક મુનિને વંદન કરીને પછી સત્વગુણવિષે એકાગ્રચિત્ત થએલા એવા ભીષ્મપિતામહ છે. મુનિરાજને વંદન કરી પોતપોતાના આવાસ પ્રત્યે ગમન કરતા હવા.. ત્યારપછી જેનું મુખ અત્યંત સ્નાથ થએલું છે, અને જેનાં નેત્ર, ચિતાએ કરી સંકોચિત છે તો હ) એવા દુર્યોધન પ્રત્યે દોણાચાર્ય આવીને ભાષણ કરતા હવા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy