SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ છે. તનાં નેત્ર મિચ્યાં છે તથા જેમનું ધનુષ્ય હાથમાંથી ગલિત થયું છે એવા તાલદેવજ ભીષ્મપિતા છે મહ સૂચ્છ પામીને પોતે બેઠેલા રથના મધ્યભાગવિષે પતન પામતા હવા. તે સમયે તે સંકટઅવસ્થા પ્રત્યે પ્રાપ્ત થએલા ભીષ્મપિતામહને અવલોકન કરવા માટે જાણે અસમર્થ હોયના! એવો અને જેણે સર્વસ્વ કિરણો ત્યાગ કર્યો એવો સૂર્ય દીપાંતરને પામતો હવો. અને તો થત, અસ્ત પામતો હવે તે સમયે દુર્યોધન અને પ્રદોષકાળ-એ બંને, અંધકારના સમુદાયે ” જેઓની આશા કિંવા દિશાઓ નિરાશ પામેલીઓ છે એવા અને નક્ષત્રોના ઉદયે કરી શોભ- D નાર એવા થતા હવા. અર્થાત, ભીષ્મપિતા પડ્યા તેથી જેને ક્ષત્રિયકુળને યરૂપ ઉદય નથી ) એવ અને અજ્ઞાનના સમુદાયે કરી દિગભ્રમ પભનારો એવો દુર્યોધન થયો. અને પ્રદોષકાળ, Sી સૂર્યાસ્ત થયો છતાં અંધકારના સમુદાયે કરી દિશાઓના જ્ઞાનવિષે મયુક્ત એવો અને નક્ષત્રોના ઉદયે કરી શોભનાર એવો થયો. ત્યાર પછી શોક અને અંધકારના યોગે કરી ભ્રમિષ્ટ થએલા એવા અને “હે તાત, હે તાત એવી રીતે આક્રોશ કરનારા જે કૌરવ અને પાં- કોડ હવ-તેઓએ પોતપોતાની સેનાને અવહાર કર્યો. એટલામાં જે ભીષ્મપિતામહના સાધમ (Dભાઈએ પ્રથમ મામાને ઘેર રહ્યા હતા તે દિવસના બેચર જે સબ્રહ્મચારીઓ હતા અથત ભી- એ છે મપિતામહના સાધર્મિ ભાઈઓ હતા, તેઓ ભીષ્મપિતામહની પાસે આવી હા આનંદે તે વD ભીષ્મપિતામહને ત્યાંથી પાસેના પર્વતની ગુફામાં ભદક્ષાચાર્યના સમિપભાગે લઈ ગયા. અહીંયાં હસ્તિનાપુરમાં સંજ્યના મુખથી તે વૃત્તાંત સાંભળીને પતરાણ તતકાળ શોકે કરી પ્રાપ્ત થનારા અશ્રપાત કરી યુક્ત હોત થકો ભીષ્મપિતામહના સમિપભાગે ગમન કરતે હો. અને હીંયાં વળી જેઓનાં નેત્રો અશ્રુઓએ કરી યુક્ત છે એવા કૌરવો અને પાંડવોએ પણ ભીષ્મપિતામહની પાસે આવીને નાના પ્રકારના ઊપચાએ કરી ફરી તે ભીષ્મપિતામહ ચેતનાને પમાડચ. તે સમયે તે ભીષ્મપિતામહ તે કૌરવ પાંડવોનેવિષે પોતાની અમૃતરસમયી દૃષ્ટિને, ચંદ જેમ કોડ કુમુદનીવિષે પોતાના પ્રકાશને સ્થાપન કરે છે તેમ સ્થાપન કરતા હતા. તે સમયે જેઓનેવષે જ (નેગે પ્રકૃશ્ચિત થએલા છે એવાં તે કૌરવ પાંડવોનાં મુખ, જેનેવિષે ભ્રમર અત્યંત બ્રમણ પામે છે આ એવી કમનીઓની જેમ પ્રકાશ પામવા લાગ્યાં. ત્યાર પછી મંદ મંદ શબ્દ કરનાર એવા જે A ભીષ્મપિતામહ તે કૌરવપ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે “હે વત્સ, મારા મસ્તકને આધાર નથી કે માટે નિરાધાર એવી મારી ગ્રીવા મને અત્યંત દુઃખ દે છે. એવું ભીષ્મપિતામહનું ભાષણશ્રવણ કરી . પછી હસતુલમય અને સુખનાં કેવળ નિધાન એવાં પક્ષીઓના પરનાં ભરેલાં ઉશીકાં આણીને કરે નમ્રતા પૂર્વક સમર્પણ કરતા હતા. તે સમયે મસ્તક ધુણાવીને તે ઊશીકાનો નિષેધ કરી જેમનું મુખ હાસ્યયુક્ત છે એવા ભીષ્મપિતામહ અર્જુનવિષે શુભ્રવર્ણદિને સ્થાપન કરતા હતા. તે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy