SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ s છેતપ, સ્વાધ્યાય, સંયમ અને દાન-એઓએ કરી જેનાં ઘણાં કર્મો છૂટી ગયા છે એવો જે તે જ S: પ્રતિદિવસ એ કર્મોનું આચરણ કરતો હતો. પછી સર્વથા બાહ્યાભ્યતર પરિગ્રહના સં- જીર ગને પરિત્યાગ કરવા માટે ઇચ્છા કરનારો એવો જે હું તેને પણ પવનવેગ નામના મારા મામાએ સર્વ કળાઓ શિખવી. કેઈએક સમયે ત્રિકાળજ્ઞ એવા મુનિચંદ નામના જ્ઞાની મુ- કોડ નિને મારા મામાની સાથે વંદન કરી તતકાળ અંગઊપર રોમાંચ ધારણ કરનારો એવો જે હું, તે હાથ જોડી સર્વની પ્રત્યક્ષ પ્રશ્ન કરવા માટે અવકાશ પામીને તે મુનિને પ્રશ્ન કરતે હો કે “હે મુનિદ, જે પરમાનંદને મૂળકંદ અને જે મેહરૂપ અંધકારનો નાશ કરવાને સૂર્યસમાન, એવું ) છે. સર્વ સંયમ અને કયારે પ્રા થશે? તે સમયે તે મુનિદ પણ મારી પ્રત્યે ભાષણ કરતા હતા કે જે હે ભદ, ગુણે કરી ચંદ સરખી પ્રકાશમાન અને મહાસતી એવી તારી કનિટમાતા સત્યવતી અને નામની જ્યારે થશે ત્યારે તેના પુત્રના સંબંધે કરી તું ઘણાકાળપર્યત ગૃહવિષે વાસ કરશે. કારણ, તાર સરખા વિચારયુકત ચિત્તવાળા જેઓછે તેઓને બીજાઓનું કાર્ય કરવું એજ સ્વાર્થ S) છે એ માટે તારા પિતાની પ્રીતિને અર્થે જીવનપર્યત બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારો તું ગ્રહવાસને વિષે રહીને પણ દેવવ્રત એવા નામે કરી પ્રખ્યાતિને પામશે. અને ત્યારપછી જેનો મોટો મહિમા છે એવો તું મનુક્રમે કરગોવનવિષે પિતામહ, એવો પ્રખ્યાત થઈ શત્રુઓથી અત્યંત પિડિત થએલા એવા દુર્યોધનની વતી તેના શત્રુઓ સાથે યુદ્ધ કરી તે દુર્યોધનના મણથી મુક્ત થઈશ; mો અને ત્યારપછી મારે ભણસાચાર્ય નામે જે શિષ્ય-તેના સમિપભાગનેવિષે અતિશ્રદ્ધાયુકત 5 થઈને સર્વ ભાવશલ્યનો ત્યાગ કરી, દિવ્યશલ્યથી ઉત્પન્ન થએલી તે દુઃસહવ્યથાને સહન કરનારો અને વર્ષપર્યંત જેનું આયુષ્ય અવશેષ રહેલું છે એવો એકાગ્રચિત્ત તું પ્રવજ્યને ધારણ કરશે, અને ઉત્તમ પ્રકારની આરાધના કરી જેનું ચિત્ત સર્વ ઉપર સમદષ્ટિપણાનેવિષે અત્યંત નિમગ્ન છે એ તું એક વર્ષના અંતે જે સ્વર્ગલોકથી કદી પણ અધ:પાત નથી એટલે નીચું પડવું નથી જ એવા સ્વર્ગલોકપ્રત્યે સુખે કરી ગમન કરશે એવું કહી જેમનું ઉત્તમ ચારિત્ર છે એવા તે મુનિ, અન્ય ઠેકાણે ગમન કરતા હતા. હું પણ તેમના કહેવા પ્રમાણે તે દિવસથી તે આજપર્યંત તેમની ઊચ્ચારેલી વાણીનો અનુભવ લેતો હતો. એ માટે હે વત્સ દુર્યોધન, એ ખેચશે ધર્મગ્રહમુને માટે મારા સબ્રહ્મચારી અને એક ગુરૂની પાસે રહીને બ્રહ્મચર્યાદિક વ્રત લેનારા, સ્વાધ્યાયી, સમાન વયવાળા અને ચતુર છે; એ સર્વ વાતે મારા સાધર્મિઓ છે, તે માટે તેઓ આ સમયે મને ગુરૂની વાણીનું સમરણ કરાવે છે. છે એવું ભીષ્મપિતામહ દુર્યોધનપ્રત્યે કહેતા છતા રોમાંચના સમુદાય જ જણે પ્રાપ્ત થયા છે ) હોયના! એવાં, અર્જુનનાં પ્રતિરોમવિષે લાગેલાં બાણોએ પરિપૂર્ણ એવા અને જેમણે પે- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy