SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ વિજળીના પ્રકારાની રેખાને કરનારાં છે, અર્થાત, તે ખાણો જવાના માર્ગને સુવર્ણમય પંખે કરી વિજળીની રેખા સરખો કરતાં હતાં, દેવો સરખાં સુપર્વો,અર્થાત્ દેવાનું જેમ સુપા ના મળે તેમ આ માણોનું નામ પણ સુપર્યાં છે, અને શુભકર્યું જેમ સફળ થાયછે તેમ જેઓ સફળ છે, અર્થાત સફળ એટલે ભાલોડા સહિત અને ખીજો અર્થ એક ધારા નિશાનને મારનારાં, એવાં આ બાણો, અવશ્ય અર્જુનનાંજ છે. એ ખાણો કાંઈ શિખંડીનાં નથી. આજ આ મહારો વત્સ જે અર્જુન, તેની ધર્તાવૈદ્યાનો અનુભવ લેનારો અને મારા મૃત્યુકાળનેવિષે પ્રાપ્ત થએલો એવો જે આ મારો અંતરાત્મા-તે જીવન પામેછે. અર્થાત અર્જુનની ખાણ મૂકવાની અનૂપમ યોજના જોઈ આ મૃત્યુતુયદશાનેવિષે પણ મને અત્યંત આનંદ ઉત્પન્ન થાયછે. એ પ્રમાણે ભીષ્મપિતામહ, પોતાના સારથીપ્રત્યે ભાષણ કરતા હતા; એટલામાં આકાશથી એવી વાણી ઉત્પન્ન થઇ કે “હું ગાંગેય, તારા ગુરૂએ ઉચ્ચારેલી વાણીને તું વિસરીશ નહીં.” એવી વાણી શ્રવણ કરી વિસ્મય પામેલો દુર્યોધન, ભીષ્મપિતામહની પાસે જઈ પ્રશ્ન કરતો હવો કે “હું તાત, આકારાથી કોઇએક ખેંચર તમને ગુરૂવાણીપ્રત્યે શું સ્મરણ કરાવે છે” એવું દુર્યો ધનનું ભાષણ શ્રવણ કરીને ત્યારપછી ગંગાના પુત્ર ભીષ્મપિતામહ ભાષણ કરતા હવા. ભીષ્મ—હે દુર્યોધન, હું બાલ્યાવસ્થાનેવિષે મારા માતામહના ગૃહનેવિષે રહેતો થકો માતાની સાથે ચારભ્રમણને વંદન કરતો હવો. તે સમયે તે કૃપાળુ એવા ચારભ્રમણ, સમિપ ભાગે રહેનારો જે હું–તેનીપ્રત્યે વિશુદ્ધ એવા સાધુધર્મ અને શ્રાવકધર્મના આચરણને કહેવા લાગ્યા. તે સમયે હું કુરાજેંદ્ર, તે મુનિની પાસેંથી પ્રાપ્ત થએલું ધર્મનું રહસ્ય મારોહૃદયને અત્યંત પ્રિય થયું; અને મને યથેચ્છપણે પ્રાણીમાત્રના કલ્યાણની ઈચ્છા ઉત્પન્ન થઈ. પછી તે દ્વિવસથી હું સર્વે પ્રાણીમાત્રના સમુદ્દાયને મારા આત્મા સરખા બેઊંધું. અર્થાત અહિંસા ધર્મે મેં સ્વિકારચો છે: મુનિના સરખી સત્યે કરીને પવિત્ર એવી વાણી હું બોલુંછું, અર્થાત, ખીજું સત્યધમઁવ્રત મેં સ્વિકારવ્યું છે. તેમજ ખીજાના દ્વવ્યનેવિષે મારૂં ચિત્તવિમુખ થયુંછે; અર્થાત્ ત્રીજું ચૌરચકર્યું ન કરવું એવું વ્રત મેં સ્વિકારવ્યું છેઃબ્રહ્મચર્યવ્રતનેવિષે જેનું મન નિષ્કપટ છે એવો જે હું–તેને સર્વ સ્ત્રીસમુદાય તૃણુતુલ્ય લાગેછે, અર્થાત્ બ્રહ્મચર્યવ્રતના આચરણે કરી મેં સ્ત્રીની ઈચ્છા છોડી દીધીછે એટલે એ ચોથું બ્રહ્મચર્યવ્રત લીધું છે; અને તેમજ બીજાઓનું પ્રિય કરવું તથા સંતોષ અને પરિગ્રહનો નિગ્રહ-એઓનો પણ મેં સ્વિકાર કરડ્યો છે. જે પુરૂષ જૈનધર્મને વિષે પોતાના ચિત્તને સ્થાપન કરશું છે તે પુરૂષને શું દુષ્કર છે? અર્થાત કાંઈ પણ દુષ્કર નથી; એવી રીતિએ અનાચારથી વિમુખ, ધર્મનેવિષે તત્પર અને શ્રવણ કરેલા ધર્મનેવિષે એકાગ્ર બુદ્ધિ એવો જે હું તે અશેષ આશ્રવથી વિરામ પામ્યો. અરહત દેવની પૂજા, ગુરૂની ઉપાસના, Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy