SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છ જઈ સમયે શત્રુઓને તાપ ઉત્પન્ન કરનારાં ભીષ્મપિતામહનાં બાણેએ કરી વ્યાકુળ થએલા તેને SS કેટલાક રાજાઓ, યુદ્ધસ્થળને વિષે મરણ પામી પડેલા હસ્તિઓના મધ્યભાગે પોતાના રથને છે સ્થાપન કરી વિશ્રાંતી લેતા હતા. એ પ્રમાણે કરીને યુદ્ધવિષે શત્રુની સેના યથેચ્છપણે કે વિમુખતા પામી છતાં ભીષ્મપિતામહના હસ્ત, ઘણીવારસુધી વ્યાપારરહિત થયા. ત્યાર પછી 5 પર્ણચંદનું મંડળ, સબબની સેવા કરવા માટે જેમ સૂર્યની સન્મુખ પ્રાપ્ત થાય છે, તેમ તે છે યુનેવિષે શિખંડીનો રથ, ભીષ્મભિતામહના રથના અગ્રભાગે પ્રાપ્ત થતો હશે. અર્થાત, પર્ણિ- - માને દિવસે ચંદ્રબિંબને ઉદય થયો છતાં તેની સન્મુખ અસ્ત પામનારૂં જે સૂર્યનું બિંબ દેખાય. છે છે તેમ, શિખંડી સન્મુખ ગ છતાં ભીષ્મપિતામહ દસવા લાગ્યા. મહાશૂર અને યુદ્ધ કર- જ નારો જે શિખંડી તેના નિવારણ માટે કૌરવો તરફના વીશે શિખંડીની સન્મુખ દોડવા લાગ્યા છતાં તે શિખંડીના પાર્વરક્ષક જે ભીમસેન અને અર્જુન-એઓએ બાણેકરી તે વીશેને પ્રતિ કાર કર્યો. તે સમયે મંદાકિનીપુત્ર ભીષ્મપિતામહ-તેમણે પોતાની સન્મુખ ચંકોદંડપાણિ છું. એટલે તીવ્ર ધનુષ્ય ધારણ કરનારા શિખંડીને અવલોકન કરી યુદ્ધનવિષે જે આવેશ-તે આવેશને ( પોતે મંદ કરતા હવા. અર્થાત. તે શિખંડી પંઢ હોવાથી “તેના ઉપર બાણ છોડવા એ વીરપુરૂ ષને યોગ્ય નહીં એવું મનમાં ધારીને ભીષ્મપિતામહ યુદ્ધ કરવું મૂકી દેઈ સ્તબ્ધ થઈને રહ્યા 0િ અને કોવ્યાવધિ યોદ્ધાઓના સમુદાયના સંહાર કરી જેને શ્રમ પ્રાપ્ત થયો છે એવા પોતાના ધ નુષ્યને જાણે કૃપા કરીને જ હોયના! તેમ પિતામહ ભીષ્મ, વિશ્રાંતી દેતા હતા. તે સમયે હેમંતઋતુના સૂર્ય સરખા, કિંવા મંત્રથી સ્તંભન પામેલા અગ્નિ સરખા, કિંવા વૃદ્ધપણું પામેલા સિંહ સરખા તે ભીષ્મપિતામહ દીસવા લાગ્યા. ત્યારપછી શિખંડીએ યથેચ્છપબાણ કરીને ભીઆ મપિતામહને તાડન કા; પરંતુ ગંભીરદી એટલે ઘણીવાર મહાવતે કરેલી શિક્ષાને ન માન નારો જે હાથી તેની જેમ તે ભીષ્મપિતામહ, શિખંડીના બાણને કાંઈજ લેખવતા ન હતા. એટલામાં ધષ્ટદ્યુમ્નાદિક સંપૂર્ણ યોદ્ધાઓ પણ ચારે બાજુeણીથી તે ભીષ્મપિતામહને બાણવ6 ટિએ કરી આચ્છાદિત કરતા હતા. ત્યાર પછી જેઓના બાણોનો પ્રહર અસહ્ય છે એવા તે તો જ ઘટઘુમ્માદિક વિશેને જોઈને જેમના અવશેષ્ઠ ક્રોધે કરી કંપાયમાન છે; એવા ગંગાતનય ભીષ્મ- 6 પિતામહ, ફરી ધનુષ્યનેવિષે પ્રત્યંચા ચઢાવતા હવા; અને તેમના ચક્રરક્ષક જે દુર્યોધન અને દુરશાસનાદિક-તેઓ પણ એકદમ મહાવેગે કરી શત્રુઓના પ્રાણવાયુની યાચના કરનારા અર્થાત શરૂઓના પ્રાણને હરણ કરનારા સપૅજ જણે હોયના એવા બાણોએ કરી વૃદ્ધિ કરવા લાગ્યા. તે સમયે સર્વ લોકોએ દિશા, વિદિશા, આકાશ,અને પુત્રી એ કાંઈજ અવલોકન કરવું નહીં,પણું કેવળ સર્વ જગતબાણમય અવલોકન કર્યું. પછી મહાત્વરાએ અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણ, ભાષણ કરવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy