SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત ભાગનેજ માત્ર જોતા હતા; પણ કોઈના મુખને ન જોતા હવા, અર્થાત શત્રુઓ પલાયન કરવા લાગ્યા છતાં તેઓના પૃષ્ઠભાગને, અને ત્વરાએ ખાણ છોડતાં ખાણુનો પણ પૃષ્ઠભાગજ જોતા હવા; તેઓના એટલે શત્રુઓના અને માણુના મુખભાગને જોવાનો તેમને સમયજ મળ્યો નહી, તે સમયે ભીષ્મપિતામહ એકલાએ પણ પાંડવોની આસપાસ રહેનારા અનેક રાજાઓને, નદીના અનેક કહ્યોલોને જેમ મહા પર્વતના કલ્લોલરૃપ એકજ ડુંગર પાછા ફેરવીને નહી સરખા કરેછે; તેમ પાછા ફેરવી ફેરવીને સંહાર કરચો. એ પ્રમાણે ભીષ્મપિતામહુ, ખાણોની વૃદ્ધિ કરવા લાગ્યા છતાં પાંડવ પક્ષના વીરો પ્રત્યંચારહિત ધનુષ્યની સહવર્તમાન પોતે પણ પ્રાણરહિત થતા હવા. અર્થાત્, તેઓના ધનુષ્યની પ્રત્યંચાઓ ભીષ્મપિતામહે પોતાનાં બાણોએ કરી તોડીઓ અને તેઓના પ્રાણ પણ હરણ કરી. પછી તામ્રવર્ણ મેધના મિષે કરી રક્તરૂપ ઉદકે વાદળોને કાદવયુકત કરતાં છતાં તેનાથી પોતાનું રક્ષણ કરવાનેજ માટે જાણે હોયના! તેમ સૂર્ય અસ્ત પામ્યો. તે સમયે જયનો લોભ ધારણ કરનારા કૌરવો, કુમુદની સરખા પ્રકાશ પામ્યા. અર્થાત, સૂર્ય અસ્ત થયો છતાં ચંદ્રવિકાસી કુમુદની પ્રફુલ્લિત થઈ અને કૌરવો હર્ષ પામ્યા. અને સૂર્યવિકસીત કમળો સરખા પાંડવો સંકોચ પામવા લાગ્યા. તે સમયે બંને સેનાના છડીદારોએ સંધ્યાકાળ થયો એટલે “હે વીરો હવે યુદ્દ કરોં નહીં” એવો નિષેધ કરચો; તે કારણે યુહુસ્થળથી તે બંને સેનાઓ પોત પોતાના નિવાસસ્થળપ્રત્યે ગમન કરતી હવીઓ. ત્યારપછી તે દિવસની રાત્રિનેવિષે ધર્મરાજા, કૃષ્ણ જેઓમાં મુખ્ય છે એવા સંપૂણૅ સભાસદોને એકસ્થળે ખોલાવીને તેઓની સાથે આવી રીતનો વિચાર કરતો હવો; કે નવીન મેધે અંધકારરૂપ સેનાને પ્રવૃત કરી છતાં તે સમયે જેમ આકાશમાં “અમુક ઠેકાણે ચંદ્રછે” તે વિષે પણ સંશય પ્રાપ્ત થાયછે તો પછી તે ચંદ્રનો પ્રકાશ શો પડવાનો છે? તેમ એ જાન્હવીપુત્ર ભીપિતામહ જ્યાંસુધી યુસિનેવિષે ધનુષ્યને કંપાયમાન કરેછે, અર્થાત ધનુષ્ય ધારણ કરી ખાણ ચઢાવીને મારેછે: ત્યાંસુધી આપણને ઉત્તમ વિજય પ્રાપ્ત થવો તો દૂરજ છે પરંતુ વિતની આશા પણ નારાવંતન છે. એ માટે આ સમયનેવિષે આપણે કેવો યત્ન કરવો જોઈD! તે પ્રકાર તમે સર્વે મળીને કહો. મારૂં ચિત્તતો તમારામાંથી ભીષ્મપિતામહને કોણ મારો? અને તે કેવી રીતે મારશે! એ વિષે મોટી શંકાયુક્ત થઇને રહ્યું છે.” એવાં યુધિષ્ઠિરનાં વચન સાંભળીને કંસાંતક જે શ્રીકૃષ્ણ તે ભાષણ કરવા લાગ્યા. કૃષ્ણ—હે રાજન, આજના યુદ્ઘ વિષે આપણા પક્ષના રાજાઓનો યથેચ્છપણે સંહાર કરનાર ગંગાતનય ભીષ્મપિતામહને ક્રોધે કરી મારવા માટે મારા બાહુઓ પોતેજ ઉત્સાહ પામ્યા હતા; પરંતુ તે સમયે અર્જુન, નાનાપ્રકારના સોંગને કરી મારા ઉત્સાહ પામેલા બાહુઓનું નિરોધન Jain Educationa International ૧૦૧ For Personal and Private Use Only ૪૦૧ www.jainellbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy