SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તામહ-તેમના નિવાસપ્રત્યે ગમન કરતે હો. ત્યાં જઈને ભીષ્મપિતામહને વંદન કરી અને તેના જે SS સમિપભાગે બેસીને કાંઈ નિંદા કટાક્ષપૂર્વક દુર્યોધન ભાષણ કરતો હો. દુયોધન–હે તાત, તમારા ધનુધરીપણાને આધાર અમને અવશ્ય છે. એ માટે જ પાંડવોના નાશને સારું આ મારો સર્વ યુદ્દારંભ થયો છે; પરંતુ અગ્નિ પણ વાયુના સહાય વિના વનને બાળવા માટે જેમ સમર્થ નથી, તેમ મારા વીરોમાં કોણ એવો સમર્થ છે કે જે તમારા સહાયવિના પાંડવોને ઊદ કરી શકે? તમે તો પાંડવોના પક્ષપાતી હોવાથી પાંડવોના જ ગુણનું છે વર્ણન કરનાર છે. એ માટે યુદ્ધવિષે પાંડવોના પક્ષપાતીવીએ અમારી તરફના મોટા મોટા છે વીસેને નિત્ય મારણ્યા છતાં તેઓની તમે ઉપેક્ષા કરો છો. એ માટે જે તે પાંડવો તમને જ પર અત્યંત પ્રિય હોય અને તે કારણે જ તેઓને રાજ દેવાની તમારી ઈચ્છા હોય તો; હે તાત, અને આ હમણાંજ તમે તમારે હાથે કરી માસે વધ કરો. એવું આપણે ભાષણ કરનારા દુર્યોધન પ્રત્યે ભીષ્મપિતામહ ભાષણ કરવા લાગ્યા. - ભીષ્મપિતામહ—હે વત્સ, તુચ્છપુરૂષને યોગ્ય એવો આ વાણીનો ઉચ્ચાર તને કયાંથી પ્રાપ્ત થયો? એ પાંડવોના બંધુપણા માટે જોકે મારું ચિત્ત તેઓને વિષે વાત્સલ્યભાવ ધારણ કરે છે, તથાપિ મેં મારું જીવિતવ્ય તો તારેવિશે વેચ્યું છે; માટે પાંડવોની સાથે વાત્સલ્યભાવપણે ચા» લવું છોડી દઈમારે યુદ્ધ કરવાનું છે અને તેમ હું કરું છું પણ ખરો, પરંતુ જે સૈન્યમાં અર્જુન, તો છે હાથને વિષે ધનુષ્ય ધારણ કરી રહે છે; તે સૈન્યમાં યુદ્ધગણને વિષે અવશ્ય જ્ય પ્રાપ્ત થવાને મને તે સરાય છે; તથાપિ જન્મથી અભ્યાસ કરેલું જે નિર્દોષ એવું મારૂ યુદ્ધકર્મ-તે યુદ્ધકર્મ કરી હું ૫ પ્રાત:કાળે શૂરહિત એવી પૃથ્વીને કરીશ. એવી રીતે જન્ડવિપુત્ર જે ભીષ્મપિતામહ-તેમણે મહા પ્રીતિએ ભાષણ કર્યું છતાં તે છે ભાષણ શ્રવણ કરીને દુર્યોધન ત્યાંથી ઉઠીને પોતાના આવાસ પ્રત્યે ગમન કરતો હો. - ત્યારપછી નવમે દિવસે પ્રાતઃકાળે પાંડવોની સેનાના યોદ્ધાઓને ભીષ્મપિતામહ, પોતાના બાએ કરી સૂર્ય જેમ કિરણેએ કરી અંધકારને નાશ કરે છે તેમ નાશ કરવા લાગ્યા. તે જ સમયે પાંડવપક્ષના કેટલાક વીર હસ્તવિષે ધનુષ્ય ધારણ કરવા માટે પણ સમર્થ થયા નહી, છે છે. તે પછી હાથમાં ધનુષ્યધારણ કરી ધનુષ્યના અગ્રભાગનેવિષે પ્રત્યંચા ચઢાવવાને માટે સમર્થ થયા હતા નહીં એમાં શું કહેવું? તે સમયે કેટલાએક વીશે તે વિશ્વના દંડની પાછળ સંતાવા લાગ્યા, કેટલાક વીર રથથી નીચે ઉતરી રથની નીચેની જગ્યામાં પ્રવેશ કરતા હવા, કેટલાએક વીશે પોતાના સારથીઓને આગળ કરી પોતાનું રક્ષણ કરતા હતા અને કેટલાએક વિશે તો અપકીતિને અંગીઆ કાર કરી યુદ્ધ મૂકી પલાયન કરતા હતા. તે સમયે ભીષ્મપિતામહ, વરીઓના અને બાણેના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy