SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ' છે. રણ પરત્વે પછી પુરૂષપણુ પામેલો) વિગ્રસ્ત વિશેષ ભય પામેલો) અને અભયદાન માગનારો-એSS ના ઉપર માત્ર શરબહાર ન કરતાં ભીષ્મપિતામહ, આકાશના અંતને વ્યાપના અને મર્મ- ર ભેદન કરનારાં એવાં અતિશય બાણોને જે સમુદાય–તેની વૃષ્ટિએકરી સાયંકાળપર્યત સહનાવધિ . ટક રાજાઓને સંહાર કરતા હતા. ત્યારપછી કૃપાએ કરી તે ભીષ્મપિતામહ, પોતાના ધનુષ્યથી કાં પ્રત્યંચાને ઉતારતા હતા. તે સમયે કૌરવ અને પાંડવોની સેનાના વીસે યુદ્ધ કરવાનું બંધ કરતા હવા. ( પછી ઉત્તરકુંવરનો વધ થવાથી ખિન્ન થએલા પાંડવો અને સંતુષ્ટ થએલા કૌરવ પોતપ- છે તાના શિબિરો પ્રત્યે (છાવણુપ્રત્યે) ગમન કરતા હતા. તે દિવસની રાત્રીનવિષે પુત્રશકે કરી છેવ્યાકુળ થએલી અને જેને નેવમાંથી ઉષ્ણુ અશ્રુઓ નિકળે છે એવી વિરાટરાજાની પટરાણી સુદે જ પણાને યુધિષ્ઠિરાજા શાંત્વન કરતા છતા ભાષણ કરવા લાગ્યા. યાધષ્ઠિરહે સુદૃષ્ણા, તમે કલ્યાણકારક એવા વિરાટરાજાની પટરાણી થઈને આવી રીતે 6 શેક કરો છો તેણે કરી તમારૂ સ્તુત્યપણું શું અર્થાત, વીરપુરૂષની સ્ત્રીએ શેક કરો છતાં તે કોડ મ્ર નિંદાપાત્ર થાય છે અને તે ઉત્તરકુંવરે આજ તમને વીરસૂ એટલે વીરજનની એવી કરેલી છે. અર્થાત તે તમારા ઉત્તરકુંવરે એવું પરાક્રમ કરવું કે તેનું પરાક્રમ જોઈને જોનારા સુભટો પણ “ધન્ય છે એની જનનીને એવું કહેવા લાગ્યા. વળી હું એવી પ્રતિજ્ઞા કરું છું કે તમારા ઉદરથી ઉત્પન્ન થએલા ઉત્તરકુંવરને તે પાપી મદાધિપતિ શલ્યના ઉદરથી પૃથક જે આકર્ષણ ન કરું તે અર્થાત તે શલ્યને મારીને ઉત્તરના વધનું વેર ન લેઊંતો આ માસે યુદ્દારંભ સફળ ન થાઓ; અને તમે જ મને કદીપણ સત્યપ્રતિજ્ઞ એવો માનશે નહીં એવી રીતે ધર્મરાજાએ આશ્વાસન કરેલી તે સુદૃષ્ણ, શોકનો ત્યાગ કરતી હવી. કારણ જેણે પદાર્થ માત્રને મૂળ સ્વભાવ જામ્યો છે; અર્થાત્ સર્વ પદાર્થ નાશવંત છે એવું જેણે જોયું છે તેવા માણસને કોઈપણ પદાર્થને નાશ થવાથી તેનાવિષે સ્વલ્પ પણ શોકસ્થિતિ કેમ પ્રાપ્ત થાયી અર્થાત ન થાય. હવે એ પ્રમાણે સાતદિવસ પર્યત ભીષ્મપિતામહે બાણના સમુદાયે કરી 5 શત્રુપક્ષના અનેક રાજાઓના સૈન્યને મારતા છતા પણ દયાળુપણે પોતાના સૈન્યનું રક્ષણ કરતા HD છે હવા. અહિંયાં હસ્તિનાપુરને વિષે ગાંધારી સહિત ધરાષ્ટ્રને, જેની બુદ્ધિ ઉદારછે એ સંm, 8 દિવસનેવિશે થએલો યુદ્ધપ્રકાર અવલોકન કરી રાત્રીનવિષે યુદ્ધસંબંધી કથા કહેતો હવે. અહીંયાં ધર્મરાજા પણ, બાણના પ્રહાર કરી ઘાયલ થએલા પોતાના સૈનીક લોકોને વાત્સલ્યતાએ કરી પ્રતિદિવસે પોતાના ઉત્તમ પ્રકારના ભાષણરૂપ પાણીએ કરી અને ઘાવની વ્યથા દૂર કરનારા ઔષધે કરી ઘાવસંબંધી દુખની નિવૃતિને પમાડતો હવો. Sી સાત દિવસ પ્રમાણે જ આઠમા દિવસને વિષે પણ ભીષ્મપિતામહ યુદ્ધ કરવા લાગ્યા છતાં તે (SSGષ્ટ ઉપર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy