SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ હો હરણ કરી છે અને જેના વજનવિષે વરાહનું ચિન્હ છે; એવો આ દવે છે. જેને કીતિ કળાહળ, વર્ણન કરવાને માટે યોગ્ય છે, જેના અો કંઠ, પૃષ્ઠભાગ, મુખ, કટિ અને પાઉંભાગ એ પાંચે ઠેકાણે કેરીના મયુકત એવા પંચભદ છે, સ્વતંત્રપણે ચાલનારે અને જેની વજને વિષે યજ્ઞસ્તંભનું ચિન્હ છે; એ આ ભૂઢિવા છે. જેણે શત્રુઓની કીર્તિ હરણ કરી છે એવો, હાથીઓમાં આરોહણ કરનારાઓ મધ્યે શ્રેટ, સુમતિક નામના ગજ ઊપર બેસનાર અને જેના બજનેવિષે પ્રઢ એવા ગજનું ચિન્હ છે; એ આ ભગદત્ત છે. અને બાહુપરાક્રમ એજ જેઓનું ભૂષણ છે એવા અને નાના પ્રકારના વિજેએ તથા અશ્વાદિક ચિન્હોએ જોવા માટે યોગ્ય એવા સુશર્માદિક અનેક રાજાઓ, આ દેખાય છે તે તું જે હે અર્જુન, જ્યરૂપ દીપને વિષે ગમન કરનારા એવા જે ધર્મરાજ-તેને મધ્યમાર્ગમાં એ પૂર્વોક્ત પરાક્રમે યુક્ત એવા આ છે. રાજાઓ તે સમુદરૂપ છે; પરંતુ હે અર્જુન, એ સમુદમાં તારું ગાડીવ ધનુષ્ય તે નૌકારૂપ છે; . માટે ધર્મરાજાને આ સર્વ રાજાઓફૂપ સમુદને પાર ઊતારી જ્યરૂપ દીપાંતરપ્રત્યે જવા માટે ૭) કાંઈપણ અડચણ પડનાર નથી. એવી કમળનાભ એવા શ્રીકૃષ્ણની વાણું સાંભળીને અત્યંત ખેદયુક્ત હોતો થકો અર્જુન ધનુષ્યનો ત્યાગ કરી રથ ઉપરજ સ્તબ્ધપણે બેઠો, અને પછી કૃષ્ણપ્રત્યે ભાષણ કરવા લાગ્યો. અન–હે કષ્ણુ, આ સર્વ, કોઈ મારા સંબંધીઓ, કોઈ ગુરૂઓ, કોઈ બાંધવો અને તે કોઈતો મારા પ્રાણસ્નેહિઓ છે; માટે એને હણવાને મારું અંતઃકરણ કિંચિત પણ ઉત્સાહ ૧) છે. પામતું નથી. એવા ગુરૂએ બંધુઓ અને સગાઓના વધરૂપ પાતકનું બીજરૂપ એવું તે રાજ્ય, કે તે લક્ષ્મી અને તે મારું સામર્થ્ય શા ઉપયોગનું છે? જે ભીમપિતામહનો ખોળો, મારા દેહરૂપી લતાને આલવાલ (ક્રૂડારૂપ) થયો. અર્થાત જે ભીષ્મપિતામહે મને નાનપણમાં પોતાને ખોળે બેસાડી રમાડયો તે ભીષ્મપિતામહને વિષે હે કષ્ણુ, મારું બાણ શી રીતે પડે વા તથા જે છે. આ મારા દોણાચાર્ય ગુરૂ, સર્વના કરતાં વિશેષ પ્રીતિએ મને જેવી રીતિએ ધનુર્વેદ દીધો તેવી જ રીતે પોતાના પુત્ર અશ્વત્થામાને પણ ધનુર્વેદ ન દેતા હવા; એવા કાણિક ગુરૂને રણક્ષેત્રનેવિષે કેમ વારું પ્રહાર કરું? ગમે તેવો અપરાધ કરે તે પણ બાંધવો તે બાંધવોજ છે; એ માટે એને વિષે પણ બાણ છોડવાસારૂં બાણ ધારણ કરનારું એવું આ મારું ગાન્ડીવ ધનુષ્ય પણ અત્યંત લજિત થાય છે. અર્જુનની એવી વાણી સાંભળીને પછી કંસારિ એવા શ્રીકૃષ્ણ ભાષણ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ– હે વીરભૂષણ, ક્ષત્રિધર્મને વિરૂદ્ધ એવો આ તારા અંત:કરણમાં કૃપાને નવો . અંદર ક્યાંથી ફ વા: હે અર્જુન, જોઈએતો ગુરૂ હોય, કિંવા પિતા હોય, કેવા પુત્ર હોય તો છે અથવા તો બાંધવ હોય પણ જો તે આયુધ ધારણ કરી આપણે પ્રતિસ્પર્ધ થયો છતાં નિશક- ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy