SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ત્રયોદશ સર્ગ પ્રારંભઃ ત્યારપછી તે બંને સેનાના યોદ્દાઓએ એવો ઠરાવ કરચો કે યુદ્ધમાં કોઈપણ કારણે અમુક અવધ પર્યંત કરેલા તહનામાનેવિષે કોઈપણ વીરને, જે યોદ્દાના હાથમાં શસ્ર ન હોય તે યોહાને અને જે સ્ત્રી હોય તેને, મારવું નહીં. પછી ધૃષ્ટદ્યુમ્ન સેનાધિપતિનું રક્ષણ કરવાને માટે ભીમસેન અને અર્જુન એ બંને શ્રેષ્ઠ રથમાં બેસી તે ધૃષ્ટદ્યુમ્નનું ચક્રરક્ષણ કરતા હવા. પછી કપિધ્વજ એવા અર્જુન, શત્રુસેનાનેવિષે રહેનારા પ્રત્યેક યોદ્દાનું નામ, ગરૂડધ્વજ એવા પોતાના સારથી શ્રીકૃષ્ણને પૂછતો હવો. પછી કૌરવોની સેનાને જોઈને કૃષ્ણ, અશ્વ અને ધ્વજ એઓના વર્ણનપૂર્વક પ્રત્યેક વીરનું કથન કરવા લાગ્યો. કૃષ્ણ—હે અર્જુન, રણભૂમિનેવિષે કેવળ કાળ સરખા, જેમના ધ્વજનેવિષે તાલનું ચિન્હ છે, જેમના અઢો શ્વેતવર્ણીના છે અને જેઓ સંપૂર્ણ શત્રુના સર્વે ગવૅને દમન કરવાને સમર્થ છે; એવા આ ગંગાપુત્ર ભીષ્મપિતામહ છે; તે તું જો. તેમજ જેમની કીર્તિ જાગૃત છે, જેમની ધ્વજાનેવિષે કલશનું ચિન્હ છે, જેમના ધોડાઓ આરતવર્ણના છે અને જેમનું ધનુષ્યપરાક્રમ, યુદ્ધનેવિષે સર્વે કરતાં શ્રેષ્ઠ છે; એવા આ દ્રોણાચાર્યે છે તે તું જો. આણી તરફ જેમની ધ્વજાને વિષે કમંડળનું ચિન્હછે, ધનુર્વિદ્યારૂપ લતાના જેઓ કેવળ કંરૂપ છે, અને ચંદન સરખી ક્રાંતિવાળા જેમના અશ્વો છે; એવા આ કૃપાચાયૅ છે. જેના ધોડા નીલવણી છે અને જેની ધ્વજાને વિષે નાગનું ચિન્હ છે, એવો ધનુર્ધારી આ દુર્યોધન છે. પૃથ્વીપાલન કરતો છતો જેને તારા બાહુઓ કેવળ શલ્ય પ્રમાણે વ્યથા ઉત્પન્ન કરેછે. જેની ધ્વજાનેવિષે જાળનું ચિન્હ છે, જેના અન્યો પીતવર્ણીના છે અને જેના ભયેકરી શત્રુઓ, ટ્વીન એવા મીન સરખા થઈને રહેછે; તે આ દુ:શાસન છે, જેમના કંઠઊપરના અને પુચ્છ ઊપરના કેરા શ્વેત વર્ણના છે, એવા ખાલ્ડ્રીક દેશમાં ઉત્પન્ન થએલા અશ્વોએયુક્ત જેનો રથ છે, જેની ધ્વજાનેવિષે મહિષનું ચિન્હછે અને એનીજ કુરુસંપત્તિ સર્વ જ્ગમાં શાહુકારપણ ધારણ કરેછે. અર્થાત, એના સરખો અતિશય દુષ્ટ ખીએ કોઈ નથી, એવો આ શનિ છે. વૈરીઓના સમુદાયથી ઉત્પન્ન થએલા ભયનું અસ્થાન એટલે સ્થાન નથી અર્થાત્ જેતે શત્રુ સમુદાયથી ભય નથી એવો, અને જેના અવો આકારાવણૅના છે, અને જેના ધ્વજનેવિષે સિંહના પુચ્છનું ચિન્હ છે; એવો દ્રોણપુત્ર આ અશ્વત્થામા છે. સંપૂર્ણ શત્રુઓના હ્રદય વિષે એ શયના જેવું આચરણ કરેછે; માટે જેનું નામ શલ્ય એ સાર્થકજ છે આવો, જેની ધ્વનેવિષે હળના ચાસનું ચિન્હછે, જે બંધુક નામક વૃક્ષના પુષ્પ સરખા રંગના અયોગ્મ યુક્ત છે અને જે શત્રુઓને રોગરૂપી છે એવો આ શક્ય છે. જેનો રથ શત્રુના સમુદાયને દુજૈય છે, જેના ધોડાઓ આરક્ત વર્ણના છે, જેણે શત્રુઓની ચેતનાશક્તિ Jain Educationa International For Personal and Private Use Only ૩૯૧ www.jainellbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy