SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ઊંચે પાંપણો કરી અર્થાત્ ઉર્ધ્વ મુખ કરી ચાલતી જઈને પતિને મદ્યપ્રાશનનું પાત્ર દેવા લાગી છતાં પગના ખસી જવાથી તે કોઇએક સ્ત્રીના હાથમાંથી તે મદ્યનું સુવર્ણપાત્ર નીચે પડ્યું. અર્થાત, પતિને અપશુકન ન થાય એવું કરવાને ઊદ્યુત થષ્મેલી તે સ્ત્રીનું ઉર્ધ્વમુખ કરી ગમન કરવું તે એક અને તેના હાથથી પાત્રનું પડવું એ બીજું એમ મળી એ અપશુકન થયા. તે સમયે યુદ્ધુનેવિષ ભક્ષણ કરવા સારૂ સિદ્ધ કરેલા કરંભના પાત્રને કોઈએક વીર, હસ્તને વિષે ધારણ કરતો છતાં તેનો પાળેલો કુતરો તે પાત્રને નીચે પાડતો હવો. પતિ, સંગ્રામને વિષે ગમન કરતો છતાં દુર્વાદિકે કરી મંગળકૃત્યની ઈચ્છા કરનારી અને ત્વરાએ ગમન કરનારી કૉઇઍક સ્ત્રીના કંઠમાં ધારણ કરેલો હારજ તૂટીને નીચે પડ્યો તેમજ પતિ, યુદ્ધને માટે ગમન કરતો છતાં એટલામાં તેની સ્ત્રીને છીંકો આવવા લાગી, ત્યારે મહાવેગે નાશિકાને ઢાખવા માટે ત્યા કરનારી કોઇએક સ્ત્રીના હાથથી કંકણ નીચે પડી ગયું. પતિના મસ્તકનેવિષે પ્રીતિએ કરી દુર્વાદિકોનો પ્રક્ષેપ કરવા માટૅ ઈચ્છા કરનારી કોઇએક સ્ત્રીના નેત્રોનેવિષે સ્તબ્ધ થએલાં અશ્રુઓ પૃથ્વી ઉપર પડવા લાગ્યાં. કોઈએક વીર, યુદ્ઘનેવિષે જવા માટે સ્ત્રીની આજ્ઞા ગ્રહણ કરવા લાગ્યો છતાં તે કોઇએક સ્ત્રીની કલ્યાણકારક શુદ્ “જી” એટલે આવો એવી વાણી સદ્રિત થએલા કંઠનેવિષે રહેલા અશ્રુના પુરે વ્યર્થ છે અર્થ જેનો એવા ધર્મને પમાડી. અર્થાત “જ્ઞાળજી” મેવું ભાષણ કરવું છતાં મુખમાંથી “નચ્છ” એવો ઉચ્ચાર થયો. તેમજ સ્ત્રીની આજ્ઞા ગ્રહણ કરી ગમન કરનારા પ્રાણનાથના ચલન પામેલા મુખને કોઈએક સ્ત્રીના દીન એવા દૃષ્ટિપાતે શૃંખલા સરખું આચરણ કરવું. અર્થાત્ આજ્ઞા લેઇને યુદ્ધવિષે ગમન કરનારા પતિને પણ તે સ્ત્રીના દીનદૃષ્ટિપાતનું વિન્ન થયું. તે સમયે ધારાતીર્થં જે યુદ્ધ-તેને વિષે મૃત્યુ પ્રાપ્ત થાય ત્યાં સુધી જેણે વૈર ધારણ કરવું છે, અર્થાત જીવંત પર્યંત વૈર ધારણ કરનારો એવો, યુનેવિષે અત્યંત શ્રદ્દા ધારણ કરનારો, મહાગવ ધારણ કરનારો અને મહા પરાક્રમી એવો દુર્યોધન-તે સંપૂર્ણ દુર્નિમિત્તની અવગણના કરતો છતાં એધને જીતવા સારૂં સૂર્ય જેમ તૂલારાશીમાં આરોહણ કરેછે, તેમ પાંડવોને નવા સારૂં રથપ્રત્યે અરોહણ કરતો હવો. અર્થાત તૂલારાશી પ્રત્યે આરોહણ કરેલા સૂર્યને મેધને જીતવાનો પ્રસંગજ આવેછે, પરંતુ દક્ષિણાયન હોવાથી માત્ર સૂર્ય કમી તેજ પામેછે. તે સમયે સજજ કરેલા પોતપોતાના વાહન વિષે આરોહણ કરનારા, કવચાદિકોએ યુક્ત થએલા અને મૂર્તિમંત ઉત્સાહજ હોયના ! કિંવા મૂર્તિમંત ધનુર્વેદજ હોયના! એવા દોણાચાર્ય અને કૃપાચાર્ય–એ જેમાં મુખ્યછે એવા યુદ્ધનેવિષે પ્રાપ્ત થએલા વીરો, અને જેઓએ શત્રુરૂપ વન દહન કરચાં છે, એવા દુ:શાસનાદિક કનિષ્ઠ બંધુઓ, અને શલ્ય, ભગદત્ત અને યદ્રથ એ જેઓમાં મુખ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy