SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સાથે જે યુદ્ધ પ્રકારતે અમે સાંભળીને મહાવિગે. અહિયાં આવ્યા છે. એ માટે અમોને એ Sખ વિષે આજ્ઞા કરવી. હે દેવ, યુદ્ધવિષે પરાજ્યરહિત એવા અમે આટલા બધા છતાં આજતમારે છે સ્વતાં યુદ્ધ કરવા માટે યુદ્ધાભનો આ શો આવેશ વારૂ એવું ભાષણ કરી યથાયોગ્ય પ્રકારે છે ભીમાદિકપ્રત્યે પણ અભિવંદન કરીને પછી સંતુષ્ટ ચિત્ત એવા ધર્મરાજાની આજ્ઞા ગ્રહણ કરી 45 તે વિદ્યાધરોપણ કવચાદિક ધારણ કરતા હવા. એલ્લામાં હેડંબાને પુત્ર ઘટોત્કચ પણ, વિદ્યાએ ( કરી કૌરવોની સાથે પાંડવોને યુદ્ધને ઊદ્યોગ થયો છે એવું જણી પોતાના મનમાં તે પાંડવોના ) સર્વ શત્રુને નાશ કરવાની ઈચ્છા ધારણ કરનારો એવો તે-તે સ્થળે આવતો હશે. તે પ્રથમ તો આ છે. ધર્મરાજને વંદન કરી પછી અનુક્રમે પિતા અને કાકાદિકોને વંદન કરતે હો. તે સમયે જેઓનાં : મુખ હર્ષયુક્ત છે એવા પાંડવોએ આજ્ઞા કરેલો તે ઘટોત્કચ પણ, યુદ્ધની સામગ્રીરૂપ જે કવચ- 2 દિક-તે ધારણ કરતે હો. તે સમયે અશ્વોના હણહણાટ શબ્દ કરી સહર્ષ, હસ્તિઓની ગર્જનાએ કરી પરાક્રમયુક્ત, વીશેના સિંહનાદે કરી મત્ત અને રથોના ગડગડાટ કરી યુક્ત એવો યુદ્ધ સંબંધી દુંદુભિને મહાનાદરૂપ શબ્દ, સંપૂર્ણ સ્વર્ગ અને ભૂમિના સંપૂટને ફોડતો છતો,સર્વ લોકોની ( કદિયને લૂટતો છતો, પર્વતોની ગુફાઓને વિદ્યારણ કરતો છતો અને મહા સમુહોને ભયુકત છે જ કરતો છત તથા પૃથ્વીને કંપાયમાન કરતો છતો ઉત્પન્ન થયો. તે સમયે સૂર્ય જેમ મકરરાશીને ) " વિષે આરોહણ કરી હિમના નાશને માટે ઊત્તરદિશા પ્રત્યે નમન કરે છે તેમ ધર્મરાજ, રથ શો ઊપર બેસી શત્રુઓના નાશને માટે રણભૂમિનેવિશે ગમન કરતો હો. તે સમયે તે ધર્મસ- 8 જાના શગુરૂપ પૃથ્વીને જાણે બૂડાડનારોજ હોયના! એવો સૈન્યરૂપ સમુદ, ધટદ્યુમ્નને આગળ SY કરી યુદ્ધને માટે ચલન પામવા લાગ્યો. તે સમયે ચક્રપાણિ એવા કૃષ્ણ, અર્જુનનું સારશ્યપણુ આ- 2 ચરણ કરતાં છતાં સર્વ લોકોએ સૂર્યને સારથી જે અરૂણતેના સરખો તે કૃષ્ણને અવલોકન કર અને અર્જુનને સૂર્યના જેવો અવલોકન કરો. અર્થાત સૂર્યનું સારણ્ય જેમ અરૂણ કરે Sળ છે તેમ શ્રીકૃષ્ણ અર્જુનનું સારશ્ય કરવું. તે સમયે વાદ્યના જે મોટા શબ્દો તે, “અમારી ઉત્પ( ત્તિની ભૂમિ જે આકાશ-તે આકાશને આ પર્વતનાં શિખર કેવળ શલ્ય એટલે તીરની અણીયો છે. સરખાં પીડા કરે છે એવું જાણીને જ જાણે હોયનાતેમ પર્વતના શિખરોને પાડતા હતા. અ- A થત, આકાશથી શબ્દની ઉત્પત્તિ છે, એ માટે આકાશને અડચણ કરનારું તો આ પર્વતોનાં આ શિખરજ છે એવું જાણુનેજ જેણે વાઘના શબ્દો તે શિખરોને તોડતા હોયના! એટલે વાઘના શબ્દો એવા નિકલ્યા કે જાણે પર્વતોના શિખરોને પણ તોડી પાડશે એવી કવિયે ઊલ્ટેક્ષા કરી: જ તે સૈન્યના સમુદાયનો સંમર્દ થયો છતાં સંકોચ પામેલી પૃથ્વીની ધૂળ, ત્વરાએ, ઉદ્ધત્તપણે. છો અથવા અનેક પ્રકારે કરી આકાશને વિષે પ્રસરતી હતી. તે સમયે અનુકુળ એવા વાયુએ કરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy