SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ લાગી, અને સત્યવતીને એ શોક થયો કે તેનું વર્ણન થઈ શકે નહી. અતિ વિલાપ કરવા ? લાગી. હે પુત્ર, તું કયાં ગયો? તારા વિના હું એકલી કેમ રહી શકીશ? હવે હું તને કયાં છે છે શેધવા જાઊં? હે વત્સ, બધા કરતાં તારી ઉપર માસે અધિક સ્નેહ હતો. તું કરૂલમાં ભૂષણ- ( રૂપ હતો. તેની આવી દશા થઈ તે હું જેવાને શા સારૂ જીવતી રહી? ઈત્યાદિક વિલાપ કરતાં 9) મૂર્ણિત થઇને પૃથ્વી ઉપર પડી ગઈ ત્યારે બીજા સ્વજનોએ સારો ઉપદેશ કરો તેથી તેની ' મૂછી વળી. અને ફરી વિચિત્રવીર્યના ગુણોનું સ્મરણ કરીને રૂદન કરવા લાગી. રાજાની ત્રણે સ્ત્રીઓ પણ સબ પાસે આવીને બેઠી. અને છાતી ફૂટી અતિ રૂદન કરવા લાગી કે, હે પ્રાણછે. પ્રિય, જેમ સૂર્ય અસ્ત થયા પછી કમલિની મહા દુર્દશાને પામે છે તેવી તમારા મરણથી અમારી અવસ્થા થઈ છે. તમે કોઈ સમયે ક્રીડા પર્વત ઉપર પણ અમ સ્ત્રીઓવિના એલા રમ્યા નથી. તે અમને અહીંજ પડતી મૂકીને પરલોકમાં કેમ રમણ કરવા ગયા? તમારાથી દૂર અમે એક આ ક્ષણ પણ રહી શકીએ નહી, એવી અમને મૂકીને અતિ દૂર કેમ જતા રહ્યા? તમારે વિયોગ નો ૭) અમે કેમ સહન કરી શકીશુંહે પ્રભુ, આપ સારી રીતે જાણો છો કે, મારા વિના મારી સ્ત્રીઓ ( રહી શકશે નહી તેમ છતાં અતિ કર મન કરીને કેમ મૂકી ગયા! હે પ્રાણ પતિ, અમારી પાસે છે આવી, આપના મુખાદિમાંથી મધુર શબ્દરૂપ મકરંદનું અમને પાન કરાશે. જેથી અમે - કમાંથી મૂકાઈને ઘેર્યને ધારણ કરિયે. એ પ્રમાણે વિલાપ કરતાં મૂછને પામી. તેઓને જાગત છે કરીને ભીષ્મપિતાએ સારી રીતે ઉપદેશ કરો. પછી તેની ઉત્તર ક્રિયા કરી ને શોકની સમાપ્તિ કરી. જે વિચિત્રવીર્યના મનહર નાના છોકરાઓ દિવસાનદિવસ વૃદ્ધિ પામવા લાગ્યા. તેઓની સ ઉપર આસ્ત રાખીને બધા કુટુંબીઓ પોતાના મનમાંથી રાજાના મરણના શેકને ભૂલી જવા છે લાગ્યા. તે છોકરાઓ નાના પ્રકારના ખેલ ખેલે તેને જોઈને પોતાનું મન વાળી લઈ સત્યવતી ( માતુશ્રી ઘણા પ્રયાસથી પોતાના શકને સંકોચ કરવા લાગી. તે ત્રણે છોકરાઓમાં પરસ્પર Sી એ સ્નેહ થયે કે એક બીજાથી ક્ષણ પણ જુદા પડે નહી. રાજા વિચિત્રવીર્ય મરણ પામ્યો છે ' તે વખતે પણ રાજ પુત્રો નાના હતા તે પણ ભીષ્મપિતાના પરાક્રમથી તે રાજ્યને કોઈ ગાંજી છે. શકશે નહીં. એટલું જ નહી પણ તે ફેશની સરહદ ઊપર પણ કોઈ ચડી શકશે નહી. કેમકે, . ભીષ્મ પિતા અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં મહા ચતુર હતા તેની પાસે બીજા કોઈનું કાંઈ ચાલતું નહી. 2િ પછી લને ધારણ કરનારે મેઘ જેમ સમુદ્રમાંથી જલને ગ્રહણ કરે છે તેમ આગળ જતાં છે મોટા પરાક્રમી થનાર જે રાજપુગે તે સમગ્ર વિદ્યામાં કુશલ જે ભીષ્મ, તેમની પાસેથી જ સમગ્ર ૬ તક વિદ્યાનું ગ્રહણ કર્યું. એ ત્રણે ભાઈઓમાં મધ્યમ જે પાંડુ તે જેમ ત્રણ લેકમાં મનુષ્ય લોક સાર છે, O) ભૂત છે તેમ વિચિત્રવીર્યના ત્રણે પુષમાં ઉત્તમ થયો. તેના શ્રેષ્ઠ ગુણ જોઈને બધાથી મોટો જે GS છે છે ભરઉભી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy