SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ને પોતાની સત્યવતી માતુશ્રીનો તથા ભીષ્મને એવો ઉપદેશ શંભળીને પોતાનાં કૃત્યેનું - સમરણ કરી વિચિત્રવીર્ય મહા લજજને પામે. અને જેમ સૂર્યનો તેજ દર્પણમાં અતિ પ્રકાશને પામે છે, તેમ તેના અંતઃકરણમાં ઉપદેશ અત્યંત ઉત થયે. પછી જે દિવસથી પોતે ઉપદેશ જ પાઓ તેજ દિવસથી ધર્મ અર્થ તથા કામ એ ત્રણે પદાર્થો ઉપર સમાન વૃત્તિ રાખવા લાગ્યું. તેની ત્રણ સ્ત્રીઓમાંથી અંબિકાને ગર્ભ રહ્યો. તેથી તેને ઘણા ટોળા થવા લાગ્યા. ને પછી ગ“ના માસ પૂરા થયાથી તેણે અતિ રૂપવાન એક પુત્રને જન્મ આપે. પુત્ર જન્મ સમયે મેટો ઉત્સવ કરીને સત્યવતી તથા ભીષ્મપિતાએ તેનું નામ ધૃતરાષ્ટ્ર એવું પાડ્યું. તે પૂર્વ જન્મના ) સંચિત કર્મથી જન્મથી જ અંધ થયે કહ્યું છે કે, ઘણું સમર્થ હોય તેનાથી પણ પૂર્ણ કરેલાં શુSભાશુભ કર્મોને રોધ થાય નહી. ત્યાર પછી કેટલાક દિવસે બીજી અંબાલિકા સ્ત્રીને પુત્ર થયો. તેને જન્મથી માંડ નામને રોગ તે માટે તેનું નામ પાંડુ એવું પાડ્યું. ત્યાર પછી ત્રીજી સ્ત્રી જે અંબા તેને એક પુત્ર થયો તે જાણે સર્વ શુભ ગુણોનો ભંડાર જ હોયની. એનું નામ ભીમે વિદુર પાડ્યું. એ ત્રણ છે. પુત્રના જન્મથી કરવંશ અતિ શોભવા લાગ્યો. સર્વ શુભ શકુન થવા લાગ્યા. અને અશુભ છે. ચિન્હોને નાશ થયો. સર્વ રાજયમાં વ્યભિચાર, કપણુતા, ચોરી, તથા બીજા બધા નિદ્ય કૃત્યો તો શું પણ તેવો મુખમાંથી કોઈ શબ્દ પણ ઉચ્ચાર કરે નહીં એવું થયું. બધા દેકાણે ન્યાયનું પ્રાબલ્ય થયું, તથા અન્યાયનું મૂલ પણ જતું રહ્યું. સર્વ એક છત્ર રાજ્ય થયું. કોઈ પણ છે કાયિક તથા માનસિક પીડા રહી નહી. કોઈ બલવાનનું દુર્બલ ઉપર ભય રહ્યું નહી. અર્થાત કોઈ કોઈને મારી શકે નહી. અતિ વૃષ્ટિ તથા અનાવૃષ્ટિ થાય નહીં. દુષ્કાલ તથા તત્પત્તિ થઈ થાય નહી. વૃક્ષો નિયમિત સમયે ફલિત થઈને ફલે આપવા લાગ્યા, પુષ્પ તથા ફળમાં સુગંધી. મધુરતા તથા રસ વગેરે હમેશના કરતાં અધિક થવા લાગ્યાં. એવી રીતે તે રણે રાજપુત્રના પ્રભાવથી પૃથ્વીનું એવું મહાભ્ય થયું કે, જયાં ત્યાં મહાSP ત્સવ જેવું થવા માંડ્યું. કહ્યું છે કે, જ્યારે કોઈ મહાત્મા પુરૂષ પથ્વી ઉપર જન્મને ધારણ કરે છે ત્યારે નિરંતર પૃથ્વીનું એવુંજ મહાભ્ય થાય છે. કેટલાક દિવસ પછી વળી પ્રથમની પહેજ વિચિત્રવીર્ય સ્ત્રીઆશક્ત થયો. તેથી શરીર મહા દુલતાને પામીને ક્ષીણ થવા લાગ્યું, ને Sજ થોડા દિવસમાં તેને ક્ષયરોગ ઉત્પન્ન થયો, તેથી ખાશી શ્વાશ તથા બીજે પણ ક્ષય રોગનો પરિ- ર છે વાર પોતાનો અમલ ચલાવવા લાગ્યો. જુવો કામશકિતથી કવો પરિણામ થાય છે કે જેથી જ આ વિચિત્રવીર્ય અતિ આકુલ વ્યાકુલ થઇને આ લેક મૂકી પરલોકે ગયો. તે સમયે જેમ સૂર્યનો તોડ ૭) અસ્ત થયાથી અંધકાર થઈ જાય છે તેમ વિચિત્રવીર્થંના મરણથી સર્વ દિશાઓ નિસ્તેજ દીસવા . ' છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy