SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ છે પક્ષીબ્રેટ ગરૂડ પણ પોતાના પક્ષે કરીને જ આકાશરૂપ સમુદને તરી જાય છે. એ માટે શત્રુઓના ખર્શરૂપ ઊદકના સિંચનનું શોષણ કરનારા તમારા બહુરૂપ તાપે કરી મારી કીર્તિરૂપ મોગરી નિરંતર વિલાસ પામી પ્રફુલ્લિત રહેશે. સાંપ્રતકાળે પતિજ પાંડુપુત્રોનો વધ કરવા માટે શ્રદ્ધાળુપણામય એવો જે જરાસંધ તેને, “હું પ્રથમ યુદ્ધ કરીશ” એવી મેં પ્રાર્થના કરેલી છે. અર્થાત, કોડ “પ્રથમ હંજ પાંડ સાથે યુદ્ધ કરીશ; તમે સૈન્યમાં રહો એટલે થયું એવું મેં જરાસંધને કહેલું ( છે. એ માટે તમે મારી ઊપર અનુગ્રહ કરી આપણી સૈન્યમાં રહેનારા સંપૂર્ણ યોદ્ધાઓનું સ્વરૂપ છે નિવેદન કરવા માટે યોગ્ય છે. આપણા સૈન્યમાં અતિથિ કેટલાક છે? મહારથિ કેટલાક છે? ) Dિ) રથિ કેટલાક છે? અદ્ધરથિકેટલાક છે અને સેનાધિપતિ હું કોને તે સર્વઉત્તમ પ્રકારે મને કહો. જે . પછી ભીષ્મપિતામહ, તે દુર્યોધન પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. કે હે રાજન, તું આ શું બોલે છે? તું પોતેજ સર્વે ધનુર્ધારીઓનું રહસ્ય સત્યપણે જાણે છે, તેમાં રાધેય (કર્ણ) તો યુદ્ધગણવિષે કપાળુ અને પ્રમાદી છે; એ માટે એ અદ્ધરથિજ છે એવું મને ભાસે છે. કર્ણદિયને વિષતુલ્ય એવું ભીષ્મપિતામહનું તે વચન શ્રવણ કરીને કોપથી કરી જેનો ( ઓપલ્લવ કંપાયમાન છે, એ કર્ણ, ભાષણ કરવા લાગ્યો કે “આ ભીષ્મપિતામહનું યુદ્ધવિષે છે ( જ્યાં સુધી અતિથિપણું છે, ત્યાં સુધી પાંડવોની સાથે યુદ્ધ કરવા માટે હું ધનુષ્ય ધારણ કરનાર છે " નથી, એવું ભાષણ કરી પોતાના બાહુ સામર્થ્ય સર્વ જાત તૃણતુલ્ય માનનારો કર્ણ ક્રોધધ 1 I થઈને તે એ સ્થાનમંડપથી ઉઠીને નિકળી જતો હો. તે નિકળી ગયો છતાં ખિન્ન થનારા 5 દુર્યોધન પ્રત્યે ભીષ્મપિતામહ ભાષણ કરવા લાગ્યા કે “હે રાજન, અકાળેજ તારા મુખને વિષે આ શી મલિનતા પ્રાપ્ત થઈ છે. મુખ્યત્વે કરી હું જે ધનુષ ધારણ કરનાર છઊં તો તે સમયે છે. કર્ણનું શું પ્રયોજન છે? અને જો હું કાર્ય, સંપાદન કરવાનો નથી તો પછી કણે શું થવાનું છે? અને તે થત, જે કાર્ય, મારા હાથથી નથી થવાનું તે કાર્ય કર્ણ શું કરી શકશે?” પછી ભીષ્મપિતામહનું એવું ભાષણ શ્રવણ કરી દુર્યોધને ભીષ્મપિતામહ પ્રત્યે ભાષણ કર્યું કે “હતા, જ્યારે તમે મારા ઊપર પ્રસન્ન છો ત્યારે હું કાંઈક થોડી પ્રાર્થના કરું છું. કે હે તાત, તમે આ મારું યુદ્ધભાર ધારણ જ કરવા માટે જે અગ્રેસરપણું છે તે અગ્રેસરપણું ધારણ કરે. અર્થાત તમેજ સેનાધિપતિપણું રિવ- 5 કાર. કારણ, પૃથ્વીને ધારણ કરવા માટે અગ્રગણ્ય જે શેષનાગ, તેના વિના અન્ય કોણ સમર્થ છે?” - એવી તે દુર્યોધનની વાણીને ભીષ્મપિતામહ શ્રવણ કરતા હતા. તે સમયે દુર્યોધને સેનાધિપતિપણાવિષે ભીષ્મપિતામહને અભિષેક કરો. - ત્યારપછી ગાંધારીપુત્ર દુર્યોધને મોકલેલો બુદ્ધિમાન કોઈએક બંદી, ધર્મરાજા પ્રત્યે આવીને ભાષણ કરવા લાગ્યો કે “હે રાજન, પોતાનું દુવર જે બાહુસામર્થ્ય, તે બાહુસામર્થ્ય કરી જેણે હજી કરી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy