SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ 5) પરાભવ કરવામાં અતિ ઉગ્ર હોઈને વળિનિષ્કલંક છે. કિંવા રાજલોકો, આશ્રય કરનારી પ્રજા ઉપર પ્રેમ કરે છે, શગુનો ઘાત કરે છે અને સાધારણ લોકો ઊપર સાધારણપણે ચાલે છે, એ માટે ચંદ્ર અને કરતાં રાજનવિષે જે રાજત્વ છે તે વિશેષ છે. હવે જે રાજા થઈને એવી રીતનું રાજત્વ ધારણ કરતા નથી, તો તે રાજ શબ્દને પણ સેવન કરનારો કેમ થશે? અને પુરૂષોમાં પણ તે કેમ ગણના પામશે? અર્થાત તે પરાક્રમ શૂન્ય છતાં નપુંસક તુલ્ય જાણવો. એ માટે સવારે પ્રાત:કાળે હું પાંડવરહિત ભૂમંડળ કરી દુર્યોધનના રાજ્યને શત્રુશૂન્યતા પ્રત્યે પમાડીશ. અર્થાત પાંડવોને મારી દુર્યોધનના રાજ્યને શત્રુરહિત કરીશ. એવું જરાસંધે ભાષણ કર્યું છતાં દુર્યોધન, હાથ જોડીને ભાષણ કરવા લાગ્યો. દુર્યોધન-હે રાક, મારી વાણી શ્રવણ કરવા માટે તમે યોગ્ય છે. સૂર પુરૂષોમાં રત્નરૂપ એવા તમે, યુદ્ધાંગણુનવિષે પ્રાપ્ત થયા છતાં અન્યની વાતતો એક કોરે રહી, પરંતુ પાકનામક દૈત્યને શાસન કરનારો જે ઇંદ, તે ઈદ પણ અત્યંત તુચ્છ છે. એ માટે જે પુરૂષ, તમારું સામર્થ્ય એજ કોઈ એક દેવતા તેનું કૃપાપાત્રપણું પામ્યો છે, તે પુરૂષ સર્વ શત્રુનવિષે ( યથેચ્છપણે પરાક્રમે શોભનારો જાણવો. એ માટે છે વીસ્કેટ, પાંડવોના સંહારથી જેની ઉત્પત્તિ ) B છે એ જે યશ, તે યશનું માત્ર એક અંશ હરણ કરવાપણ પ્રત્યે મને પમાડવા માટે તમે યોગ્ય ) નથી. અર્થાત, પાંડવોને સંહાર કરવાનો યશ તે સર્વ મનેજ મલવો જોઈએ. હંજ તમારા આશ્રયે છે છે. કરીને સર્વ પાંડવોનો વધ કરીશ. અને યુદ્ધવિષે તે પાંડવોની સહવર્તમાન તે કૃષ્ણને પણ જે હું મારીશ તો તમારી આજ્ઞા ધારણ કરનારો એવો જે હું–તેણે કરેલું પરાક્રમ, તમારા વિશેષ શુ યશનું કારણ થશે. એ માટે યહાં સુધી પાંડવ કૌરવનું મહા યુદ્ધ પૂર્ણ થાય, ત્યાહાં સુધી તમે રે સૈન્યને વિષે રહો. એવું તમે કરચું છતાં મારા ઊપર મોટો અનુગ્રહ કરચા સરખું થશે, એવું દુર્યોધનનું ભાષણ સાંભળી જરાસંધરાજાએ “બહુ સારું” એમ કહી વિકાચું છતાં પછી જરાસંધની આજ્ઞાએ પરિવાર સહવર્તમાન ધતરાપુત્ર દુર્યોધન, પોતાના નિવાસપ્રત્યે | ગમન કરતો હો. અને તે જ સમયે પોતાની સેનામાં મુખ્ય એવા ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય છે અને કર્ણ પ્રમુખ સુભટોને એક ઠેકાણે બોલાવીને દુર્યોધન એવું ભાષણ કરવા લાગ્યો. દુર્યોધન–હે ભીષ્મપિતામહાદિકો, સવારે પ્રાત:કાળે આ અગાધ યુદ્ધસમુદ પ્રાપ્ત થયો જ છે, તેને તરવા માટે તમારા બાહદંડ એજ સેતુરૂપ છે. જે કાર્ય વિષે કાર્ય કરનારા પુરૂષો એક સાથે | ચિત્તવાળા હોઈને ઉત્સાહયુકત હોય છે, તે અતિ દુષ્કર કાર્ય હોય તો પણ સહેલું થાય છે. કારણ, 3ચંદ્ર, વસંત અને મલય સંબંધી વાયુ-એઓએ સહાય કરેલો કામદેવ, મુનિઓના ચિત્તને પણ, . છે મથન કરતો નથી શું એ માટે તમારા બાહુપક્રમે કરી હું યથેચ્છપણે શત્રુઓને છતીશ. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy